SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ | સ્તંભ ૧૩ આજે યુગાદિ પ્રભુની યાત્રાએ જનારા સર્વ યાત્રિકોને હું અખિન્નપણે સેવા કરવા વડે પ્રસન્ન કરું છું, તેથી આજે મારા પિતાની આશા સફળ થઈ અને મારી માતાની આશાને પણ અંકુર ઊગી નીકળ્યા એમ હું સમજું છું.” આ પ્રમાણે નિરભિમાન ભક્તિ વડે રંજિત કરેલો સંઘ ત્યાંથી નીકળી અનુક્રમે જિનયાત્રા કરવા ગયો અને સારી રીતે યાત્રા કરી. આ પ્રમાણે બીજાં પણ ઘણાં વૃત્તાંતો છે, તે પૂર્વ શાથી જાણી લેવાં. “ભરતાદિક રાજાઓએ અને બીજા શ્રાવકોએ તથા સુરાસુરના પતિ ઇદોએ જેવી રીતે એ મહાતીર્થની ભક્તિ કરેલી છે, તેવી રીતે બીજા શ્રાવકોએ પણ સ્વાત્મશુદ્ધિને માટે ભક્તિ કરવી.” વ્યાખ્યાન ૧૮૩ શ્રી શત્રુંજયની યાત્રાનું ફળ अन्यतीर्थेषु यद्यात्रा-सहस्त्रैः पुण्यमाप्यते । तदेकयात्रया पुण्यं, शत्रुजयगिरौ भवेत् ॥१॥ ભાવાર્થ-“બીજાં તીર્થોમાં હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શ્રી શત્રુંજયગિરિની એક યાત્રા કરવાથી થાય છે.” વિશેષાર્થ–બીજાં તીર્થ એટલે નંદીશ્વર વગેરે તીર્થો જાણવાં. યાદવવંશી શ્રી અતિમુક્ત કેવળીએ કૃષ્ણને પૂજ્ય એવા નારદની આગળ કહ્યું છે કે जं किंचि नाम तिथ्थं, सग्गे पायालि तिरियलोगंमि । तं सव्वमेव दिऎ, पुंडरिओ वंदिए संते॥१॥ શ્રી પુંડરીક તીર્થને વાંદવાથી સ્વર્ગ, પાતાલ અને તિચ્છ લોકનાં સર્વ તીર્થો જોયાં (વાંદ્યાં) એમ સમજવું.” બીજા મહાપુરુષોએ પણ કહ્યું છે કે “નંદીશ્વરની યાત્રાથી જે પુણ્ય થાય છે તેથી બમણું પુણ્ય કુંડલગિરિની યાત્રાથી થાય છે, ત્રણગણું પુણ્ય સૂચકદ્વીપની યાત્રાથી થાય છે અને ચોગણું પુણ્ય ગજદંતાની યાત્રાથી થાય છે. તેથી બમણું પુણ્ય જંબૂવૃક્ષ પરનાં ચૈત્યોની યાત્રાથી, તેથી છગણું પુણ્ય ઘાતકીખંડમાં રહેલા ઘાતકી વૃક્ષ પરના જિનેશ્વરદેવને પૂજવાથી, તેથી બાવીશગણું પુણ્ય પુષ્કરવરદ્વીપાર્થના જિનબિંબોની પૂજાથી અને સોગણું પુણ્ય મેરુપર્વતની ચૂલિકા પર રહેલા જિનેશ્વરદેવની પૂજાથી થાય છે. હજારગણું પુણ્ય સમેતગિરિની યાત્રાથી, લાખગણું પુણ્ય અંજનગિરિની યાત્રાથી, દશ લાખગણું પુણ્ય રૈવતગિરિ અને અષ્ટાપદ ગિરિની યાત્રાથી અને કોટિગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થના સ્વાભાવિક સ્પર્શથી થાય છે અને તે પણ મનવચનકાયાની શુદ્ધિપૂર્વક થાય તો અનંતગણું પુણ્ય થાય છે.” આ ભવમાં તે મહાતીર્થની યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. કહ્યું છે કે क्षेत्रानुभावतो पूज्यैः, मुक्त्यद्रेर्महिमा स्मृतः । ध्रुवं भवौघमुक्त्यर्थं, यात्रा कार्या दयाभृतैः॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy