SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ હકીકત પ્રભુના મુખથી જાણીને પ્રશ્ન કર્યો કે હે સ્વામી! એક સાથે ઉત્કૃષ્ટા વિહાર કરતા એવા જિનેશ્વર ભગવંત કેટલા હોય છે?” પ્રભુ બોલ્યા—હે ચક્રવર્તી! આ મનુષ્યક્ષેત્રને વિષે પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. એક એક મહાવિદેહમાં બત્રીશ બત્રીશ વિજય છે, તેથી બત્રીશને પાંચગુણા કરીએ ત્યારે એકસો સાઠ વિજય થાય, તેમાં પાંચ ભરત અને પાંચ એરવતક્ષેત્ર મેળવતાં એકસો ને સિત્તેર ક્ષેત્રો થાય છે. ઉત્કૃષ્ટ કાળે એ સર્વ ક્ષેત્રોમાં મળીને એક સાથે ૧૭૦ જિનેશ્વર ભગવંત વિચરતા હોય છે.’ ચક્રવર્તીએ પુનઃ પૂછ્યું–‘સ્વામી ! હાલ ભરતક્ષેત્રને વિષે કોઈ ચક્રવર્તી કે કેવળી છે કે નહીં?’ પ્રભુ બોલ્યા-‘હે ચક્રવર્તી! ભરતક્ષેત્રમાં અધુના કૂર્માપુત્ર નામે એક કેવળી ગૃહવાસમાં રહેલા છે, તે પોતાના માતાપિતાને પ્રતિબોધ કરવા માટે જ ગૃહસ્થાવાસમાં રહ્યા છે.’ પછી તે ચાર ચારણ મુનિઓએ પૂછ્યું–‘ભગવન્! અમને કેવળજ્ઞાન ક્યાં થશે?' જિનેશ્વર બોલ્યા—‘કૂર્માપુત્રની સમીપે તમને કેવળજ્ઞાન થશે.' એ પ્રમાણે સાંભળી ચારે વિદ્યાધર મુનિ કૂર્માપુત્રની પાસે આવ્યા અને ત્યાં મૌન ધરીને રહ્યા; એટલે કૂર્માપુત્ર કેવળીએ તેમને કહ્યું–‘તમે ભગવંતના વચનથી અહીં આવ્યા છો, પણ તમે તમારા પૂર્વભવનું સ્વરૂપ આ પ્રમાણે અનુભવ્યું છે.' એમ કહી તેમના પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ તેમને જાતિસ્મરણ થયું અને તત્કાળ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા, તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ પાછળ જિનેશ્વર ભગવંતની પાસે આવી કેવલી હોવાથી વાંદ્યા વગર બેઠા. એટલે ઇંદ્રે પૂછ્યું-‘ભગવન્! આ ચારે મુનિ આપને વાંદ્યા વગર કેમ બેઠા?” પ્રભુ બોલ્યા—તેઓ કૂર્માપુત્રના મુખથી સ્વાનુભૂત પૂર્વભવનું સ્વરૂપ જાણી કેવળી થયા છે.’ પુનઃ ઇંદ્રે પૂછ્યું–‘ભગવન્! તે કૂર્માપુત્ર ક્યારે દીક્ષા લેશે?’ પ્રભુ બોલ્યા–‘આજથી સાતમે દિવસે તે દ્રવ્યથી સંયમ સ્વીકારશે.’ અહીં કૂર્માપુત્ર સાતમે દિવસે માતાપિતાને પ્રબોઘી પોતે લોચ કર્યો અને મુનિવેશ સ્વીકાર્યો. દેવતાઓએ સુવર્ણકમળ રચ્યું. તેની ઉપર બેસી ઘર્મદેશનાથી અનેક જીવોને પ્રતિબોધ પમાડી તેઓ અનુક્રમે સિદ્ધિસુખને પ્રાપ્ત થયા. સિદ્ધાંતમાં કહ્યું છે કે જઘન્યથી બે હાથ પ્રમાણવાળો પુરુષ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો પુરુષ સિદ્ધિને પામે છે. ‘‘સુવર્ણ, રૂપું, મણિ અને રત્નોથી ભરપૂર, નૃત્ય, ગીત અને યુવતીઓથી રમણીય એવા ભુવનમાં પણ જેનું મન લુબ્ધ થયું નહીં તેવા ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાની થયેલા કૂર્માપુત્રની અમે સ્તુતિ કરીએ છીએ.’’ || દ્વાદશ સ્તંભ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy