SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૪] સ્નાન વિધિ ૧૨૩ મંકોડા વગેરે જ્યાં ન હોય તેવી તેમ જ જે જમીન પોલી કે પોચી ન હોય, જેમાં છિદ્ર વગેરે કાંઈ ન હોય અને જ્યાં તડકો આવેલો હોય તેવા ઉત્તમ ભૂભાગ ઉપર સ્નાન કરવા બેસવું અને સ્નાન કરવાની જમીનમાં નીચેની શિલાઓ શબ્દ કરતી હોય અર્થાત્ પથ્થર ડગમગતો ન હોય ત્યાં સ્નાન કરવા બેસવું. વળી તે સ્થાનની નીચે રહેલા જીવોની રક્ષા માટે પ્રથમ પૂંજણી વડે પ્રમાજી ચારે તરફ ચા વડે વારંવાર જોઈ તેવા સ્થાનમાં બેસી જો પોતાના પચખાણનો કાળ પૂર્ણ થયેલો જાણવામાં આવ્યો હોય તો ત્રણ નવકાર ગણી પચખાણ પારવું. જો ઉપવાસનું પચખાણ કર્યું હોય તો તઘાવન વગેરે કર્યા વિના પણ તેની શુદ્ધિ જ છે; કારણ કે તપનું મહાફળ છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે उपवासे तथा श्राद्धे, न कुर्यादंतधावनं । दंतानां काष्ठसंयोगो, हंति सप्तकुलानि च ॥१॥ “ઉપવાસ અને શ્રાદ્ધને દિવસે દંતઘાવન (દાતણ) કરવું નહીં. તે દિવસે દાંતને કાષ્ઠનો સંયોગ સાત કુળને હણે છે.” સ્નાન કરવાનું પાણી વચ્ચથી ગળેલું, પ્રાસુક (ઉષ્ણ) કરેલું, અચિત્ત થયેલું, પરિમિત અને થોડું, તેમ જ શરીર પલળે તેટલું જ લેવું. વળી જળના રેલા ચાલવાથી ત્રસ વગેરે જીવોનો નાશ ન થાય તેવી રીતે નાહવું. દ્રવ્યથી બાહ્ય મળનો નાશ કરવા માટે અને શ્રી જિનેશ્વર ભગવંતના પરમ પવિત્ર દેહનો સ્પર્શ કરવા માટે સ્નાન કરવાનું છે અને ભાવથી ક્રોધાદિ મળનો નાશ કરવા માટે સ્નાન કરવાનું છે. ગૃહસ્થને દેવપૂજા કરવા માટે જ દ્રવ્યસ્નાન કરવાનું કહેલું છે. તે દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિના હેતુરૂપ હોવાથી જ તેને સંમત કરેલું છે; બીજા કોઈ પણ કારણે સ્નાન કરવાની અનુમતિ આપેલી નથી. આ પ્રમાણે કહેવાથી દ્રવ્યસ્નાનથી પુણ્ય થાય છે એમ જેઓ કહે છે તેના કથનનો નિરાસ કરેલો છે એમ સમજવું. તીર્થસ્નાનથી પણ જીવની અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. તે વિષે કાશીખંડના છઠ્ઠા અધ્યાયમાં પણ કહેવું છે કે मृदो भारसहस्रेण, जलकुंभशतेन च । न शुद्ध्यंति दुराचाराः, स्नातास्तीर्थशतैरपि ॥१॥ जायंते च नियंते च, जलेष्वेव जलौकसः । न च गच्छंति ते स्वर्ग-मविशुद्धमनोमलाः॥२॥ રિવારVરદ્રવ્ય – પરોપરમુલાઃ | गंगाऽप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥३॥ “૧. હજારો ભાર માટીથી અને સેંકડો જળના ઘડાથી સેંકડો તીર્થમાં સ્નાન કરે તો પણ દુરાચારી પુરુષો શુદ્ધ થતા નથી. ૨. જળના જીવો જળમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ મૃત્યુ પામે છે, પણ તેમના મનનો મેલ ગયેલો ન હોવાથી તેઓ સ્વર્ગે જતા નથી. ૩. ગંગા કહે છે કે પરસ્ત્રી, પદ્રવ્ય અને પરદ્રોહથી વિમુખ રહેનાર મનુષ્યો આવીને મને ક્યારે પવિત્ર કરશે?” અહીં કોઈ શંકા કરે કે “દ્રવ્યસ્નાન અપૂકાય જીવોની હિંસાનું કારણ છે તો ગૃહસ્થ પૂજા વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy