SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૮૦] શ્રાવક ધર્મનું સ્વરૂપ ૧૧૧ તેમને તે વનની ભદ્રમુખી નામે યક્ષિણીએ પૂછ્યું–‘મારા પૂર્વભવના સ્વામીની શી ગતિ થઈ છે?’ જ્ઞાની બોલ્યા—‘તારા પૂર્વ ભવનો સ્વામી આ નગરના રાજાનો પુત્ર થયો છે.' તે સાંભળી પૂર્વભવના રૂપથી લોભાઈને તે યક્ષિણી કુમારને પોતાના ભુવનમાં લઈ ગઈ. દેવીએ પૂર્વભવનું સ્વરૂપ કહી સંભળાવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તેથી તેઓ પરસ્પર પ્રેમી થયા. યક્ષિણીએ પોતાની શક્તિથી તેના દેહને સુગંધી કરી પોતાના ભોગને યોગ્ય કર્યો. દુર્લભકુમારના માતાપિતાએ ગુરુના જ્ઞાનથી તેની શોધ મેળવી. પછી અનુક્રમે તેમણે દીક્ષા ગ્રહણ કરી. યક્ષિણીએ અવધિજ્ઞાન વડે પોતાના પતિનું આયુષ્ય થોડું જાણી તેને તે જ વનમાં કેવળીની પાસે મૂકી દીધો. ત્યાં કેવળીના મુખથી તેણે આ પ્રમાણે દેશના સાંભળી—‘જેમ લીંબડાનો કીડો લીંબડાના કડવા રસને પણ મધુર જાણે છે, તેમ સિદ્ધિના સુખથી અજાણ એવા પ્રાણીઓ સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે.” આવી દેશના સાંભળી સભામાં રહેલા પોતાના માતાપિતાને કંઠે વળગી દુર્લભકુમાર વિલાપ કરવા લાગ્યો. એટલે ગુરુએ પ્રતિબોધ આપ્યો કે “જે મનુષ્ય દુર્લભ એવો મનુષ્યભવ પામીને ધર્મને વિષે પ્રમાદ કરે છે તે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને સમુદ્રમાં ફેંકી દે છે.’” ઇત્યાદિ દેશના સાંભળવાથી દેવીને સમકિત પ્રાપ્ત થયું અને કુમારે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે કુમાર અને તેનાં માતાપિતા મહાશુક્ર નામે દેવલોકે દેવતા થયાં. ,, પેલી યક્ષિણી ત્યાંથી ચવીને ભ્રમર રાજાની વેશાલિકા નામે રાણી થઈ. ત્યાં તે દંપતી ધર્મિષ્ઠ થઈને સ્વર્ગે ગયાં. દુર્લભકુમારનો જીવ દેવલોકમાંથી ચવીને રાજગૃહી નગરીમાં મહીંદ્ર નામના રાજાની કૂર્મા રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. શુભ દિવસે શુભ લગ્નમાં તેનો જન્મ થયો. દોહદને અનુસારે તેનું ધર્મદેવ એવું નામ પાડ્યું. તે પૂર્વભવે બાળકોને પોટલાની જેમ બાંધી આકાશમાં ઉછાળી કંદુક ક્રીડા કરતો હતો, તેથી આ ભવમાં તેનું શરીર બે હાથના પ્રમાણવાળું વામન થયું અને લોકમાં કૂર્મપુત્ર એવું નામ પ્રખ્યાત થયું. કૂર્માંપુત્રને યૌવન વયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતી હતી, તથાપિ તે મનથી વિરક્ત હતો. એક વખતે કોઈ મુનિના મુખથી સિદ્ધાંતના પાઠ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપી ઇંઘનને બાળી નાખીને તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તે મહાશયે વિચાર્યું કે ‘‘જો હું હમણા ચારિત્રને ગ્રહણ કરીશ તો મારા માતાપિતા શોકથી મૃત્યુ પામશે, માટે તેમને પ્રતિબોધ કરવા અજ્ઞાતવૃત્તિએ (કેવળજ્ઞાન થયાનું ન જાણે તેમ) ગૃહવાસમાં રહેવું યોગ્ય છે.’’ આ પ્રમાણે વિચારી તે ગૃહવાસમાં રહ્યા. તેમને માટે કહેલું છે કે “કૂર્માપુત્રના જેવો બીજો કોણ ધન્ય છે કે જે માતાપિતાને પ્રતિબોધ પમાડવાને અર્થે કેવળી થયા છતાં પણ ન્યાયવૃત્તિથી ગૃહવાસમાં રહ્યા હોય?’’ આ અરસામાં બાકીના ચારે જીવો સ્વર્ગથી ચવીને વૈતાઢ્ય પર્વત ઉપર ખેચર થયા. તેઓએ સાંસારિક સુખ ભોગવી કોઈ ચારણમુનિની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ મહાવિદેહક્ષેત્રને વિષે જિનેશ્વરને વાંદવા ગયા. ત્યાં પ્રભુ દેશના આપતા હતા તેમને વંદના કરીને તેઓ બેઠા. તે વખતે સભામાં બેઠેલા ચક્રવર્તીએ વૈતાઢ્યથી આવેલા તે ચાર મુનિઓ સંબંધી ૧. દુર્લભકુમારના પૂર્વભવના માતા-પિતા અને ભ્રમર રાજા અને વેશાલિકા રાણી—આ ચારે જીવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy