SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૨] શ્રી જિનભક્તિનું ફળવિઘાન ૧૧૫ પુનઃ શ્રી જિનેશ્વરને વંદન કરું તો પછી ઇંદ્ર શું કરવાનો છે? તેની બાહ્ય સમૃદ્ધિને મારા અંતરંગ બળથી હણી નાખું, કેમકે અવિરતિ ગુણસ્થાનકે રહેલો આ ઇંદ્ર કદાપિ પણ આ ભવમાં સંયમસમૃદ્ધિમય આત્માએ કરી પ્રભુને વાંદવા સમર્થ નથી, તેથી તે પોતાની સમૃદ્ધિ વડે મને વાંદે–સ્તવે એમ કરું.” આવો વિચાર કરી પ્રભુની દેશનાથી અંતરમાં પ્રતિબોધ પામેલા દશાર્ણભદ્ર રાજાએ રાજ્યસંપત્તિ વગેરેને ક્ષણવિનશ્વર માની તત્કાળ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જોઈ વિસ્મય પામેલા ઇંદ્રે તે રાજર્ષિને વંદના કરીને કહ્યું–“હે મહાસત્ત્વ! તમે આવા પરાક્રમથી મને જીતી લીધો છે, તો બીજાઓની તો તમારી પાસે શી વિસાત છે? હું તમને વારંવાર ખમાવું છું. આ તમારો મૂચ્છનો ત્યાગ કોઈ અદ્ભુત છે. હું તો વિષયલંપટ છું, જેથી તમને જીતવા સમર્થ નથી. તમે તો નિઃસ્પૃહ અને માયારહિત છો. તમે મને ઘર્મઆશિષ આપો કે જેથી આગામી ભવે અલ્પ કાળમાં મારા સંસારનો પાર આવી જાય.” આ પ્રમાણે દશાર્ણ રાજર્ષિની સ્તુતિ કરીને ઇંદ્ર સ્વર્ગે ગયા. દશાર્ણ મુનિ પણ ઘણા પ્રકારનાં તપ કરી કર્મ ખપાવીને મોક્ષે ગયા. “એવી રીતે જે અંતરની સમૃદ્ધિવાળો સુશ્રાવક અહંકાર છોડી ભક્તિપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરે છે તે જ આ જગતમાં ઉત્તમ છે.” વ્યાખ્યાન ૧૮૨ શ્રી જિનભક્તિનું ફળવિધાન नरत्वं प्राप्य दुःप्राप्यं, कुर्वन्ति भरतादिवत् । तीर्थंकरार्चनं भक्तिं, तेषां स्यात् शाश्वतं यशः॥१॥ ભાવાર્થ-“જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરી ભરતાદિકની જેમ તીર્થકર ભગવંતની પૂજા અને ભક્તિ કરે છે તેમને શાશ્વત (અક્ષય) કીર્તિ પ્રાપ્ત થાય છે.” અહીં ભરત એટલે શ્રીયુગાદિ પ્રભુના પુત્ર સમજવા અને આદિ શબ્દથી સગર રાજા વગેરેનું ગ્રહણ કરવું. ભરતાદિકની કથા (શત્રુંજય તીર્થ પરના ઉદ્ધારોનું વર્ણન) (૧) શ્રી વિનીતા નગરીના ઉદ્યાનમાં એક વખતે ભરત ચક્રીએ પ્રથમ તીર્થકરને નમી આ પ્રમાણે પૂછ્યું-“હે સ્વામી! પૂર્વે જે તીર્થમાં તમે નવાણું પૂર્વ સુધી સમવસર્યા છો તે તીર્થ શું શાશ્વત છે?” પ્રભુએ કહ્યું-“હે ભરત! એ સિદ્ધાચલ ગિરિ પહેલા આરામાં એંશી યોજન, બીજા આરામાં સિત્તેર યોજન, ત્રીજા આરામાં સાઠ યોજન, ચોથા આરામાં પચાસ યોજન, પાંચમાં આરામાં બાર યોજન અને છઠ્ઠા આરામાં સાત હાથના પ્રમાણવાળો થાય છે; તેથી એ તીર્થ શાશ્વતપ્રાય છે. અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં તેની હાનિ વૃદ્ધિ થયા કરે છે.” આ પ્રમાણે સાંભળી ભરત ચક્રી સંઘ લઈ મોટા ઉત્સવ સાથે તે તીર્થે ગયા અને ત્યાં ઇંદ્રના વચનથી તે પહેલા સંઘપતિએ રત્નસુવર્ણમય ચોરાશી મંડપોથી અલંકૃત રૈલોક્યવિભ્રમ નામે એક પ્રાસાદ કરાવ્યો. તે એક કોશ ઊંચો, દોઢ કોશ વિસ્તીર્ણ અને હજાર ઘનુષ પહોળો હતો. પછી તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy