SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [સ્તંભ ૧૨ નગરમાંથી ચાર વણિક વેપારીઓ આવ્યા. તેઓએ ખુશીખબર પૂછીને કહ્યું–“તમારું સર્વ કરિયાણું અમે લઈશું અને જ્યારે તમે પોતાને નગર જવા ઇચ્છશો ત્યારે તમે કહેશો તે વસ્તુ તમારા વહાણમાં ભરી આપીશું.’' રત્નચૂડે તે કબૂલ કર્યું એટલે તે ધૂર્ત વણિકો તેનું સર્વ કરિયાણું વહેંચીને પોતપોતાને ઘેર લઈ ગયા. પછી રત્નચૂડ પરિવાર સહિત વસ્ત્રાદિકનો આડંબર કરી અનીતિપુર જોવા ચાલ્યો. માર્ગમાં કોઈ કારીગરે સુવર્ણ અને રૂપાથી સુશોભિત એવા બે ઉપાનહ (મોજડી) તેને ભેટ કર્યા. તેને તાંબૂલ આપી શ્રેષ્ઠીપુત્રે કહ્યું–‘તને હું ખુશી કરીશ.’’ પછી તે આગળ ચાલ્યો, ત્યાં કોઈ કાણો ઘૂર્ત મળ્યો. તેણે રત્નચૂડને કહ્યું–“હે શ્રેષ્ઠીપુત્ર! મેં એક હજાર દ્રવ્યમાં મારું એક નેત્ર તારા પિતાને ઘેર ગીરો મૂકેલું છે તે હું તારી પાસેથી લઈશ, માટે આ તમારું દ્રવ્ય લઈ લો.’’ રત્નચૂડ વિચારવા લાગ્યો કે અહો! આ અઘટતું બોલે છે, તથાપિ આ પ્રાપ્ત થયેલું દ્રવ્ય તો સ્વાધીન કરું. પછી તેને યોગ્ય ઉત્તર આપીશ.’’ આમ ચિંતવી તેણે તેનું દ્રવ્ય ગ્રહણ કર્યું અને કહ્યું–“તું મારે ઉતારે આવજે.’ એમ કહી રત્નચૂડ આગળ ચાલ્યો. તેને આવતો જોઈ ચાર ઠગારા પરસ્પર વાતો કરવા લાગ્યા. એક બોલ્યો—“સમુદ્રના જળનું પ્રમાણ અને ગંગાનદીની રેતીના કણની સંખ્યા તો જ્ઞાની પુરુષ જાણી શકે છે, પણ સ્ત્રીઓનું હૃદય કોઈ જાણી શકતું નથી.'' બીજો બોલ્યો–સ્ત્રીઓના હૃદયને જાણનારા ઘણા પુરુષો છે પણ સમુદ્રના જળનું પ્રમાણ ને રેતીના કણની સંખ્યા જાણનાર કોઈ નથી.’' ત્રીજો બોલ્યો કે—‘પૂર્વાચાર્યોએ જે કહેલું છે તે અસત્ય નથી, તે સર્વ બાબત સર્વજ્ઞ પુરુષો જાણે છે.’' એટલે ચોથો બોલ્યો કે—આ શ્રેષ્ઠીપુત્ર સર્વ જાણે છે.’’ તે સાંભળી બીજા બોલી ઊઠ્યા કે “ગંગાનદી તો અહીંથી દૂર છે, પણ આ સમુદ્રના જળનું પ્રમાણ તો તું શ્રેષ્ઠીપુત્રની પાસે કરાવ.” આ પ્રમાણે હઠ કરી તેઓએ રત્નચૂડને ઉત્સાહિત કર્યો, એટલે રત્નચૂડે તે વાત અંગીકાર કરી. પછી તે ધૂર્તોએ રત્નચૂડ સાથે એવો કરાર કર્યો કે “જો તમે સમુદ્રના જળનું પ્રમાણ કરી આપો તો અમારી લક્ષ્મી તમારે આધીન છે અને નહીં તો અમે ચારે જણ તમારી લક્ષ્મી લઈ લઈશું.’’ રત્નચૂડ તે વાત કબૂલ કરી આગળ ચાલ્યો. રત્નચૂડે ચિંતવ્યું કે “આ બધા કાર્યોનો નિર્વાહ શી રીતે થશે? માટે અનેક નરરત્નોના ચિત્તને રંજન કરવામાં ચતુર એવી વેશ્યાને ઘેર જાઉં.' આવું વિચારી તે રણઘંટા વેશ્યાને ઘેર ગયો. વેશ્યાએ બહુમાનપૂર્વક અભ્યુત્થાન, અત્યંગ, ઉદ્ઘર્તન, સ્નાન અને ભોજનાદિ ક્રિયા કરી. જ્યારે સંધ્યાકાળ થયો ત્યારે રત્નચૂડ તેની સાથે વાસગૃહમાં જઈ મનોહર શય્યા ઉપર બેઠો. પછી એ ચતુર નાયિકા ચતુર પુરુષને યોગ્ય એવી ગોષ્ઠી કરવા લાગી. એટલે શ્રેષ્ઠીપુત્રે પોતાની વાર્તા ચલાવી કે “અરે પ્રિયા! તું આ તારા નગરની સર્વ ચેષ્ટા જાણે છે તો મારે આજે માર્ગમાં જે વિવાદો થયેલા છે તેના ઉત્તર કહે. મારી એ ચિંતા દૂર થયા પછી હે સુંદરી! હું તારી સાથે રંગભોગની વાર્તા કરીશ.'' વેશ્યા બોલી—‘પ્રિય! સાંભળો. દૈવયોગે જે કોઈ ગૃહસ્થ અહીં આવી ચઢે છે તેનું સર્વસ્વ અહીંના ધૂર્ત લોકો ઠગી લે છે. એ દ્રવ્યનો એક ભાગ રાજાને, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો ભાગ કોટવાળને, પાંચમો ભાગ પુરોહિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને આપે છે. અહીંના સર્વ લોકો અનાચારપ્રિય છે, તો તેમના ઘરમાં રહીને મારાથી શું થઈ શકે? તથાપિ હું તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં બેસીને તમે તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળજો.’’આ પ્રમાણે કહી રત્નચૂડને સ્ત્રીનો વેશ પહેરાવીને તે ચતુરા પોતાની અક્કા પાસે લઈ ગઈ. માતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy