SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૮] મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ ૧૦૫ સમીપે પ્રણામ કરીને તે બેઠી, એટલે તેની માતા બોલી– વત્સ! આ કોની પુત્રી છે? તે બોલી–માતા! આ રૂપવતી નામે શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી છે. તે મને મળવા આવી છે.” આ સમયે જેઓએ રત્નચૂડનું સર્વ કરિયાણું લઈ લીધું હતું તે ઘૂર્ત વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા. તેઓએ બઘો વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુટ્ટિની બોલી–“આમાં તમારા સર્વ મનોરથો વ્યર્થ જશે, કાંઈ પણ લાભ થશે નહીં, કારણ કે તેની ઇષ્ટ વસ્તુથી વહાણ પૂરી આપવું તમે કબૂલ કરેલું છે, તો ઇચ્છા તો અનેક પ્રકારની થઈ શકે છે, તેથી તે કદી મચ્છરના અસ્થિથી વહાણ પૂરી આપવા કહેશે તો પછી તમે શું કરશો?” તેઓ બોલ્યા- તેનામાં તે બુદ્ધિ ક્યાંથી હોય? કારણ કે તે બાળક છે વળી પ્રથમ વયમાં છે.” કુટ્ટિની બોલી–“કોઈ બાળક છતાં બુદ્ધિમાન હોય છે અને કોઈ વૃદ્ધ છતાં મૂર્ખ હોય છે. તે સાંભળી તેઓ ચારે સ્વસ્થાને ગયા. થોડી વારે પેલો કારીગર હસતે મુખે આવી વેશ્યાને કહેવા લાગ્યો-“આ નગરમાં કોઈ શ્રેષ્ઠીપુત્ર આવેલો છે. તેને મેં બે શ્રેષ્ઠ ઉપાનહ ભેટ કર્યા છે. તેણે મને કહ્યું છે કે “હું તને ખુશી કરીશ.' તેથી જ્યારે હું તેનું સર્વસ્વ લઈ લઈશ ત્યારે જ ખુશી થઈશ.” તે સાંભળી અક્કા બોલી–“અરે કારીગર! કદી જો તને તે એવું પૂછશે કે “રાજાને ત્યાં પુત્રજન્મ થયો તેથી તું ખુશી છે કે નહીં?” કહે, ત્યારે તું શું કરીશ? અને પછી તારી શી ગતિ થશે?” આ પ્રમાણે સાંભળી તે પણ ચાલ્યો ગયો. પછી પેલો કાણો જુગારી આવ્યો. તેણે પણ પોતાની ધૂર્તતાની હકીક્ત વેશ્યા પાસે જણાવી. તે સાંભળી યમઘંટા હસીને બોલી–તેં તેને ઘન આપ્યું તે સારું કર્યું નહીં.' કાણો બોલ્યો-“કેમ?” ત્યારે ફરી અક્કા બોલી–“તે જો બીજા કોઈનું નેત્ર તારી આગળ મૂકશે ત્યારે તો તું એમ કહીશ કે “એ નેત્ર મારું નથી.” પણ તે સાંભળી તે તને એમ કહેશે કે “તેં જે એક નેત્ર મારા પિતાને ત્યાં ગીરો મૂક્યું છે તેની જોડનું બીજું નેત્ર તારી પાસે છે તે લાવ, એટલે બન્ને કાંટામાં મૂકીએ. જો તોલમાં સરખાં થાય તો આ નેત્ર તારે ગ્રહણ કરવું, નહીં તો નહીં.” આમ કહેશે તો પછી તું શું કરીશ?” ઘુતકાર બોલ્યો-“આવી બુદ્ધિની કુશળતા તમારામાં જ છે, તેનામાં નથી; તેથી તેનું સર્વસ્વ મારા હાથમાં આવેલું જ હું સમજું છું.” આ પ્રમાણે કહી તે ચાલ્યો ગયો. થોડીવાર પછી પેલા ચાર ધૂર્તોએ આવી પોતાની કથા કહી સંભળાવી. તે સાંભળી યમઘંટા બોલી–“આ પ્રપંચમાં તમને કાંઈ લાભ થાય એવું મારા જોવામાં આવતું નથી; કારણ કે તે એમ બોલશે કે “હું સમુદ્રના જળનું પ્રમાણ કરી આપું, પણ તમારે પ્રથમ તેમાં મળતી નદીઓનું જળ જુદું કરી દેવું પડશે. તો પછી તેમ કરવાને તમે અશક્ત છો, એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ હારી બેસશો.” તે સાંભળી તે ધૂર્તલોકો પ્લાન મુખ કરી પોતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રેષ્ઠીપુત્ર રત્નચૂડ આ બઘા યુક્તિવાળા ઉત્તર સાંભળી તે ચિત્તમાં ઠસાવી ત્યાંથી ઊઠીને રણઘંટા વેશ્યાપુત્રીની સાથે તેના ઘરમાં ગયો અને તેની આજ્ઞા લઈ પોતાને સ્થાને આવ્યો. પછી અક્કાએ બતાવેલી યુક્તિઓથી તેણે સર્વ કાર્ય સાઘવા માંડ્યાં. પેલા કરિયાણું લઈ જનારા વેપારી પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ઘૂર્ત પાસેથી તેણે બળાત્કારે ચાર લાખ દ્રવ્ય લીધું. આ વૃત્તાંત સાંભળી તે નગરનો રાજા આશ્ચર્ય પામ્યો. તેણે કહ્યું-“આ પુરુષનું માહાત્મ અદ્ભુત છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy