SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૭] બળાત્કારે ધર્મ કર્તવ્ય ૧૦૧ એવી રીતે બાર વ્રતોમાંનાં દરેક વ્રત વ્યવહાર અને નિશ્ચય એવા બે પ્રકારે જાણી શ્રાવકોએ એ વ્રતો ગ્રહણ કરવામાં રુચિ કરવી એ તત્ત્વ છે. આ સર્વ વિષય આગમસાર ગ્રંથમાંથી ઉત્ત્તરીને અહીં લખેલો છે.'' 3G વ્યાખ્યાન ૧૭૭ બળાત્કારે ધર્મ કર્તવ્ય આ બાર વ્રત બળાત્કારે પણ શ્રાવકને આપવાં જોઈએ. કહ્યું છે કે– प्रसह्येनाप्यसौ धर्मः, श्रावकानां प्रदीयते । यथा पोटिलदेवेन, बोधितस्तेतलेः सुतः ॥ १॥ ભાવાર્થ-આ બાર વ્રતગ્રહણરૂપ ધર્મ શ્રાવકોને બળાત્કારે પણ આપવો. જેમ પોટિલદેવે તેતલિપુત્રને બલાત્કારે પણ પ્રતિબોધ કર્યો હતો તેમ.’’ તેતલિપુત્રની કથા ત્રિવલ્લી નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને તેતલિપુત્ર નામે મંત્રી હતો. તે ત્યાંના નગરશેઠની પુત્રી ઉપર મોહ પામ્યો. તે પુત્રીનું નામ પોટિલા હતું. તેને તે મંત્રી પરણ્યો. કનકરથ રાજા રાજ્યમાં અત્યંત લુબ્ધ હોવાથી પોતાને જે જે પુત્ર થાય તેને મારી નાખતો હતો. એક સમયે રાજાની કમલાવતી નામે રાણી સગર્ભા થઈ. તેણે પોતાની વિશ્વાસુ દાસીને તેતલિપુત્ર મંત્રી પાસે મોકલીને કહેવરાવ્યું કે ‘જો મને પુત્ર થાય તો કોઈ પણ રીતે તમે તેની રક્ષા કરજો.’ રાણીનું વાક્ય બુદ્ધિમાન મંત્રીએ સ્વીકાર્યું. કેટલોક કાળ ગયા પછી દૈવયોગે પોટિલા અને કમલાવતીએ સાથે પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. એટલે મંત્રીએ વિશ્વાસુ માણસ મોકલી કમલાવતીના પુત્રનું અને પોતાની પુત્રીનું પરાવર્તન કરાવ્યું. રાજાએ રાણીના પરિજનને પૂછ્યું, એટલે તેમણે ‘પુત્રીનો જન્મ થયો છે' એમ કહ્યું. મંત્રીએ રાજકુમારનું કનકધ્વજ એવું નામ પાડ્યું. અનુક્રમે રાજા કનકરથ મૃત્યુ પામતાં મંત્રી અને રાણી કમલાવતીએ મળીને તે પુત્રનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. કનકધ્વજ કૃતજ્ઞ હોવાથી તેણે રાજ્યના સર્વ કાર્યમાં મંત્રીને જ મુખ્ય કર્યો. અન્યદા દૈવયોગે તેતલિપુત્ર મંત્રીને તેની પોટિલા સ્ત્રી ઉપર કોઈ કારણને લઈને અપ્રીતિ ઉત્પન્ન થઈ, તેથી પોટિલાએ કોઈ સાધ્વીને પતિના વશીકરણ વિષે પૂછ્યું. સાધ્વીએ ધર્મદેશના આપીને તેને પ્રતિબોધિત કરી, એટલે તેણે દીક્ષા લેવાની અભિલાષી થઈને પતિ પાસે આશા માગી. પતિએ કહ્યું–‘જો તું દીક્ષા લઈને સ્વર્ગે જાય તો ત્યાંથી મને બોધ આપવા આવવાનું કબૂલ કરે તો હું તને વ્રત લેવાની આજ્ઞા આપું.' પોટિલાએ તે કબૂલ કર્યું. પોટિલા દીક્ષા લીધા પછી કાળયોગે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. અવધિજ્ઞાન વડે પૂર્વભવ જાણી પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તેણે મંત્રીને વ્રત લેવાની પ્રેરણા કરવા માંડી, પરંતુ વિષયમાં લોલુપ એવા મંત્રીએ શ્રાવક અને સાધુના બન્ને ધર્મમાંથી એકે ધર્મની ઇચ્છા કરી નહીં. દેવ થયેલા પોટિલાના જીવે વિચાર્યું કે કોઈ પણ પ્રકારના કષ્ટમાં પડ્યા વિના મંત્રી બોઘ પામશે નહીં, એવું ધારી તેણે એક વખતે રાજાનો તેના પર કોપ બતાવ્યો. જ્યારે મંત્રી રાજાને નમવા ગયો ત્યારે રાજાએ તેને મુખ બતાવ્યું નહીં. અને ભયંકર અપમાન કર્યું. તેથી મંત્રીનું સ્વમાન ઘવાયું. આથી મંત્રી અત્યંત ખેદ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy