SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૩]. શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ ૧૧૯ “પૂજ્ય પુરુષોએ એ મુક્તિગિરિનો મહિમા ક્ષેત્રના અનુભાવથી કહેલો છે તેથી દયાળુ પુરુષોએ આ ભવચક્રમાંથી મુક્ત થવાને માટે તેની યાત્રા અવશ્ય કરવી.” આ વિષે કુમારપાલ રાજાનો પ્રબંઘ છે તે આ પ્રમાણે કુમારપાલ રાજાનો પ્રબંધ એક દિવસ પાટણ નગરમાં શ્રી હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે ઉપદેશ કર્યો–“યૌવનમાં અથવા વૃદ્ધવયમાં અજ્ઞાનપણે જે પાપ કર્યું હોય તે સર્વ પાપ સિદ્ધિગિરિને સ્પર્શવાથી વિલય પામી જાય છે. વળી એક વખત ભોજન કરનારો, ભૂમિ પર સૂનારો, બ્રહ્મચર્ય પાળનારો, ઇંદ્રિયોને વશ રાખનારો, સમ્યગ્ગદર્શને યુક્ત અને છ આવશ્યક (પ્રતિક્રમણ) કરનારો પુરુષ જો સિદ્ધાચળની યાત્રા કરે તો તે સર્વ તીર્થની યાત્રાનું ફળ પામે છે. હે કુમારપાલ રાજા! આ સિદ્ધગિરિ જેવું બીજું તીર્થ ત્રણ જગતમાં નથી. તેનું પુંડરીક એવું નામ શ્રી ઋષભદેવના પહેલા ગણઘરથી પડેલું છે. તે વિષે કહેવું છે કે “ચૈત્ર સુદ પૂનમને દિવસે પાંચ કોટિ મુનિઓના પરિવાર સાથે શ્રી પુંડરીક ગણઘર જે તીર્થે નિર્મળ સિદ્ધિસુખને પામ્યા તે પુંડરીક તીર્થ જયવંતુ હો. તેથી સંપ્રતિકાળે ચૈત્ર માસની પૂર્ણિમાએ દશ, વીશ, ત્રીશ, ચાળીશ અને પચાસ પુષ્પમાલા જે ચડાવે છે તે અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે.” ઇત્યાદિ પ્રમાણ છે. તેથી શાસ્ત્રોક્ત વિધિ વડે ચૈત્રમાસની પૂર્ણિમાએ દેવવંદન અને પુંડરીક ઉદ્યાપન વગેરે ક્રિયા કરવી. યાત્રામાં પણ સંઘવીપદ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. હે રાજા! ઇંદ્રાદિક પદવી સુલભ છે, પણ સંઘપતિની પદવી દુર્લભ છે. કહ્યું છે કે આ સંઘ અરિહંત પ્રભુને પણ માન્ય અને સર્વદા પૂજ્ય છે, તેવા સંઘનો જે અધિપતિ થાય તેને લોકોત્તર સ્થિતિવાળો જ સમજવો.” આ પ્રમાણેના ગુરુમહારાજના ઉપદેશથી કુમારપાલ રાજાને સંઘયાત્રાનો મનોરથ ઉત્પન્ન થયો. તેણે તે વિચાર ગુરુમહારાજને નિવેદન કર્યો એટલે ગુરુએ આચારદિનકર વગેરે ગ્રંથમાં કહેલા વિધિથી આઠ સ્તુતિ વડે દેવવંદનપૂર્વક શાંતિક તેમજ પૌષ્ટિક ક્રિયા કરાવીને તેમને સંઘપતિની પદવીએ સ્થાપિત કર્યા. શુભમુહૂર્વે રાજાએ હસ્તીના કુંભસ્થળ ઉપર સુવર્ણનું દેવાલય મુકાવીને પ્રસ્થાન કર્યું. તે પછી બોંતેર સામંતનાં દેવાલયો, તે પછી ચોવીશ મંત્રીનાં દેવાલયો અને તે પછી અઢારસો વ્યાપારીઓનાં જિનચૈત્યો-એમ અનુક્રમે સંઘની આગળ ચાલ્યાં. કુમારપાલ રાજાએ પાટણમાંના સર્વ ચૈત્યોની પૂજા, અમારી ઘોષણા, બંદીખાનામાંથી બંદીમોચન અને સંઘભક્તિપૂર્વક યાત્રાભેરી વગડાવીને પ્રયાણ કર્યું. રસ્તામાં જેમને ભાતું ન હોય તેમને ભાતું આપતો અને સંઘમાં આવેલા લોકોને સહોદરથી અધિક ગણતો રાજા ઘીમે ઘીમે પ્રયાણ કરવા લાગ્યો. માર્ગે ચાલતા કુમારપાલે ગુરુને યાત્રાનો વિધિ પૂક્યો એટલે ગુરુ બોલ્યા__ सम्यक्त्वधारी पथि पादचारी, सचित्तवारी वरशीलधारी । भूस्वापकारी सुकृती सदैका-हारी विशुद्धां विदधाति यात्रां ॥१॥ “સમકિત ઘારણ કરી, માર્ગમાં પગે ચાલી, સચિત્તનો ત્યાગ કરી, શીલ પાળી, પૃથ્વી પર શયન કરી અને એક વખત આહાર લઈ, સુકૃતિપુરુષ વિશુદ્ધ યાત્રા કરે છે.” ૧ આ છ “રી' સમજવી, છ રી પાળીને યાત્રા કરવી તે આ પ્રમાણે સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy