SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [સ્તંભ ૧૩ સુવર્ણરત્નમય શ્રી જિનબિંબ સ્થાપિત કર્યું. એવી રીતે ભરતે એ તીર્થનો પ્રથમ ઉદ્ધાર કરાવ્યો. (૨) ત્યાર પછી અનુક્રમે શ્રી ઋષભદેવના સંતાનમાં ભરતેશ્વરના રાજ્યને વિષે આદિત્યયશા, મહાયશા અને અતિબલ વગેરે ત્રિખંડના ભોક્તાઓ થયા અને ભરતની જેમ ઘણા રાજાઓ સંઘપતિ થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા થયા. ઇક્ષ્વાકુકુળમાં બીજા પણ ઘણા રાજાઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે. પચાસ લાખ કોટિ સાગરોપમ સુધી સર્વાર્થસિદ્ધિએ અંતરિત ચૌદ લાખ વગેરે શ્રેણી† વડે વસુદેવહિંડક નામના ગ્રંથમાં કહ્યા પ્રમાણે અસંખ્ય રાજાઓ આ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા છે. ભરતચક્રી પછી છ કોટિ પૂર્વ ગયા પછી આઠમે પાટે દંડવીર્ય રાજા થયો. તેણે સંઘપતિ થઈ શત્રુંજયતીર્થે બીજો ઉદ્ધાર કર્યો. (૩) અનુક્રમે ભરત વગેરે સાત પાટ થઈ ગયા પછી આ આઠમો રાજા પણ દર્પણભુવનમાં કેવલજ્ઞાનને પ્રાપ્ત થયો. તે પછી એકસો સાગરોપમ ગયે સતે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રીજિનેશ્વરના મુખથી સિદ્ધિગિરિનું વર્ણન સાંભળી ઈશાનઇંદ્રે તે તીર્થે ત્રીજો ઉદ્ધાર કર્યો. (૪) તે પછી એક કોટિ સાગરોપમ ગયા પછી માછેંદ્રે ચોથો ઉદ્ધાર કર્યો. (૫) તે પછી દશ કોટિ સાગરોપમ ગયા પછી બ્રહ્મદ્રે પાંચમો ઉદ્ધાર કર્યો. (૬) અને તે પછી એક કોટી સાગરોપમ ગયા પછી ભુવનપતિ ચમરેંદ્રે છઠ્ઠો ઉદ્ધાર કર્યો. ૧૧૬ (૭) શ્રી આદિનાથ પ્રભુ થયા પછી પચાસ લાખ કોટિ સાગરોપમ જતાં શ્રી સગરચક્રી થયા. તેણે ઇંદ્રના વાક્યથી પડતો સમય જાણી ભરતે કરાવેલ મણિમય બિંબને ભૂમિમાં ભંડાર્યું અને તેણે સાતમો ઉદ્ધાર કર્યો. (૮) તે પછી અભિનંદન સ્વામીના મુખથી તીર્થનું વર્ણન સાંભળી વ્યંતરેંદ્રે આઠમો ઉદ્ધાર કર્યો. (૯) તે પછી શ્રી ચંદ્રપ્રભુના વારામાં ચંદ્રયશા રાજાએ નવમો ઉદ્ધાર કર્યો. (૧૦) તે પછી શાંતિનાથના પુત્ર ચક્રાયુધ્ધે દશમો ઉદ્ધાર કર્યો. (૧૧) પછી મુનિસુવ્રતસ્વામીના સમયમાં રામચંદ્રે અગિયારમો ઉદ્ધાર કર્યો. (૧૨) તે પછી નેમિનાથના વખતમાં પાંડવો થયા. તેઓએ અઢાર અક્ષૌહિણી સેના સાથે લઈ કૌરવો સાથે ઘોર યુદ્ધ કરી મહાપાપ ઉપાર્જન કર્યું. પછી તેમની માતા કુંતીએ તેમને કહ્યું–‘હે પુત્રો! તમે ગોત્રદ્રોહ કર્યો છે તેથી તમને મહાપાપ લાગ્યું છે, માટે શ્રી શત્રુંજયતીર્થે જઈ જિનપૂજા વગેરે કરી તે પાપને દૂર કરો.' તે સાંભળી પાંડવોએ અમૂલ્ય કાષ્ઠમય પ્રાસાદ કરાવી તેમાં લેપ્યમય બિંબ સ્થાપીને બારમો ઉદ્ધાર કર્યો. (૧૩) તે પછી શ્રી વીરપ્રભુના નિર્વાણથી ચારસો ને સિત્તેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા. તેણે સિદ્ધાચળના સંઘપતિનું બિરુદ ધારણ કર્યું હતું. તે પછી વિક્રમ સંવત ૧૦૮ માં જાવડ શેઠે તેરમો ઉદ્ધાર કર્યો. (૧૪) પાંડવો અને જાવડશેઠની વચ્ચે બે ક્રોડ પંચાણુ લાખ અને પંચોતેર હજાર સંઘપતિ થયા. તે પછી સંવત ૧૨૧૩ ના વર્ષમાં શ્રીમાળી બાહડદેવે ચૌદમો ઉદ્ધાર કર્યો. (૧૫) સંવત ૧૩૭૧ ના વર્ષમાં શ્રી રત્નાકરસૂરિના ભક્ત ઓસવાલ શ્રેષ્ઠી સમરાશા કે જે બાદશાહના પ્રધાન હતા તેણે પંદરમો ઉદ્ધાર કર્યો. (૧૬) સમરાશા શેઠે નવ લાખ બંદીવાનોને સોનૈયાઓ આપીને મુકાવ્યા હતા. સંવત ૧૫૮૭ ના વર્ષમાં બાદશાહ બહાદુરશાહને માન્ય શેઠ કરમાશાહે સોળમો ઉદ્ઘાર કર્યો. તે સાંપ્રતકાળે ભવ્યજીવોથી વંદાય છે. (૧૭) હવે છેલ્લો ઉદ્ધાર દુપ્પસહસૂરિના શ્રાવક વિમલવાહન રાજા કરશે. ૧ ચૌદ લાખ મોક્ષે ને એક સર્વાર્થસિદ્ધે, પાછા ચૌદ લાખ મોક્ષે ને એક સર્વાર્થસિદ્ધે એ પ્રમાણે જુદી જુદી ઘણી શ્રેણીઓ વસુદેવહિંડીમાં તથા સિદ્ધદંડિકામાં બતાવેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy