SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તંભ ૧૩) ગ્રંથ મધ્યમંગલ મંગલાચરણ (જિનસ્તુતિ) " उत्कृष्टकाले विजयेष्वभूवन्, षष्ट्युत्तराश्चंद्रशतारिहंताः । दिक्क्षेत्रजाः कालत्रिकेण गुण्या, विंशत्यरिघ्नाश्च शतानि सप्त ॥१॥ सीमंधराद्या विहरंति ये च, विदेहजा विंशतितीर्थनाथाः । कल्याणकानि वृषभादिकानां विंशत्यथाग्रैकशतानि चात्र ॥२॥ श्रीवारिषेणो वृषभाननश्च, चंद्राननार्हत्प्रभुवर्द्धमानः । एतच्चतुःशाश्वतमूर्त्तयश्च, संत्यूर्ध्वलोकादिषु ताः स्तवीमि ॥३॥ एतज्जिनव्यूहमनंतरोक्तं, शत्रुंजयास्तु सहस्रकूटे | न्यस्तं स्तुतं तत्प्रददातु नित्यं ज्ञानं समाध्युद्यममुत्तमं मे ॥४॥ ભાવાર્થ “ઉત્કૃષ્ટ કાલને† વિષે પાંચ મહાવિદેહક્ષેત્રના ૧૬ વિજયમાં એક સો ને સાઠ તીર્થંકરો થાય છે તેમને, તથા પાંચ ભરત અને પાંચ એરાવત મળી દશ ક્ષેત્રમાં થતી દશ ચોવીશીના બસો ને ચાળીશ જિન થાય તેને ત્રણે કાળની ત્રણ ત્રણ ચોવીશી લેવા માટે ત્રણગુણા કરવાથી સાતસો ને વીશ જિનેશ્વર થાય છે તેમને, તથા મહાવિદેહ ક્ષેત્રને વિષે સીમંધર સ્વામી વગેરે જે વીશ તીર્થંકરો હાલ વિચરે છે તેમને, અને ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરોના એકસો ને વીશ કલ્યાણક છે તેમને, તેમ જ શ્રી વારિપેણ, શ્રી વૃષભાનન, શ્રી ચંદ્રાનન અને શ્રી વર્ધમાન પ્રભુ એ ચાર નામવાળી શાશ્ર્વત મૂર્તિઓ ઊર્ધ્વ લોક વગેરેમાં શાશ્રુતા સિદ્ધાયતનમાં રહેલી છે તેમને સ્તવું છું. આ ત્રણ શ્લોકમાં કહેલો ૧૦૨૪ જિનેશ્વરનો સમૂહ શત્રુંજય ગિરિ ઉપરના સહસ્રકૂટમાં સ્થાપિત કરેલો છે તે મને જ્ઞાન, સમાધિ અને ઉત્તમ ઉદ્યમ આપો.” (આ ૧૦૨૪ તીર્થંકરોની નામાવળી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ છપાવેલ છે.) પૂર્વના બાર સ્તંભોમાં સમ્યક્ત્વ અને બાર વ્રતો વર્ણવેલાં છે. તેવાં સમકિત અને વ્રતવાળો પુરુષ જિનભક્તિમાં તત્પર હોય છે, તેથી એ સંબંધથી આવેલા શ્રી જિનભક્તિના ફળને હવે હું સ્તવું છું (કહું છું). ભાગ ૩-૮ Jain Education international વ્યાખ્યાન ૧૮૧ જિનભક્તિ श्रीवीरजगदाधारं, स्तुवंति प्रत्यहं नरः । तेऽर्थवादं वितन्वंति, विश्वे दशार्णभद्रवत् ॥ १॥ ૧ જ્યારે મનુષ્યક્ષેત્રમાં મનુષ્યો સર્વથી વિશેષ સંખ્યામાં હોય ત્યારે ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે. શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ કાળ હતો. તે વખતે પાંચ મહાવિદેહમાં ૧૬૦ પ્રભુ વિચરતા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy