SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ લોકમાં પણ કહેવાય છે કે “યાત્રામાં વાહન પર બેસવાથી અથું ફળ નાશ પામે છે, જોડા પહેરવાથી ચોથા ભાગનું ફળ નાશ પામે છે, સૌર (હજામત) કરાવવાથી ત્રીજા ભાગનું ફળ નાશ પામે છે અને પ્રતિગ્રહ (દાન) લેવાથી યાત્રાનું સર્વ ફળ નાશ પામે છે.” આ પ્રમાણે સાંભળી કુમારપાલ રાજાએ વાહનનો અને પગરખાંનો તત્કાળ ત્યાગ કરી દીધો અને ગુરુમહારાજની સાથે ચાલવા લાગ્યો. રાજાને તેમ કરતા જોઈ આચાર્ય બોલ્યા- “હે રાજ! અશ્વાદિક વાહન અને ઉપાનહ વિના તમારા દેહને ઘણી પીડા થશે.” રાજાએ કહ્યું-“પૂર્વે દુરવસ્થામાં પરવશપણાથી હું પગ વડે કાંઈ થોડું ભમ્યો નથી, પણ તે બધું વ્યર્થ ગયું છે; અને આ તો પગે ચાલવાનો હેતુ તીર્થયાત્રા છે તો તે અતિ સાર્થક છે. તેનાથી તો મારું અનેક ભવનું ભ્રમણ ટળી જશે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી ગુરુ બહુ પ્રસન્ન થયા અને રાજાને પગે ચાલવાને ઉત્સાહિત કર્યા. કુમારપાલ રાજા માર્ગમાં સ્થાને સ્થાને પ્રભાવના, પ્રભુની દરેક પ્રતિમાને સુવર્ણનાં છત્ર, દરેક જિનપ્રાસાદ ઉપર ધ્વજારોપણ, ગામે ગામ અને શહેરે શહેરે સાઘર્મિકની પૂજા, સંઘને ભોજન, અમારી ઘોષણા, બે વાર પ્રતિક્રમણ, પર્વ દિવસે પૌષઘ અને યાચકોને ઉચિત દાન ઇત્યાદિ ઘર્મક્રિયા કરતો ચાલ્યો. જ્યારે તીર્થનાં દર્શન થયાં ત્યારે તેણે તીર્થને સંઘ સહિત પંચાંગ પ્રણામ કર્યા અને તે દિવસે ત્યાં રહી શત્રુંજયને વધાવી, તીર્થસન્મુખ સુગંધી દ્રવ્યના અષ્ટમંગળ આલેખી, તીર્થોપવાસ અને રાત્રિ જાગરણ કર્યું. પ્રાત:કાળે દેવગુરુની પૂજાપૂર્વક પારણું કર્યું. અનુક્રમે ગિરિરાજની તળેટીમાં આવ્યા, એટલે સંઘ સહિત ચૈત્યવંદન કરી સર્વ આશાતના ટાળીને શ્રીગિરિરાજ ઉપર ચડવા લાગ્યા. જિનપ્રાસાદની સમીપ પહોંચ્યા એટલે તેના દ્વારને સવાશેર મોતીથી વઘાવી અંદર પ્રવેશ કર્યો. પછી પ્રદક્ષિણા કરતી વખતે રાજાએ શ્રી હેમચંદ્રાચાર્યને સરસ અને અપૂર્વ સ્તુતિ કરવા માટે પ્રાર્થના કરી. આચાર્ય મહારાજે “નય ગંતુq૦' ઇત્યાદિ ઘનપાલપંચાશિકાના પાઠ વડે ભગવંતની સ્તુતિ કરી. તે સાંભળી રાજા વગેરે બોલ્યા- “હે ભગવન્! આપ પોતે સમર્થ છો છતાં બીજાએ રચેલી આ ર તિનો પાઠ કેમ કરો છો?” ગુરુ બોલ્યા–“રાજનું! એવી અદ્ભુત ભક્તિગર્ભિત સ્તુતિ મારાથી રચી શકાય તેમ નથી.” ગુરુની આવી નિરભિમાનતા જોઈ રાજા વગેરે બહુ ખુશી થયા. પછી તેઓ ગુરુની સ્તુતિ કરતાં રાજાદની (રાયણના) વૃક્ષની નીચે આવ્યા. એટલે ગુરુએ કહ્યું- હે રાજા! સિત્તેર લાખ અને છપ્પન હજાર કોટિ વર્ષે એક પૂર્વ થાય છે. તે અંકને નવાણુગણા કરતાં ઓગણોતેર ક્રોડાક્રોડ, પંચાશી લાખ ક્રોડ અને ચુંમાળીસ હજાર ક્રોડ થાય; તેટલી વાર શ્રી આદિનાથ પ્રભુ આ વૃક્ષ નીચે સમોસર્યા છે. આ પ્રમાણે સારાવલીપયજ્ઞામાં કહેલું છે.” કુમારપાલ રાજાએ ગુરુએ કહેલા વિધિ પ્રમાણે પ્રથમ રાજાદની વૃક્ષની અને પ્રભુની પાદુકાની સમ્યક્ પ્રકારે પૂજા કરીને પછી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં જાણે ત્રણ ભુવનનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તેમ તે પરમાનંદથી વ્યાપ્ત થઈ ગયા. તે વખતે સર્વ ઇંદ્રિયોના વ્યાપારથી મુક્ત થયા હોય તેમ આંખનું મટકું પણ માર્યા વગર અને આળસુની જેમ નેત્રને સ્થિર કરીને એક ક્ષણવાર પ્રભુના મુખ ઉપર વૃષ્ટિ સ્થાપિત કરી, હર્ષના અશ્રુથી પૂરિત થઈ પાપરૂપી સર્વ તાપને દૂર કરી સ્થિત થયા. તે પછી “હે જગદીશ! તમારું પૂજન હું રંક શી રીતે કરી શકું?' ઇત્યાદિ સ્તુતિનું ઉચ્ચારણ કરતાં નવ લક્ષ મૂલ્યનાં નવ મહારત્નો વડે જીવહિંસા જે ભવભ્રમણ-જન્મમરણ તેથી મુક્ત થવા માટે પ્રભુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy