SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૬] નિશ્ચય અને વ્યવહારનયથી બાર વ્રતનું વિવેચન ૯ ત્રણે જાય છે. આગમમાં પણ કહેલ છે કે “એક સાઘુએ મૈથુનવિરમણ વ્રત ભાંગ્યું છે અને એક બીજું વ્રત ભાંગ્યું છે, તો તેમાં પહેલો સાઘુ આલોચના વગેરેથી શુદ્ધ થાય છે, પણ બીજો સ્યાદ્વાદમાર્ગનો ઉત્થાપક હોવાથી આલોચનાદિક વડે શુદ્ધ થતો નથી.” જે અદત્ત (આપ્યા વિના) પારકી વસ્તુ ઘનાદિક ન લેવાનું પ્રત્યાખ્યાન કરે તે વ્યવહારથી ત્રીજું અદત્તાદાન વિરમણવ્રત છે અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત અંતઃકરણમાં પુણ્યતત્ત્વના બેંતાળીશ ભેદ પ્રાપ્ત કરવાની ઇચ્છાએ ઘર્મકાર્ય કરે છે અને પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષય, આઠ કર્મની વર્ગણા વગેરે પરવસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા કરતો નથી–તેનો નિયમ કરે છે તેને નિશ્ચયથી ત્રીજું વ્રત છે. શ્રાવકોને સ્વદારસંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ તથા સાઘુને સર્વ સ્ત્રીઓનો ત્યાગ એ વ્યવહારથી ચોથું વ્રત છે અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાનો ત્યાગ એ નિશ્ચયથી ચોથું વ્રત છે. અહીં એટલું સમજવું કે બાહ્યથી સ્ત્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લોલુપતા હોય અને તેનું પ્રત્યાખ્યાન ન કરે તો તેને વિષય સંબંધી કર્મનો બંઘ થયા કરે છે. શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું તે અને મુનિઓને સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો તે વ્યવહારથી પાંચમું વ્રત છે અને ભાવકર્મ જે રાગ-દ્વેષ તથા દ્રવ્યકર્મ જે અજ્ઞાન (આઠ પ્રકારના કમ) તથા દેહ અને ઇંદ્રિયનો ત્યાગ તે નિશ્ચયથી પાંચમું વ્રત છે; કર્માદિ પરવસ્તુ પર મૂચ્છનો ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમું વ્રત થાય છે; કારણ કે શાસ્ત્રકારે મૂર્છાને જ પરિગ્રહ કહેલો છે. “પૂછી રાહો કુત્તો” રૂત્ય િવવનાત્. છ દિશાએ જવા આવવાનું પરિમાણ કરવું એ વ્યવહારથી છ વ્રત છે અને નરકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણી તે પ્રત્યે ઉદાસી ભાવ રાખવો અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેય ભાવ રાખવો એ નિશ્ચયથી છઠું વ્રત છે. પ્રથમ કહેવા પ્રમાણે ભોગોપભોગ વ્રતમાં સર્વ ભોગ્ય વસ્તુનું પરિમાણ કરવું એ વ્યવહારથી સાતમું વ્રત છે, તથા વ્યવહારનયને મતે કર્મનો કર્તા અને ભોક્તા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કર્મનું કર્તાપણું કર્મને જ છે; કારણ કે મન, વચન, કાયાના યોગ જ કર્મના કર્તા છે, તેમ ભોક્તાપણું પણ યોગમાં જ રહેલું છે. અજ્ઞાને કરીને જીવનો ઉપયોગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાઘનમાં ભળે છે. પરમાર્થવૃત્તિએ તો જીવ કર્મના પુગળોથી ભિન્ન જ છે અને જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોક્તા છે. પુગળો જડ, ચળ અને તુચ્છ છે. વળી જગતના અનેક જીવોએ તે ભોગવી ભોગવીને ઉચ્છિષ્ટ થયેલા ભોજનની જેમ મૂકી દીધેલા છે તેવાં પુગળો ભોગપભોગપણે ગ્રહણ કરવાનો જીવનો ઘર્મ નથી–આ પ્રમાણે જે ચિંતન કરવું તે નિશ્ચયથી સાતમું વ્રત છે. પ્રયોજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું તે વ્યવહારને આશ્રયીને આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંઘના હેતુ છે અને જેથી કર્મનો બંઘ થાય છે તેને આત્મીય ભાવથી જાણી તેનું નિવારણ કરવું તે નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે. આરંભના કાર્ય છોડી જે સામાયિક કરવું તે વ્યવહારથી નવમું સામાયિક વ્રત છે અને જ્ઞાનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy