SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૭૪]. ઉપયોગપૂર્વક દાન કર્તવ્ય ૯૫ તેઓ કૃષ્ણને ત્યાંથી લઈ જવા માટે ખેંચવા લાગ્યા. કૃષ્ણે કહ્યું-“હે બંધુ! મને અહીં જ રહેવા દો, આકર્ષણ કરો નહી, તમારા સ્પર્શથી ઊલટો હું અતિ દુઃખ પામું છું, પરંતુ લોકમાં આપણા બન્નેનો યશ દેવતાઓ ને મનુષ્યો ગાય તેમ કરો.” પછી બળભદ્ર દેવે પાછી પૂર્વ સ્થળે જ યાદવોથી ભરપૂર કૃત્રિમ દ્વારિકા નગરી રચી અને લોકોનું વાંછિત પૂરવા માંડ્યું. તે દ્વારિકા સમુદ્રના પૂરમાં તણાઈ ગઈ. એવી રીતે સાત વાર સમુદ્રમાં દ્વારિકાને ડુબાવી; તેથી લોકોમાં તેમનો મોટો મહિમા પ્રસર્યો. બ્રાહ્મણોના શાસ્ત્રમાં કૃષ્ણાવતારને અડતાળીસસો વર્ષ થયાં એમ કહે છે, તે પણ ઉપરનો પ્રકાર સત્ય હોય તો બને તેવું છે. જૈનશાસ્ત્રમાં તો તેને અત્યારે ક્યાશી હજાર વર્ષ થયાં એમ વૃદ્ધ પુરુષો કહે છે. દાતાર દાન આપે છે તે વખતે જે અનુમોદના કરે છે અથવા જે શુભ હૃદયથી પ્રશંસા કરે છે, તે સારંગ (મૃગ)ની જેમ દાતારના જેટલો લાભ મેળવે છે, એમ તત્ત્વવેત્તાઓ કહે છે.” વ્યાખ્યાન ૧૭૪ ઉપયોગપૂર્વક દાન કર્તવ્ય મુનિને આહારદાન આપતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કે કોઈ પ્રવાહી પદાર્થના ટીપાં કે કણ ભોંય પર ન પડે. તે વિષે કહ્યું છે કે घृतादिवस्तुनो बिंदुर्भूमौ क्षरति नो यथा । तथा दानं प्रदातव्यं, साधूनां तच्च कल्पते ॥१॥ ભાવાર્થ-“મુનિઓને એવી રીતે દાન આપવું કે જે આપતાં ઘી વગેરે વસ્તુનું બિંદુ પૃથ્વી ઉપર ખરી પડે નહીં, તેવું દાન સાઘુઓને કહ્યું છે.” તે વિષે એક દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– મુનિદાનમાં બિંદુપાત ઉપર ધર્મઘોષમંત્રીનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં ઘર્મઘોષ નામે મંત્રી હતો. તેની સ્ત્રીઓ ત્યાંના નગરશેઠ સુજાતશ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈ મોહ પામી હતી, તેથી એકદા તે મંત્રીની એક સ્ત્રી પોતાના મનના વિકારોની તૃપ્તિ માટે સુજાતશેઠનો વેષ લઈને દાસીઓની સાથે ક્રીડા કરતી હતી. તે જોઈ ઘર્મઘોષ મંત્રી પરમાર્થ (ખરી વાતો જાણ્યા વિના તે શેઠ ઉપર દ્વેષ કરવા લાગ્યો. એક વખતે તેણે શેઠના નામથી એક ફૂટ લેખ લખ્યો, તેમાં એટલું દર્શાવ્યું કે સુજાતશેઠ વિક્રમ રાજાને લખે છે કે-“અમારી આ વિજ્ઞતિ ધ્યાનમાં લઈ તમારે અહીં સત્વર આવવું. હું અમારા રાજાને પ્રપંચથી મારી તમને રાજ્ય અપાવીશ.” આવો ફૂટ લેખ પોતે લખી, ગુપ્તચર મારફત પકડાયેલો કહીને પોતાના રાજાને બતાવ્યો. રાજાએ ક્રોઘથી સુજાત શેઠને મારી નાખવા માટે કાંઈક મિષ કરીને તેને ચંદ્રધ્વજ રાજા પાસે મોકલ્યો અને તેની સાથે એક લેખ લખી આપ્યો. ચંદ્રધ્વજ રાજા તે લેખ વાંચી, સુજાત શેઠને નિર્દોષ જાણી વિચારવા લાગ્યો કે “અહો! ચંપાપતિએ આવું અયોગ્ય કાર્ય મને કેમ બતાવ્યું? આ શ્રેષ્ઠી તો નિઃસ્પૃહ જણાય છે.” પછી તે વાતનો નિશ્ચય કરીને તેણે તે સુજાતશેઠને મારી નાખવાને બદલે પોતાની પુત્રી પરણાવી. નવોઢા (મુગ્ધા) સ્ત્રીના સંયોગથી (વૃદ્ધ) શ્રેષ્ઠી રોગી થઈ ગયો. શેઠને રોગી જોઈ તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy