SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 3 [તંભ ૧૨ પામી નગરથી બહાર નીકળ્યો અને મૃત્યુ પામવા માટે તેણે તાલપુટ વિષ ખાવું, પણ દેવપ્રભાવથી તે તેને અમૃતરૂપ થઈ ગયું. પછી તેણે મરણ પામવા માટે જલપ્રવેશ, અગ્નિપ્રવેશ, ગળેફાંસો, ગિરિપાત, વૃક્ષપાત અને શસ્ત્રાઘાત વગેરે મૃત્યુના સર્વ પ્રકાર કર્યો, પણ દેવપ્રભાવથી તે બઘા નિરર્થક થયા. એક વખતે તે ચાલ્યો જતો હતો ત્યાં પછવાડે ઉન્મત્ત હસ્તી દોડ્યો આવતો દીઠો, તેથી આકુળ-વ્યાકુળ થઈને તે કોઈ ખાડામાં પડી ગયો અને મૂચ્છિત થયો. ક્ષણવારે ચૈતન્ય આવતાં તે બોલ્યો કે “અરે પોટિલા! તું ક્યાં છે? હું કોને શરણે જાઉં?” તે વખતે કૃપા વડે પોટિલા દેવે પ્રગટ થઈને કહ્યું–“અરે તેતલિપુત્ર! મેં ઘણા પ્રયત્નથી તને બોઘ કર્યો પણ તું સમજ્યો નહીં, તેથી આ બધું વિકુર્તીને બતાવ્યું છે.' મંત્રી બોલ્યો-“હે દેવ! મેં અજ્ઞાનથી કાંઈ જાણ્યું નહીં, પણ હવે થોડો વખત શ્રાવકઘર્મ પાળી પછી મુનિપણાનો આશ્રય કરીશ; પરંતુ તે કોઈ પણ રીતે રાજાને મારા પર પ્રસન્ન કર.” દેવતાએ તેમ કર્યું, તેથી રાજાએ સંતુષ્ટ થઈ મંત્રીની સામે આવી પોતાનો અપરાઘ ખમાવ્યો. પછી બુદ્ધિમાન મંત્રી પોતાને ઘેર જઈ, દાનાદિ ઘર્મયુક્ત શ્રાવકનાં બાર વ્રત પાળવા લાગ્યો. એકદા તેણે ગુરુ પાસે જઈ પોતાનો પૂર્વભવ પૂછ્યો. ગુરુ બોલ્યા–“તું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. તે ગુરુની દેશનાથી પ્રતિબોઘ પામી ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે ચૌદ પૂર્વઘારી થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી એવી તેતલિપુત્ર નામે તું મંત્રી થયો છે.” તે સાંભળી મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે ભણેલા પૂર્વનું સ્મરણ કરી તેણે શુદ્ધ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન પામી અવ્યયપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયો. ઉત્તમ મુનિવરો અનેક યુક્તિઓથી ઉપાસકોને પ્રતિબોઘ કરે છે. જગતમાં સૂર્યની કાંતિ જેવો ઉદ્યોત કરનારા પુરુષો પોટિલાની જેમ શ્લાઘા કરવા યોગ્ય છે.” વ્યાખ્યાન ૧૭૮ મનુષ્યભવ પ્રાપ્ત થયેલાને શિક્ષોપદેશ यथाऽन्यायपुरे रत्न-चूडो न मूढतां गतः । मोहादिबंधने तद्वत्, धर्मधीनहि लुभ्यते ॥१॥ ભાવાર્થ-જેમ અન્યાયપુરમાં રત્નચૂડ મૂંઝાયો નહીં, તેમ ઘર્મબુદ્ધિવાળા પુરુષો મોહાદિકના બંઘનમાં લોભાતા નથી.” રત્નચૂડની કથા આ ભરતક્ષેત્રને વિષે તામલિપ્તિ નામની નગરીમાં રત્નાકર નામે શ્રેષ્ઠી હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેમને રત્નચૂડ નામે એક પુત્ર થયો હતો. તે યુવાન પુત્ર નગરના ઉપવન વગેરેમાં સ્વેચ્છાથી વિહાર કરતો હતો. એક વખતે રાજમાર્ગે જતાં સન્મુખ આવતી સૌભાગ્યમંજરી નામની વેશ્યા રચૂડના ખભા સાથે અથડાઈ; તેથી મનમાં કચવાઈને તે બોલી–“અરે! આવા વિશાલ રાજમાર્ગમાં પણ મને સન્મુખ આવતી તું જોતો નથી? આટલો બધો લક્ષ્મીમદ કરવો તને ઘટિત નથી. કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy