SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૮] મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ ૧૦૩ पित्रोपार्जितवित्तेन, विलासं कुरुते न कः । सः श्लाघ्यो यः स्वयं लक्ष्मी-मुपायं विलसत्यहो॥१॥ પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી કોણ વિલાસ ન કરે? પણ જે સ્વોપાર્જિત દ્રવ્યથી વિલાસ કરે તે પુરુષ જ પ્રશંસાને પાત્ર છે.” આ પ્રમાણે કહી વેશ્યા સ્વસ્થાને ચાલી ગઈ. તે સાંભળી રત્નચૂડે મનમાં વિચાર્યું કે–“આ વેશ્યાનું વચન મારે સત્ય કરવું. આ પ્રમાણે વિચાર કરતો અને મનમાં ખેદ પામતો રત્નચૂડ ઘેર આવ્યો. પુત્રનું ખિન્ન વદન જોઈ તેના પિતાએ પૂછ્યું–“હે વત્સ! તારે શી ખોટ છે કે જેથી તારું મુખ સખેદ અને નિસ્તેજ જણાય છે? જે તારી ઇચ્છા હોય તે કહે, હું તારી ઇચ્છા ક્ષણમાત્રમાં પૂરી કરીશ.” રત્નચૂડ બોલ્યો-“પિતાજી! તમારા ઉપાર્જન કરેલા દ્રવ્યથી મારે સુખ જોઈતું નથી, તેથી તમારી આજ્ઞા મેળવી સ્વભુજાથી દ્રવ્ય ઉપાર્જન કરવા દેશાંતરે જવા ઇચ્છું છું.” પિતાએ કહ્યું-“વત્સ! તું માખણ જેવા કોમળ શરીરવાળો છે. તું દેશાંતરમાં જઈને શું કરીશ? કહ્યું છે કે इंद्रियाणि वशे यस्य, स्त्रीभिर्यो न विलुभ्यते । वक्तुं यश्च विजानाति, याति देशांतराणि सः॥१॥ જેને ઇંદ્રિયો વશ હોય, જે સ્ત્રીઓથી લુબ્ધ થાય તેમ ન હોય અને જે બોલવામાં પ્રવીણ થયેલ હોય તે જ દેશાંતરમાં જઈ શકે છે.” હે પુત્ર!મેં જે લક્ષ્મી ઉપાર્જન કરી છે તે તારે માટે જ છે.” આ પ્રમાણે કહ્યા છતાં પણ રત્નચૂડે આગ્રહ છોડ્યો નહીં એટલે તેના પિતાએ આજ્ઞા આપી. તત્કાળ રત્નચૂડ ઘણા વહાણોમાં વિવિધ પ્રકારના બહુ કિંમતી કરિયાણા ભરી તૈયાર થયો. જતી વખતે શ્રેષ્ઠીએ આ પ્રમાણે શિખામણ આપી-“વત્સ! તું કદી પણ અન્યાયનગર(અનીતિપુર)માં જઈશ નહીં, કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજા છે, અવિચારી નામે મંત્રી છે, ગૃહીતભક્ષક નામે નગરશેઠ છે, યમઘંટા નામે વેશ્યા છે અને બીજા ઘુતકાર, ચોર, પારદારિક (વ્યભિચારી) વગેરે અનેક ઠગ લોકો ત્યાં રહે છે, તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે ત્યાં જાય છે તેનું સર્વસ્વ ત્યાંના લોકો હરી લે છે, તેથી તે નગર છોડીને બીજે ગમે ત્યાં તું સ્વેચ્છાએ જજે.” આ પ્રમાણે પિતાની શિખામણ સ્વીકારી શુભ દિવસે માંગલિક ઉપચાર કરી રત્નચૂડ વહાણમાં બેસી ચાલ્યો. અનેક ગામ, નગર, દ્વીપ વગેરેમાં પર્યટન કરતો રત્નચૂડ ભવિતવ્યતાના યોગે અનીતિપુરે જ આવી ચડ્યો. નગરમાં વસનારા ઘૂર્ત લોકો તેના વહાણને આવતું જોઈ હર્ષ પામ્યાં અને તેની સન્મુખ આવ્યા. તેમને જોઈ રત્નચૂડ શંકા પામ્યો. પછી બંદરને કાંઠે આવ્યો એટલે તેણે કોઈ પુરુષને પૂછ્યું-“ભદ્ર! આ દીપનું નામ શું?” તે પુરુષે કહ્યું–“ચિત્રકૂટ નામે આ દ્વીપ છે અને આ અનીતિપુર નામનું નગર છે.” તે સાંભળી રત્નચૂડ વિચાર કરવા લાગ્યો કે “પિતાએ જે સ્થળે જવાની ના કહી હતી તે જ સ્થળે હું દૈવયોગે આવી ચડ્યો, આ વાત સારી થઈ નહીં, પણ મારા વાંછિતનો લાભ મને અહીં થશે એમ જણાય છે.” કહ્યું છે કે प्रशस्तशकुना यत्रा-नुकूलपवनस्तथा । उत्साहो मनसश्चैतत्, सर्व लाभस्य सूचकं ॥१॥ જે સ્થળે જતાં સારાં શુકન થાય, અનુકૂળ પવન વાય અને મનમાં ઉત્સાહ આવે એ સર્વ લાભને સૂચવે છે” આવું વિચારી રત્નચૂડ વહાણમાંથી ઊતર્યો અને બંદર પર ઉતારો કર્યો. તેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy