SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતોના અલ્પ પાલનથી પણ સુખ પરદેશી રાજાની કથા એકદા આમલકલ્પ નામના ઉદ્યાનમાં શ્રી વીરપ્રભુ સમવસર્યા. તે સમયે નવા ઉત્પન્ન થયેલા સૂર્યાભદેવે સ્વર્ગમાંથી આવી વીરપ્રભુને નમી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે—‘હે સ્વામી! ગૌતમ વગેરેને નવીન નાટક દેખાડવા મને આજ્ઞા આપો.' આ પ્રમાણે તેણે ત્રણ વાર વિજ્ઞપ્તિ કરી, તથાપિ સ્વામી મૌન ધરી રહ્યા. એટલે તેણે તે કાર્યમાં સંમતિ માની લીધી; કારણ કે ‘નિષેધે અનુજ્ઞા’ એવું વચન છે. પછી ઈશાનિર્દેશામાં જઈ તે દેવતાએ પોતાની બે ભુજામાંથી ૧૦૮ દેવ અને ૧૦૮ દેવીઓ વિકુર્તી બત્રીશ પ્રકારનાં નાટક દેખાડ્યાં. પછી તે મહાન્ ઋદ્ધિવાળો સૂર્યાભદેવ વિદ્યુતની જેમ ઉત્પતીને પોતાને સ્વર્ગે ચાલ્યો ગયો. વ્યાખ્યાન ૧૭૯] તે વખતે બીજા લોકોને પ્રતિબોધ પમાડવાની ઇચ્છાએ ગૌતમે શ્રી વીરપ્રભુને પૂછ્યું–‘આ દેવતા કોણ હતો? અને તેને આટલી બઘી સમૃદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ?' ત્યારે જ્ઞાતપુત્ર શ્રી વીરપ્રભુ બોલ્યા-‘હે ગૌતમ! શ્વેતાંબી નગરીમાં પ્રદેશી નામે એક નાસ્તિક રાજા હતો. તેને સૂર્યકાંતા નામે સ્ત્રી અને સૂર્યકાંત નામે પુત્ર હતો, તથા ચિત્ર નામે પ્રધાન હતો. એક વખતે તે મંત્રી રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા પાસે ગયો હતો. ત્યાં કેશી નામે ગણઘર પધારેલા હોવાથી તે તેમને વાંદવા ગયો અને તે ચતુર્લાની મુનિ પાસે ગૃહસ્થઘર્મ (બાર વ્રત) અંગીકાર કરી, શ્વેતાંબી નગરીએ પધારવાની વિજ્ઞપ્તિ કરીને તે પાછો શ્વેતાંબીએ આવ્યો. કેશી ગણધર વિહાર કરતાં કરતાં અનુક્રમે શ્વેતાંબી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનપાલક પાસેથી ગુરુનું આગમન જાણી મંત્રીએ વિચાર્યું કે ‘હું મંત્રી છતાં મારા સ્વામી (રાજા) નરકે જાય તે યોગ્ય ન કહેવાય, માટે આજે કાંઈ મિષ કરીને હું રાજાને ગુરુની વાણી સંભળાવું અને તેમ કરીને રાજાનો અટ્ટણી થાઉં.' આવો વિચાર કરી ચિત્રમંત્રી ઘોડા ખેલાવવાનો મિષ કરી પ્રદેશી રાજાને જ્યાં સૂરિ હતા તે પ્રદેશમાં લઈ ગયો. રાજા શાંત થઈ વૃક્ષની છાયા નીચે બેઠો. એટલે દૂરથી ગુરુની દેશના સાંભળવામાં આવી. તે સાંભળી રાજાએ ઉદ્વેગ પામી મુખ મરડી મંત્રી પ્રત્યે કહ્યું–‘આર્ત્ત જનની જેમ આ શું આરડે છે?” મંત્રી બોલ્યો-‘રાજન્! ત્યાં જવાથી તેનો નિશ્ચય થશે.’ પછી રાજાને તેમની સમીપે લઈ ગયો. એટલે રાજાએ આ પ્રમાણે દેશના સાંભળી— ૧૦૭ नानायुक्त्यर्थपेशलं । असद्वासनया जन्म, हारयंति मुधा हहा ॥ १ ॥ मूढास्तत्त्वमजानाना, 66 ‘નાના પ્રકારની યુક્તિઓવાળા અને અર્થથી કોમળ એવા તત્ત્વને નહીં જાણનારા પ્રાણીઓ ખોટી વાસનાઓ વડે પોતાનો મનુષ્યજન્મ વ્યર્થ ગુમાવી દે છે, એ મોટા ખેદની વાત છે.’ Jain Education International ઇત્યાદિ વાક્યો સાંભળી રાજાએ ઘોડા પર બેઠા બેઠા જ સૂરિવર્યને કહ્યું “હે વ્રતધારી! પરલોક, પાપ, પુણ્ય અને જીવ છે જ નહીં; કારણ કે મારા પિતા ઘણા પાપી હતા. તે પાપ કરીને નરકે ગયા હોય તો તેને હું ઘણો વહાલો હતો, તેથી ત્યાંથી આવીને મને કેમ કહે નહીં કે ‘પુત્ર! તારે પાપ ક૨વું નહીં, પાપથી નરકમાં દુઃખ ખમવું પડે છે.' તેથી પરલોક અને પાપ છે જ નહીં એમ સિદ્ધ થાય છે. (૧) વળી મારી માતા ઘણી દયાળુ હતી, તે સ્વર્ગે ગઈ હોવી જોઈએ; તો તે આવીને મને સ્વર્ગનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy