SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ વ્યાખ્યાન ૧૮૨] શ્રી જિનભક્તિનું ફળવિઘાન એકદા શ્રી નાગપુરમાં પુનડ નામના શ્રાવકે આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી કે “ઘર્મના સ્થાનમાં સ્થાપિત કરેલી લક્ષ્મી શાશ્વત થાય છે. વળી વિશેષ કરીને તીર્થયાત્રાનું પુણ્ય મોટું છે. કહ્યું છે કે–આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, ઊંચે પ્રકારે સંઘનું વાત્સલ્ય, દર્શન (સમકિત)ની નિર્મળતા, સ્નેહીજનનું હિત, પ્રાચીન ચૈત્યોનાં દર્શન, તીર્થની ઉન્નતિ ને પ્રભાવની વૃદ્ધિ, જિનવચનની માન્યતા, તીર્થકરગોત્રનો બંઘ, સિદ્ધિનું સામીપ્ય અને દેવ તથા મનુષ્યની પદવીનો લાભ–એ સર્વ તીર્થયાત્રાનાં ફળ છે.” આવી દેશના સાંભળી સંવત ૧૨૭૫ ના વર્ષમાં તે પુનડશેઠ નાગપુર (નાગોર)થી સંઘ લઈ યાત્રા માટે નીકળ્યો. તેના સંઘમાં અઢારસો મોટાં ગાડાં, એક હજાર સેજપાલ, ચારસો વહેલ, પાંચસો વાજિંત્ર અને ઘણાં દેવાલ હતાં. સ્થાને સ્થાને ઉત્સવ કરતો તે સંઘ ઘોળકા પાસે આવ્યો; એટલે વસ્તુપાલ મંત્રી તે સંઘની સામે આવ્યો અને જે દિશામાં સંઘની રજ પવનથી ઊડે તે દિશા તરફ ચાલવા લાગ્યો, ત્યારે સંઘના લોકોએ કહ્યું-મંત્રીશ! આ તરફ રજ ઊડે છે, માટે આ તરફ પઘારો.” મંત્રી બોલ્યો-“આવી પવિત્ર રજનો સ્પર્શ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તે વિષે કહ્યું છે કે श्रीतीर्थपांथरजसा विरजीभवंति, तीर्थेषु बंभ्रमणतो न भवेष्वटंति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदःस्युः, पूज्या भवंति जगदीशमथार्चयंतः॥ શ્રી તીર્થયાત્રાએ જતા સંઘના પગની રજ લાગવાથી પુરુષો કર્મરૂપી રજથી રહિત થાય છે, તીર્થમાં પરિભ્રમણ કરવાથી પ્રાણીને સંસારમાં ભ્રમણ કરવું પડતું નથી, તીર્થમાં દ્રવ્યનો વ્યય કરવાથી સંપત્તિ સ્થિર થાય છે અને જગત્પતિ જિનરાજને પૂજવાથી જગતમાં પૂજ્ય થાય છે.” - આ પ્રમાણે કહેતો મંત્રી વસ્તુપાલ આગળ ચાલ્યો. સંઘે સરોવરને તીરે પડાવ કર્યો. મંત્રીશે સંઘપતિને ગાઢ આલિંગન કરીને કહ્યું- હે શ્રાવકવર્ય! કાલે પ્રાતઃકાળે તમારે સંઘસહિત મારે ઘરે ભોજન કરવા પઘારવું.” સંઘવીએ તે વાત કબૂલ કરી. બીજે દિવસે પ્રાત:કાળે સર્વ સંઘ વસ્તુપાલને ઘેર જમવા ગયો. તે વખતે મંત્રી વસ્તુપાલે પોતાની જાતે સર્વના ચરણ પખાલી તિલક કર્યા. તેમ કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો. તે વખતે તેમના નાના ભાઈ તેજપાલે કહ્યું- હે દેવ! હું બીજા માણસો પાસે આ પ્રમાણે જ ભક્તિ કરાવીશ, માટે તમે ભોજન કરી લો; કેમકે બહુ મોડું થયું છે, તેથી તમને પરિતાપ થશે.” મંત્રી બોલ્યા. “તેજપાલ! એવું ન કહો, આવો અવસર તો પૂરા પુણ્યથી મળે છે. માટે મને મારા હાથે જ સાઘર્મિક ભક્તિ કરવા દો.” તે વખતે ગુરુશ્રીએ આ પ્રમાણે કહેવરાવ્યું– यस्मिन् कुले यः पुरुषप्रधानः, स एव यत्नेन संरक्षणीयः । तस्मिन् विनष्टे सकलं विनष्टं, न नाभिभंगे शकटा वहति ॥१॥ જે કુળમાં જે પુરુષ પ્રઘાન હોય તેનું યત્નથી સંરક્ષણ કરવું; કારણ કે જો તે પુરુષ વિનાશ પામે તો સઘળું કુળ વિનાશ પામી જાય છે. જેમકે ઘરી ભાગી જાય તો ગાડું ચાલી શકતું નથી.” તે સાંભળી મંત્રીએ ગુરુને આ પ્રમાણે કહેવરાવ્યું अद्य मे फलवती पितुराशा, मातुराशाऽप्यंकुरिता अद्य । यद्युगादिजिनयात्रिकलोकं, યાયામશેષમરિવન્નઃ આશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy