SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ اے શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“સુપાત્રદાન, અભયદાન, ઉચિતદાન, કીર્તિદાન અને અનુકંપા-દાન એમ પાંચ પ્રકારનાં દાન છે. સુપાત્રમાં પુણ્યબુદ્ધિથી આપવું તે સુપાત્રદાન; કોઈ પ્રાણીને મૃત્યુથી બચાવવો–ભયથી મુક્ત કરવો તે અભયદાન; માતા, પિતા, પુત્ર, વધૂ, સેવક અને રાજા વગેરેને આપવું તે ઉચિતદાન; કીર્તિને માટે યાચક વગેરેને આપવું તે કીર્તિદાન અને દીન-દુઃખીને આપવું તે અનુકંપાદાન. આ પાંચ દાનોમાં સુપાત્રદાન એક જ સર્વોત્તમ છે એમ વારંવાર કહેવાનું શું કારણ?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે “એ પાંચ દાનોમાં પહેલા બે દાન મોક્ષ આપનારાં છે, તેમાં અભયદાન સર્વ વ્રતોની આદિમાં કહેલું છે અને સુપાત્રદાન સર્વ વ્રતોને અંતે કહેલું છે. બીજા ત્રણ દાન સાંસારિક સુખને આપનારાં છે, તેથી તેમજ પહેલા અને છેલ્લા તીર્થકર સુપાત્રદાન આપવાથી જ સુખી થયા છે તેથી સુપાત્રદાન સર્વોત્તમ કહેલું છે.” “અલ્પ દાનના માહાસ્યથી મૂળદેવ, નયસાર, ચંદનબાળા, શ્રેયાંસકુમાર અને ઘન સાર્થવાહ (શ્રી ઋષભદેવ ભગવંતનો જીવ) વગેરે મહાન ફળને પામ્યા છે; તેથી છેલ્લું અતિથિસંવિભાગ વ્રત સર્વ શ્રાવકોએ અંગીકાર કરવું.” વ્યાખ્યાન ૧૭૬ નિશ્ચય અને વ્યવહારનયથી બાર વ્રતનું વિવેચન एकैकं व्रतमप्येषु, द्विद्विभेदेन साधितम् । तद्विज्ञाय सुधीश्राद्ध, रुचिः कार्या व्रतादरे ॥१॥ ભાવાર્થ-“એ બાર વ્રતોમાંના એક એક વ્રત નિશ્ચય અને વ્યવહાર એવા બે બે ભેદથી કહેલાં છે, તે બરાબર જાણીને બુદ્ધિવાળા શ્રાવકોએ તે વ્રતોને આદરવા રુચિ કરવી.” વિશેષાર્થ–એ બાર વ્રતોમાં એક એક વ્રત બે બે પ્રકારે નિશ્ચય અને વ્યવહારનયે કરી કહેલાં છે તે આ પ્રમાણે– જે બીજાના જીવને પોતાના જીવની જેમ સુઘાદિ વેદનાથી પોતા સમાન જાણી તેની હિંસા કરે નહીં એ વ્યવહારનયની અપેક્ષાએ પહેલું વ્રત છે; અને આ પોતાનો જીવ અન્ય જીવની હિંસા કરવા વડે કર્મ બાંધી દુઃખ પામે છે, તેથી પોતાના આત્માને કર્માદિકનો વિયોગ પમાડવો યોગ્ય છે. વળી આ જીવ અનેક સ્વાભાવિક ગુણવાળો છે, તેથી હિંસાદિ વડે કર્મ ગ્રહણ કરવાનો તેનો ઘર્મ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિંસાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરવાનો નિશ્ચય કરવો, એ નિશ્ચયનયની અપેક્ષાએ પહેલું અહિંસા વ્રત છે. લોકનિંદિત એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું એ વ્યવહારથી બીજું વ્રત છે અને મુનીશ્વર-ત્રિકાળજ્ઞાની ભગવંતે કહેલ જીવ અજીવનું સ્વરૂપ અજ્ઞાન વડે વિપરીત કહેવું અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પોતાની કહેવી તે જ ખરેખરું મૃષાવાદ છે; તેનાથી જે વિરમવું તે નિશ્ચયનયથી બીજું વ્રત છે. આ વ્રત સિવાય બીજા વ્રતોની વિરાઘના કરે તેનું ચારિત્ર જાય છે. પણ જ્ઞાન તથા દર્શન એ બે રહે છે; પરંતુ નિશ્ચય મૃષાવાદથી વિરાશિત થતાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ૧. અભયદાનનો સમાવેશ પ્રથમ અહિંસા અણુવ્રતમાં થાય છે. ૨. સુપાત્રદાનનો સમાવેશ બારમા અતિથિસંવિભાગવતમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy