SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ—જે સ્ત્રીનું હું હંમેશાં ચિંતવન કરું છું તે સ્ત્રી મારામાં વિરક્ત છે અને તે બીજા પુરુષને ઇચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત છે અને તે સ્ત્રી વળી મારે માટે સંતુષ્ટ થાય છે. માટે તે રાણીને, તે જારને, કામદેવને, આ વેશ્યાને અને મને ધિક્કાર છે.’’ मदयंति रमयंति संमोहयंति निर्भर्त्सयति एता प्रविश्य सदयं हृदयं नराणां, किं नाम वामनयना ન સમાયતિ રા ભાવાર્થ—“સ્ત્રીઓ મોહ ઉત્પન્ન કરે છે, મદ ચડાવે છે, વિડંબના કરે છે, તરછોડી નાંખે છે, રમાડે છે અને ખેદ કરાવે છે. અહો! સુંદર નેત્રોવાળી સ્ત્રીઓ પુરુષોના દયાળુ હૃદયમાં પેસીને શું શું નથી કરતી? બધું જ કરે છે.’’ ૯૦ विडंबयंति, विषादयंति । આ પ્રમાણે વિચારી રાજા ભર્તૃહરિએ માળવાનું રાજ્ય તૃણવત્ છોડી દઈ વ્રત ગ્રહણ કર્યું અને યોગી સંન્યાસીનો વેષ લઈ પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. એક વખતે પૃથ્વીપર ફરતાં ફરતાં તે રાજા કોઈ વનમાં રહેતા તાપસના આશ્રમમાં ગયો. તાપસને નમી આગળ બેઠો. તાપસે રાજા છતાં તેનો અનાદર કર્યો, એટલે રાજાએ વિચાર્યું કે, ‘જરૂર આ કોઈ માયાવી લાગે છે, તેથી છૂપી રીતે આની માયાનું અવલોકન કરું.' આવું ધારી રાજા એકાંતે છુપાઈ રહ્યો. રાત્રિ પડતાં તે તાપસે પોતાની જટામાંથી એક ડાબલી કાઢી. તે ઉઘાડીને તેમાં જળની અંજલિ છાંટી એટલે એક સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ. તેની સાથે કામસેવન કરી તે તાપસ સૂઈ ગયો. પછી થોડીવારે તે સ્ત્રીએ પોતાની વેણીમાંથી એક ડાબલી કાઢી અને તેને જળની અંજલિ છાંટી એટલે તેમાંથી દેવકુમાર જેવો એક પુરુષ ઉત્પન્ન થયો. તેની સાથે ભોગવિલાસ કરી પાછી તે ડાબલી તેણે પોતાની વેણીમાં ગોપવી દીધી. પછી તાપસે જાગીને તે સ્ત્રીને પણ ડાબલીમાં ગોપવી દીધી. આ પ્રમાણે તેનું ચરિત્ર પ્રત્યક્ષ જોઈ રાજાએ ચિંતવ્યું કે मत्तेभकुंभदलने भुवि संति केचित् प्रचंडमृगराजवधेऽपि किंतु ब्रवीमि बलीनां पुरतः कंदर्पदर्पदलने विरला ભાવાર્થ-“અહો! આ પૃથ્વી ઉપર ઉન્મત્ત હાથીઓના કુંભસ્થળને તોડી પાડનારા શૂરવીરો છે અને પ્રચંડ કેશરીસિંહનો વધ કરનારા વીરો પણ છે, પરંતુ મારે તેવા બલવંતોની આગળ આગ્રહથી કહેવું જોઈએ કે, કામદેવના ગર્વને તોડનારા તો વિરલા મનુષ્યો જ છે.' રા, જ્ઞાઃ । प्रसह्य, મનુષ્યાઃ ॥શા આ પ્રમાણે વિચારી રાજા ભર્તૃહરિ શ્રીપુરનગરના ઉદ્યાનમાં જઈ કોઈ વૃક્ષની નીચે સૂઈ ગયો. આ અરસામાં એવું બન્યું કે તે નગરનો રાજા અપુત્ર મૃત્યુ પામેલો હોવાથી તેના મંત્રીઓએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે અહીં સૂતેલા રાજાની પાસે આવીને ઊભા રહ્યા. મંત્રીઓએ નગરજન સાથે ત્યાં આવી રાજાને જગાડ્યો અને રાજ્ય લેવા કહ્યું. રાજાએ જણાવ્યું કે, ‘મારે રાજ્યનું કાંઈ પણ પ્રયોજન નથી.' નગરજનોએ વિનંતિપૂર્વક કહ્યું કે, ‘હે મહારાજ! આપ આ રાજ્ય સ્વીકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy