SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ તથા વાહનનું પોષણ કરીશ, બીજા ભાગ વડે અંતઃપુરનો નિર્વાહ કરીશ, ત્રીજા ભાગ વડે ભંડારની પુષ્ટિ કરીશ અને ચોથા ભાગ વડે દાનશાળા વગેરે ઘર્મકાર્ય કરીશ.” આ પ્રમાણે ઘર્મને સ્વીકારી પ્રદેશી રાજા ઘેર આવ્યો અને તે શ્રમણોપાસક થઈને રહ્યો. કામભોગમાં અનાસક્ત એવા રાજાને જાણી તેની રાણી સૂર્યકાંતા તેને મારી નાખવાનો ઉપાય ચિંતવવા લાગી. તેણે પોતાના પુત્ર સૂર્યકાંતને કહ્યું કે “તારા પિતા દેશ, મુલક અને રાજ્યની બિલકુલ ચિંતા કરતા નથી, તે શ્રાવક થઈને ફરતા ફરે છે; તેથી શસ્ત્ર, મંત્ર, વિષ કે અગ્નિના પ્રયોગથી તું તેને મારી નાખીને રાજ્ય લઈ લે. કોહેલા પાનને કાઢી નાખવું એ ન્યાય છે. આ પ્રમાણેનાં પોતાની માતાનાં વચન સાંભળી કુમાર મૌન ઘરી રહ્યો. તે જોઈ રાણીએ વિચાર્યું કે “આ પુત્ર નમાલો છે, આને મેં ગુપ્ત ભેદ (વિચાર) કહી નાખ્યો, પણ આ જરૂર મંત્રભેદ કરશે.” એવું ચિંતવી તેણે છળ શોધી ભોજનમાં વિષ નાખીને પ્રદેશી રાજાને ભોજન કરાવ્યું. તેનાથી રાજાને અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. એ કૃત્ય પોતાની રાણીનું છે એમ તેના જાણવામાં આવ્યું, તથાપિ તેણે તેના પર કોપ કર્યો નહીં. સ્વયમેવ પૌષઘાગારમાં જઈ, દર્ભના સંથારા ઉપર પૂર્વાભિમુખે બેસી, શક્રસ્તવ (નમુત્થણં) ભણી, મનમાં પોતાના ઘર્માચાર્યને સંભારી, જાવજીવ સુઘી સર્વ પાપસ્થાનોને વોસિરાવી, સમાધિ વડે કાળઘર્મ પામ્યો: હે ગૌતમ! ત્યારી મરીને તે પરદેશી રાજા પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.” માત્ર ઓગણચાળીશ દિવસ શ્રાવકવ્રત પાળવાથી સાડાબાર લાખ યોજનાના વિસ્તારવાળા વિમાનને વિષે તે મહર્દિક દેવતા થયો. તેણે પ્રદેશ રાજાના ભવમાં માત્ર તેર છઠ્ઠ કરી તેરમા છઠ્ઠને પારણે સંથારો કર્યો હતો. “દેવપણે ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાને કરી પોતાને સમકિત પ્રાપ્ત થવાના પૂર્વવૃત્તાંતને જાણી તે સૂર્યાભદેવ પૃથ્વી પર આવ્યો અને ભગવંત પાસે નાટક કર્યું. અનુક્રમે દેવગતિમાં ચાર પલ્યોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચવી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈને મોક્ષે જશે.” વ્યાખ્યાન ૧૮૦ શ્રાવક ધર્મનું સ્વરૂપ હજુ શ્રાવક ઘર્મનું વર્ણન કરે છે. गृहेऽपि संवसन् कश्चित्, श्रावको निःस्पृहाग्रणीः । कूर्मापुत्र इवाप्नोति, केवलज्ञानमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-બકોઈ શ્રાવક ઘરમાં રહેતાં છતાં પણ જો નિઃસ્પૃહના અગ્રેસરપણે વર્તે તો, કૂર્મપુત્રની જેમ, તે ઘરમાં પણ ઉજ્જવલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.” કુર્માપુત્રની કથા દુર્ગમપુરમાં દ્રોણ નામે રાજા હતો. તેને કુમાદેવી નામે રાણી હતી. તેમને દુર્લભકુમાર નામે પુત્ર થયો હતો. તે રાજ્ય અને યૌવનના મદથી બીજા ઘણા કુમારોને દડાની જેમ આકાશમાં ઉછાળી હમેશાં ક્રીડા કરતો હતો. એક વખતે તે નગરના ઉદ્યાનમાં કોઈ એક કેવળી સમવસર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy