SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ પૂજા કરી, પ્રભુની પાસે સંયમ લઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયો. અહીં શ્રી નેમિપ્રભુનાં દીક્ષા, જ્ઞાન અને કેવળ એમ ત્રણ કલ્યાણક થયાં અને ત્યારથી અહીં ચૈત્ય તથા લેપ્યમય બિંબ લોકમાં પૂજાવા લાગ્યું. શ્રી નેમિપ્રભુના મોક્ષ પછી નવસો ને નવ વર્ષ ગયાં ત્યારે કાશ્મીર દેશથી રત્ન નામે એક શ્રાવક અહીં યાત્રા માટે આવ્યો. તેણે જળથી ભરેલા કળશ વડે પેલા લેખમય બિંબને સ્નાત્ર કર્યું, તેથી તે બિંબ ગળી ગયું. તે વખતે પોતાથી તીર્થનો વિનાશ થયેલો જોઈ રત્ન શ્રાવકે બે માસના ઉપવાસ કર્યા. બે માસને અંતે અંબિકાદેવી પ્રગટ થયા. પછી અંબિકાના આદેશથી પેલા ભૂમિગત પ્રાસાદમાંથી સુવર્ણના પબાસણ ઉપરથી વજ્રમય બિંબ લાવીને અહીં સ્થાપિત કર્યું.’’ આ પ્રમાણે શ્રી ગિરનાર તીર્થની હકીકત ગુરુ પાસેથી સાંભળી સર્વ પ્રકારના મહોત્સવ કરી આત્માને કૃતાર્થ કરતો રાજા કુમારપાળ ત્યાં ઘણા દિવસ રહ્યો. ત્યાં પણ પેલા જગડુશાએ જ ઇંદ્રમાળા પહેરી. પછી રાજાએ ત્યાંથી પ્રયાણ કરી સંઘ સહિત દેવપટ્ટન (પ્રભાસપાટણ) જઈ શ્રી ચંદ્રપ્રભપ્રભુની યાત્રા કરી. ત્યાં પણ જગડુશાએ જ ઇંદ્રમાળ ધારણ કરી. તે સમયે રાજાએ જગડુશાને એવાં મહામૂલ્યવાળાં રત્નોની પ્રાપ્તિનો વૃત્તાંત પૂછ્યો. ત્યારે જગડુશા બોલ્યા—“મધુમતીપુરી (મહુવા) માં પ્રાગ્ધાટ (પોરવાડ) વંશી મારા પિતા હંસરાજ રહેતા હતા. તેણે પોતાના અંતસમયે મને કહ્યું કે–‘આ પાંચ રત્ન લે, તેમાંથી સિદ્ધગિરિ, રૈવતાચલ અને દેવપાટણમાં ત્રણ રત્નો અનુક્રમે આપજે અને બાકીનાં બે રત્નોથી તારો નિર્વાહ કરજે.' તેના વચનથી મેં આ પુણ્ય કરેલું છે.' પછી સર્વ સંઘ એકઠો કરી બાકીનાં બે રત્ન આ રત્ન સંઘપતિ એવા તમને ઘટે છે' એમ કહી તેણે રાજાના હાથમાં મૂક્યાં. તે જોઈ રાજા વિસ્મય પામીને બોલ્યા—દે શ્રાવકશિરોમણિ! તમને ધન્ય છે, તમે સર્વમાં પ્રથમ પુણ્ય કરનારા છો, કારણ કે તમે ત્રણે તીર્થમાં ઇંદ્રમાળ પહેરીને ઇંદ્રપદ પ્રાપ્ત કર્યું છે.’ આ પ્રમાણે સ્તુતિ કરી જગડુશાને પોતાના અર્થાસન ઉપર બેસારી, સુવર્ણાદિકથી તેનો સત્કાર કરી દોઢ કોટિ ઘન આપીને તે બે રત્નો લીધાં; અને તે રત્નોને મધ્યમણિ (ચગદું) રૂપે નાખી બે હાર કરાવીને શ્રી શત્રુંજય અને ગિરનાર તીર્થ ઉપર પ્રભુને પહેરાવવા માટે મોકલ્યા. પછી પાટણ જઈ સર્વ સંઘનો સત્કાર કરીને પોતપોતાને સ્થાનકે સૌને વિદાય કર્યા. “કુમારપાલ રાજાની જેમ ભક્તિ સહિત વિધિપૂર્વક પાપના સમૂહને ટાળવાને માટે બીજાઓએ પણ તીર્થયાત્રા કરવી.'' વ્યાખ્યાન ૧૮૪ સ્નાન વિધિ स्नानादिसर्वकार्याणि, विधिपूर्वं विधापयन् । हिंसाभ्यो मनसा भीरुः, सर्वज्ञसेवनापरः ॥१॥ ભાવાર્થ—‘સર્વજ્ઞની સેવામાં તત્પર એવા પુરુષે મનમાં હિંસાનો ભય રાખી સ્નાનાદિ સર્વ કાર્યો વિધિપૂર્વક કરવાં.'’ સ્નાનવિધિ આ પ્રમાણે પ્રથમ જળ ઝીલવાનું પાત્ર જેની નીચે મૂકેલું હોય તેવા અને પ્રનાળિયાવાળા બાજોઠ ઉપર પૂર્વ અથવા ઉત્તરાભિમુખે બેસવું. સ્નાન કરવાની જમીન પાંચ વર્ણની નીલફુલ, કુંથવા, કીડી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy