SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૩ [તંભ ૧૨ તે સમયે બલભદ્રને દીક્ષા લેવામાં ઉત્સુક જાણી શ્રી નેમિનાથે એક ચારણમુનિને ત્યાં મોકલ્યા. તેમની પાસે બલભદ્ર સંયમ ગ્રહણ કર્યું. પછી તુંગિકા પર્વત ઉપર જઈ તીવ્ર તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ એવું બન્યું કે બલરામમુનિ માસક્ષપણને પારણે કોઈ નગરમાં ભિક્ષા લેવા જતા હતા, ત્યાં નગરમાં પેસતાં કૂવાના કાંઠા ઉપર કોઈ સ્ત્રી બાળકને સાથે લઈ જળ ભરવા આવેલી, તે બલરામ મુનિનું સ્વરૂપ જોઈ મોહ પામી ગઈ. તેનાં નેત્ર બલરામ ઉપર હોવાથી તેણે જળ ભરવાની રજ્જુ ઘડાને બદલે બાળકના ગળામાં નાખી. આ પ્રમાણે અનુચિત કાર્ય કરતી તે સ્ત્રીને જોઈ બલરામમુનિએ તેને સાવઘાન કરી અને મનમાં ચિંતવ્યું કે “આવો અનર્થ કરનાર મારા રૂપને ધિક્કાર છે! આજથી મારે નગરમાં ભિક્ષા લેવા માટે જવું નહીં. વનમાં કાષ્ઠ લેનારા વગેરે આવે તેમની પાસેથી જે મળે તે આહાર લેવો.” એક વખતે કાષ્ઠવાહકોએ પોતપોતાના રાજાઓને કહ્યું કે “વનમાં કોઈ પુરુષ મોટી તપસ્યા કરે છે. તે સાંભળી તે રાજાઓએ ચિંતવ્યું કે “તે પુરુષ તપસ્યા કરીને આપણાં રાજ્ય લઈ લેશે, માટે ચાલો તેને હણી નાખીએ.” એમ વિચારી તેઓ પોતપોતાનું સૈન્ય લઈ મુનિને મારવા માટે તેમની સમીપે આવ્યા. તે સમયે બલરામનો મિત્ર પેલો સિદ્ધાર્થ દેવ વૈયાવચ્ચ કરવા માટે ત્યાં આવ્યો હતો, તેણે હજારો સિંહ વિકુવ્યંતેથી તે રાજાઓ ભય પામી, મુનિને નમી પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લોકોમાં તેમનું નૃસિંહ એ નામ પ્રસિદ્ધ થયું. બલરામ મુનિના સ્વાધ્યાયને સાંભળીને અનેક વાઘ, સર્પ, સિંહ, મૃગ વગેરે પ્રાણીઓ સમકિત તથા શ્રાવકવ્રતને પ્રાપ્ત થયા. તેમાંનો કોઈ એક મૃગ રામઋષિનો પૂર્વભવનો મિત્ર હતો, તેને જાતિસ્મરણશાન થવાથી તે નજીકમાં કોઈ પણ સાર્થવાહ વગેરે આવેલા હોય ત્યારે મુનિને ત્યાં લઈ જઈ અશનાદિ પ્રાપ્ત કરાવવા વડે વૈયાવૃત્ય કરવા લાગ્યો. તે સંજ્ઞાથી મુનિને બધી સૂચના કરતો હતો. એવી રીતે રામમુનિએ સો વર્ષ સુઘી તીવ્ર તપ કર્યું. તે વિષે કહ્યું છે કે “સાઠ માસખમણ અને ચાર ચોમાસી તપ જેમણે કરેલાં છે એવા બલભદ્ર મુનિને હું નમું છું.” એક વખતે કોઈ કાષ્ઠઇચ્છક રથકાર તે વનમાં આવી અરધા કાપેલા વૃક્ષને તેમ જ રહેવા દઈ મધ્યાહ્ન કાળ થવાથી ભોજન કરવા માટે બેસવા તૈયાર થયો. તે સમયે પેલા મૃગે તેને જોઈ ગુરુને સંજ્ઞાથી જણાવ્યું. એટલે માસક્ષપણને પારણે બલભદ્ર મુનિ મૃગે દર્શાવેલા માર્ગે ત્યાં આવ્યા. પેલા રથકારે મુનિને જોઈ ભાવશુદ્ધિથી દાન આપ્યું અને મનમાં ચિંતવવા લાગ્યો કે “હું ઘન્ય છું, હું કૃતપુણ્ય છું.” તે સમયે તે મૃગ ઊંચું મુખ કરી રામને અને રથકારને જોઈ વિચારવા લાગ્યો કે–“અરે! હું અઘન્ય છું, તિર્યંચયોનિમાં ઉત્પન્ન થઈ દૂષિત થયો છું તેથી હું દીક્ષા લેવા કે સાધુને ભિક્ષા આપવા સમર્થ નથી. હું એક જ મંદભાગ્ય છું. પશુપણાથી હણાયેલા મને ધિક્કાર છે!” આવું ચિંતવન કરતાં, તે રામ, રથકાર અને મૃગ ત્રણેની ઉપર પવનના વેગથી પ્રેરાયેલ તે અર્થ કાપેલ વૃક્ષ તૂટી પડ્યું. તેથી ત્રણે મૃત્યુ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવપણાને પામેલા બલરામ અવધિજ્ઞાન વડે પોતાના બંધુના સ્નેહને સંભારી તરત જ તેને મળવા માટે જવા ઉત્સુક થયા; પરંતુ તેમના કલ્પના પુસ્તકમાં લખેલા પાંચ સભાને યોગ્ય આવશ્યક દેવકૃત્ય કરતાં વ્યાશી હજાર વર્ષ વીતી ગયાં. ત્યાર પછી શીધ્રપણે ત્રીજી નરકે આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy