SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ પત્ની આત્મનિંદા કરવા લાગી. તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો તે સ્ત્રી! શોક શા માટે કરે છે? એમાં તારો દોષ નથી, મારા કર્મો જ દોષ છે.” તે સાંભળી તેને વૈરાગ્યે થયો. દીક્ષા લઈ અનશન વડે મૃત્યુ પામી તે દેવી થઈ. ત્યાંથી અહીં આવી તેણે સુજાતશ્રેષ્ઠીને કહ્યું- હે શ્રેષ્ઠી! તમારાં ઘર્મવચનને અંગીકાર કરી હું આવા પદને પ્રાપ્ત થઈ છું, તેથી હવે કાંઈ કાર્ય હોય તો કહો.” સુજાતે કહ્યું-“મારું કલંક ઉતારો.” પછી તે દેવીએ શ્રેષ્ઠીને વિમાનમાં બેસારી ચંપાનગરીના ઉપવનમાં મૂક્યા અને ચંપાનગરી ઉપર શિલા વિકર્વી ચંપાપતિને ઉદ્યાનમાં બોલાવ્યો. અને દેવીએ પૂર્વનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી રાજા સુજાતશેઠને નમ્યો અને ક્ષમા માંગી. પછી રાજાએ ક્રોઘથી ઘર્મઘોષ મંત્રીને દેશપાર કર્યો અને સુજાતશેઠને મોટા ઉત્સવ સાથે નગરપ્રવેશ કરાવ્યો. અનુક્રમે સુજાતશ્રેષ્ઠીએ દીક્ષા લીધી. ઘર્મઘોષ મંત્રી કોઈ સારા મુનિઓના સંયોગથી દીક્ષા લઈ રૂડું ચારિત્ર પાળતા પૃથ્વીપુર નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ભિક્ષા માટે ગયો. વરદત્ત સંતુષ્ટ થઈ પંચામૃતનું દાન દેવા ઉદ્યમવંત થયો. દાન આપતાં તેમાંથી ઘી અને દૂઘનું એકાદ બિંદુ પૃથ્વી ઉપર પડી ગયું. એટલે મુનિ તે આહારને મહાઆરંભકારી હોવાથી અકથ્ય જાણી આહાર લીધા વિના પાછા ચાલ્યા ગયા. વરદત્ત પશ્ચાત્તાપ કરવા લાગ્યો; એટલામાં જે પેલું બિંદુ પડ્યું હતું તેની ઉપર એક માખી આવીને બેઠી. તે માખીનું ભક્ષણ કરવા ગરોળી આવી, તેને મારવાને કાકીડો આવ્યો, તેનો વઘ કરવા બિલાડો ઘસી આવ્યો, તેની હિંસા કરવા કોઈનો ઘરનો પાળેલો શ્વાન આવ્યો, તેને મારવા શેરીનો શ્વાન આવ્યો, શેરીના શ્વાનને પાળેલા શ્વાનના સ્વામીએ માર્યો, તેને મારતાં જોઈ શેરીના લોકોએ આવી તેના શ્વાનને માર્યો, તેથી કોપને અંગે શ્વાનનો સ્વામી શેરીના લોકોને મારવા આવ્યો, એટલે તેમાંથી તો ગાળાગાળી અને મુષ્ટામુષ્ટિ વગેરે યુદ્ધ થઈ પડ્યું. આ બધું જોઈ વરદત્તે વિચાર્યું કે “અહો! આવો મહાઅનર્થ જ્ઞાન વડે જાણીને જ તે મુનિએ મારો આહાર સ્વીકાર્યો નહીં હોય. અહો! આવા પ્રશંસા કરવા યોગ્ય તે મુનિના જ્ઞાનધ્યાનને ઘન્ય છે.” આવું ચિંતવી તે મંત્રી વૈરાગ્ય વડે સ્વયંબુદ્ધ થયો. જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી તેને પૂર્વભવે અધ્યયન કરેલ સર્વ સૂત્રાદિનું સ્મરણ થઈ આવ્યું. દેવતાએ આપેલો મુનિવેષ ગ્રહણ કરી તે મુનિ પૃથ્વીને પવિત્ર કરતા વિચારવા લાગ્યા. આ વિષે વિશેષ જાણવું હોય તો ઉપદેશમાલાની કર્ણિકાટીકાથી જાણી લેવું. “દૂઘ, ઘી કે સાકર વગેરે રસપદાર્થનું બિંદુ પૃથ્વી ઉપર પ્રમાદથી પડે નહીં તેવી રીતે શ્રાવકે મુનિને આહાર આપવો અને મુનિઓએ ઘર્મઘોષ મુનિએ જેમ આહાર ન લીધો તેમ ન લેવો.” વ્યાખ્યાન ૧૭૫ અલ્પદાનનું પણ મહાન ફળ अल्पमपि क्षितौ क्षिप्तं, वटबीजं प्रवर्द्धते । जलयोगात्तथा दानात्, पुण्यवृक्षोऽपि वर्द्धते ॥१॥ ભાવાર્થ-જેમ અલ્પ (નાનું) એવું પણ વડનું બીજ પૃથ્વીમાં નાખવાથી જળના યોગ વડે બહુ વધી પડે છે, તેમ સુપાત્રે દાન કરવાથી પુણ્યરૂપી વૃક્ષ અત્યંત વધે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy