SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૩ [તંભ ૧૩ ભાવાર્થ-“જગતના આઘારરૂપ શ્રી વિરપ્રભુને જે પુરુષો હમેશાં સ્તવે છે તેઓ દશાર્ણભદ્રની જેમ આ વિશ્વમાં પોતાના અર્થવાદ (યશ)ને વિસ્તારે છે.” દશાર્ણભદ્રની કથા દશાર્ણ નામના દેશમાં દશાર્ણનગરને વિષે દશાર્ણભદ્ર નામે રાજા હતો. તે પાંચસો રાણીઓની સાથે પોતાના અંતઃપુરમાં સુખવિલાસ ભોગવતો હતો. એક વખતે સેવકે આવીને સંધ્યાકાળે જણાવ્યું કે “હે સ્વામી! પ્રાતઃકાળે વિશ્વના સ્વામી શ્રી વીરપરમાત્મા આપણા ઉદ્યાનમાં પધારશે.” તે સાંભળી રાજા રોમાંચિત થઈને બોલ્યો-“પૂર્વે પ્રભુને કોઈએ વાંદ્યા નથી તેવી રીતે પ્રભાતે હું વંદના કરીશ.” આ પ્રમાણે અહંકારથી પૂર્ણ થઈ પ્રાતઃકાળે સુવર્ણની, રૂપાની અને દાંતની પાંચસો પાલખીઓમાં અંતઃપુરીઓને બેસાડી મોટી ઋદ્ધિ સહિત તે શ્રી વિરપ્રભુને વાંદવા માટે નીકળ્યો. તેની સાથે અઢાર હજાર હાથીઓ, ચોવીશ લાખ ઘોડા, એકવીશ હજાર રથ અને એકાણું કરોડ પેદલ, એક હજાર સુખપાલ અને સોળ હજાર ધ્વજાઓ હતી. આવા મોટા આડંબર સાથે સમવસરણ સમીપે આવી, હસ્તી ઉપરથી ઊતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક તેણે પ્રભુને વંદના કરી. એ અવસરે સૌઘર્મ દેઢે અવધિજ્ઞાન વડે તે વાત જાણી, તે રાજાનું અભિમાન ઉતારવા સારુ, શ્રી વીરપ્રભુને વંદના કરવા માટે આવતાં, પોતાની દિવ્ય ઋદ્ધિ વિકુર્તી. પાંચસો ને બાર બાર કુંભસ્થળવાળા ચોસઠ હજાર હાથીઓ વિદુર્થી. તેના દરેક મસ્તકમાં આઠ આઠ દંકૂશળ, પ્રત્યેક દંકૂશળે આઠ આઠ વાવો, પ્રત્યેક વાવમાં આઠ આઠ કમળો, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીઓ અને પ્રત્યેક પાંખડીઓ બત્રીશ બત્રીશ નાટકો વિદુર્થી. દરેક કમળની મધ્યમાં કર્ણિકાના ભાગ ઉપર એક એક ઇંદ્રપ્રાસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઇંદ્ર પોતે બેઠો. આવી મહાન સમૃદ્ધિ સાથે ઇંદ્ર પ્રભુને વાંદવા આવ્યો. પૂર્વાચાર્યોએ દરેક હસ્તીનાં મુખાદિકની સંખ્યા આ પ્રમાણે કહેલી છે–દરેક હાથીને પાંચસો ને બાર મુખ, ચાર હજાર અને છન્નુ દંકૂશળ, બત્રીશ હજાર સાતસો ને અડસઠ વારિકાઓ, બે લાખ બાસઠ હજાર એકસો ને ચુંમાળીશ કમળો, તેટલા જ તે કમળોની કર્ણિકા ઉપર પ્રાસાદો અને વિશ લાખ સત્તાણું હજાર એકસો ને બાવન ઇંદ્રાણીઓ તથા છવીસસો એકવીશ ક્રોડ ને ચુંમાળીશ લાખ કમળની પાંખડીઓ-આ પ્રમાણે એક હસ્તી માટે સમજી લેવું. તેવા ૬૪૦૦૦ હાથી હોવાથી તે પરના ઇંદ્ર વગેરેની સર્વ સંખ્યા પોતાની મેળે ગણી લેવી; અને તેમાં રહેલા ઇંદ્રાણીઓની સંખ્યા તેર હજાર ચારસો ને એકવીશ ક્રોડ સિત્યોતેર લાખ અને અઠ્યાવીશ હજારની જાણવી. એક એક નાટકમાં સરખે સરખાં રૂપ, શૃંગાર અને નાટ્યનાં ઉપકરણોવાળાં એકસો ને આઠ આઠ દિવ્ય-કુમારો અને એકસો ને આઠ આઠ દિવ્ય કન્યાઓ જાણવી. આવી મોટી ઋદ્ધિ સહિત આવીને ઇંદ્ર પૃથ્વી પર મસ્તક નમાવી પ્રભુના ચરણમાં વંદના કરી. દશાર્ણભદ્રરાજા ઇંદ્રની આવી સમૃદ્ધિ જોઈ આશ્ચર્યથી ચિંતવન કરવા લાગ્યો કે “અહો! ઇંદ્રની સમૃદ્ધિનો વિસ્તાર કેવો છે? તેની આગળ મારી સમૃદ્ધિ તો તુચ્છ છે, તેથી મેં વૃથા અહંકાર કર્યો. ઇંદ્રના એક હાથી જેટલી પણ મારી સંપત્તિ નથી. અહો! આ ઇંદ્ર જરૂર મારા અભિમાનરૂપ મુખને લપડાક લગાવીને વાંકું કરી દીધું છે, માટે હવે હું અંતરની સમૃદ્ધિ પ્રગટ કરું અને તે વડે ૧ કમળની પાંખડીઓની અને ઇંદ્રાણીઓની સંખ્યા કેમ બની તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy