SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ વ્યાખ્યાન ૧૮૩] શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ નવ અંગે પૂજા કરી. પછી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે धन्योऽहं मानुषं जन्म, सुलब्धं सफलं मम । यदवापि जिनेंद्राणां, शासनं विश्वपावनं ॥१॥ “હું ઘન્ય છું. મેં પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ, આ વિશ્વને પાવન કરનાર શ્રીનિંદ્રનું શાસન પ્રાપ્ત થવાથી સફળ થયો છે.” પછી ઇંદ્રમાળ પહેરવાને વખતે સર્વ સંઘ એકઠો થયો. તે વખતે મંત્રી વાગભટ્ટ ઇંદ્રમાળ પહેરવાનું ચાર લાખ દ્રવ્ય બોલ્યો, રાજા કુમારપાલે આઠ લાખ કહ્યા, મંત્રીએ સોળ લાખ કહ્યા, રાજાએ બત્રીસ લાખ કહ્યા. એમ બોલતાં કોઈ એક ગૃહસ્થે ગુપ્ત રીતે સવા ક્રોડ કહ્યા. તે સાંભળી રાજા ચમત્કાર પામીને બોલ્યા કે- તેને માળા પરિધાન કરવા આપો.” તે સમયે સામાન્ય વેષને ઘારણ કરનાર તે ગૃહસ્થ પ્રગટ થયો. સામાન્ય વેષવાળા તે જગડુશાને જોઈ રાજાએ મંત્રીને કહ્યું–“સવા ક્રોડ દ્રવ્યની ખાતરી કરીને માળા આપો.” એટલે જગડુશા જરા હૃદયમાં કષાયિત થઈ (ખેદ પામી) એક રત્ન તેટલા જ મૂલ્યનું આપતાં બોલ્યા- હે રાજા! દેવ, ગુરુ તથા સંઘપતિની આગળ કોઈ કપટ (મૃષા) વાક્ય બોલે જ નહીં.' રાજાએ તેને મિથ્યા દુષ્કત આપી આલિંગન કરીને કહ્યું–“તું મારા સંઘમાં મુખ્ય સંઘપતિ છે.” એમ સન્માન કરી તેને માળા અર્પણ કરી. જગડુશાએ અડસઠ તીર્થરૂપ પોતાની માતાને તે માળા પહેરાવી. પછી કુમારપાળે પૂજાનાં સુવર્ણમય ઉપકરણો પ્રાસાદમાં મૂકી પાંચ શસ્તવ વડે દેવવંદના કરી. ત્યાર પછી સંઘ સહિત શ્રી પુંડરીકગિરિને સર્વ તરફ પટકુળ વગેરે પરિઘાન કરાવી, અનુક્રમે નીચે ઊતરી પાદલિપ્ત નગર (પાલીતાણા)માં આવ્યા. પછી સૂરીશ્વરના મુખથી “આ શત્રુંજયગિરિનું પાંચમું શિખર ગિરનાર છે અને તેને વાંદવાથી તેટલું જ ફળ થાય છે.” એમ સાંભળી સંઘ સહિત સુખપૂર્વક અનુક્રમે પ્રયાણ કરતાં ગિરનાર આવ્યા. ત્યાં સવિસ્તર સ્નાત્રપૂજા વગેરે કરી શ્રી નેમિનાથની વજમય અને અતિશયવાળી પ્રતિમા જોઈ રાજાએ ગુરુને પૂછ્યું–‘આ પ્રતિમા ક્યારે અને કોણે કરાવી છે?” એટલે ગુરુ બોલ્યા ભરતક્ષેત્રમાં અતીત ચોવીશીમાં ત્રીજા સાગર નામના તીર્થકરના સમયમાં અવંતિ નગરીને વિષે નરવાહના નામે રાજા થયો હતો. એક વખતે તે રાજાએ પ્રભુની દેશના સાંભળીને પૂછ્યુંભગવન્! હું કેવળી ક્યારે થઈશ?” પ્રભુ બોલ્યા–“રાજ! આવતી ચોવીશીમાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના વારામાં તું કેવળી થઈશ.” તે સાંભળી તે રાજાએ સંયમ લીધું અને તપસ્યા કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો ઇંદ્ર થયો. તેણે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણી શ્રી નેમિનાથનું વજમય બિંબ કરાવ્યું અને તેની સ્વર્ગમાં પૂજા કરી. આયુષ્યને અંતે શ્રી નેમિનાથના ત્રણ કલ્યાણકના સ્થાનરૂપ આ રેવતગિરિ ઉપર વજથી કોતરાવી પૃથ્વીની અંદર પૂર્વાભિમુખે પ્રાસાદ કરાવ્યો. તેમાં રૂપાના ત્રણ ગર્ભગૃહ (ગભારા) રચી તેમાં રત્ન, મણિ અને સુવર્ણના ત્રણ બિંબ સ્થાપિત કર્યા અને તેની આગળ સુવર્ણનું પબાસણ કરી પેલું વજય બિંબ સ્થાપન કર્યું. પછી તે ઇંદ્ર સ્વર્ગથી ચવી સંસારમાં ભમતાં ક્ષિતિસારનગરમાં નરવાહન નામે રાજા થયો. તે ભવમાં શ્રી નેમિપ્રભુના મુખથી પોતાનું પૂર્વસ્વરૂપ જાણી તે બિંબની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy