SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ સુખ કેમ કહેતી નથી? તેમ ‘હે પુત્ર! તારે પુણ્ય કરવું' એવી ભલામણ કેમ કરતી નથી? એ ઉપરથી સિદ્ધ થાય છે કે પરલોક નથી અને પુણ્ય પણ નથી. (૨) વળી કોઈ એક ચોરને મેં લોઢાની કોઠીમાં ઘાલ્યો હતો, તે તેમાં મૂંઝાઈને મરી ગયો. પછી કોઠી જોતાં તેમાં કોઈ ઠેકાણે છિદ્ર જોવામાં આવ્યું નહીં, તો તેનો જીવ ક્યાંથી નીકળી ગયો? (૩) વળી તેના મૃતશરીરમાં કીડા પડેલા જોવામાં આવ્યા અને તેમને પેસવાનું છિદ્ર જોવામાં આવ્યું નહીં, તેથી પ્રવેશ કરનાર કે નીકળનાર કોઈ જીવ છે જ નહીં. (૪) વળી બધા જીવ સરખા નથી તેનું શું કારણ? એમ તમે કહેશો; પણ કોઈનું બાણ દૂર જાય છે અને કોઈનું બાણ નજીક પડે છે. તેવી રીતે બધા જીવ સરખા નથી, પણ તેમાં કાંઈ કર્મનું કારણ નથી. (૫) વળી હે આચાર્ય! મેં એક ચોરને જીવતો તુલાએ ચડાવ્યો અને મરણ પામ્યા પછી પણ ચડાવ્યો તો ભાર સરખો થયો; તેથી જો જીવ હોય તો જીવતાં ભારે અને મરણ પામ્યા પછી હલકો કેમ ન થયો? તેથી જીવ સંબંધી ચિંતા કરવી એ વૃથા છે. (૬) વળી હૈ આચાર્ય! એક ચોરના મેં કકડેકકડા કરી જોયા, તથાપિ તેના શરીરના કોઈ પ્રદેશમાં જીવ જોવામાં આવ્યો નહીં. (૭) વળી હે પ્રભુ! જેમ ઘડા વગેરે પદાર્થો પ્રત્યક્ષ જોવામાં આવે છે તેમ જીવ હોય તો તે કેમ જોવામાં આવતો નથી? (૮) વળી કુંથુવાના અને હાથીના શ૨ી૨માં સરખો જીવ હોય તો તે કુંથવાનું શરી૨ નાનું કેમ? અને હાથીનું શરીર મોટું કેમ? (૯) વળી હે સૂરિરાજ! અમારા કુળક્રમથી જે નાસ્તિક મત ચાલ્યો આવે છે તે મારાથી કેમ છોડી દેવાય? (૧૦)’ આ પ્રમાણે પ્રદેશી રાજાના પ્રશ્નો સાંભળી ગુરુમહારાજાએ ઉત્તર આપ્યો કે—“હે રાજા! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જોઈ હોય અને તે પુરુષને બાંધીને કોટવાળને મારવા સોંપ્યો હોય તે વખતે તે પુરુષ કહે કે ‘હે રાજા! મને મારા પુત્રને મળવા માટે ઘેર જવા દો' તો તમે તેનું વચન માનશો?’’ પ્રદેશી રાજા બોલ્યો—‘હે આચાર્ય! એવા અપરાધીનું વચન કેમ મનાય?' ગુરુ બોલ્યા– ‘ત્યારે નરકમાં રહેલા પરમાધામીઓ તને મળવા આવવા માટે તારા પિતાને શી રીતે છોડે? (૧) વળી સાંભળ, હે રાજા! સંડાસમાં રહેલો અંત્યજ (ચંડાળ), સભામાં બેસીને નાયિકાઓનું ગાયન સાંભળતાં અને પુષ્પમાળા ધારણ કરતાં એવા તને બોલાવે તો તું શું તેની પાસે જાય?” રાજાએ કહ્યું–‘આચાર્ય મહારાજ! તેવે વખતે એવો આનંદ છોડીને તેની પાસે શી રીતે જવાય?’ ગુરુ બોલ્યા−‘ત્યારે સભા સદૃશ સ્વર્ગલોકમાં રહેલી તારી માતા જે પ્રબળ સુખ ભોગવતાં હોય તે સંડાસ જેવા આ મનુષ્યલોકમાં તને મળવા કે સમજાવવા શી રીતે આવે? (૨) વળી સાંભળ, ભોંયરામાં શંખ વગાડે ત્યારે તેનો નાદ બહાર સંભળાય છે, પણ તે સ્વરને નીકળવાનું છદ્ર જોવામાં આવતું નથી; તેવી રીતે લોઢાની કોઠીમાંના જીવની ગતિ પણ જાણી લેવી. (૩) વળી લોઢાનો ગોળો અગ્નિમાં મૂકવાથી તે અગ્નિમય થઈ જાય છે, પણ તેમાં અગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy