SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૦] સ્ત્રીઓના દોષ વ્યાખ્યાન ૯૦ સ્ત્રીઓના દોષ હવે સ્રીઓમાં અનેક દોષ છે એમ જાણીને આ ચતુર્થ વ્રત ગ્રહણ કરવું, તે વિષે કહે છે. स्त्रीषु कापट्यमूलेषु, नरो धीमान् न विश्वसेत् । वदंत्यन्यं गृहंत्यन्यं, तृप्तिर्न विषये कदा ॥ १ ॥ ભાવાર્થ-‘કપટનું મૂળ એવી સ્ત્રીઓનો બુદ્ધિમાન પુરુષે કદી વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીઓ બીજાને બોલાવે છે અને બીજાને સ્વીકારે છે, તેને કદી પણ વિષયથી તૃપ્તિ થતી નથી.’’ ૮૯ સ્ત્રીઓને વિષયમાં કદી પણ તૃપ્તિ થતી નથી. તે ઉપર નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, સ્ત્રીઓને પુરુષથી બમણો આહાર હોય છે, ચાર ગણી લક્ષ્ય હોય છે, છ ગણો વ્યવસાય હોય છે અને આઠ ગણો કામ હોય છે.’’ આ શ્લોકના ભાવાર્થ ઉપર ભર્તૃહરિ રાજાનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— ભર્તૃહરિ રાજાની કથા Jain Education International અતિ નગરીમાં ભતૃહિર નામે રાજા હતો. તેના રાજ્યમાં મુકુંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે લક્ષ્મી મેળવવા માટે હરસિદ્ધિ દેવીની આરાધના કરવા માંડી. દેવીએ સંતુષ્ટ થઈ તેને અલ્પ પુણ્યવાન જાણીને અમર ફળ આપ્યું અને કહ્યું કે, ‘તારા ભાગ્યમાં અલ્પ પુણ્યને લીધે દ્રવ્ય નથી, માટે આ અમર ફળ લે. આ ફળનું ભક્ષણ કરવાથી તું ઘણું જીવીશ અને શરીરે નીરોગી રહીશ.’ મુકુંદ તે ફળ લઈને ઘેર આવ્યો. પછી ફળ ખાવાની ઇચ્છા કરતાં તેને વિચાર થયો કે, ‘આ ફળ મારે ખાઈને શું કરવું? મારે તો વધારે જીવવાથી ઊલટી હાનિ છે, તેથી જે જગતના આધારભૂત હોય તેને આપું તો તેની કૃતાર્થતા થાય.’ આ પ્રમાણે વિચારી તેણે અવંતિપતિ ભર્તૃહરિને તે ફળ આપ્યું. રાજાએ પોતાની પટ્ટરાણી પિંગલા ઉપર ઘણી પ્રીતિ હોવાથી તે ફળ તેને આપ્યું, અને તેનો સમગ્ર પ્રભાવ જણાવ્યો. રાણીએ પોતાનો જાપતિ જે હાથીનો મહાવત હતો તેને તેનો પ્રભાવ જણાવીને તે ફળ આપ્યું. મહાવતે વિચાર્યું કે ‘મારે વધારે જીવીને શું કરવું છે? માટે મારી પ્રાણપ્રિયા જે વેશ્યા છે તેને આપું કે જેથી તે મારી ઉપર પ્રસન્ન રહે.’ આમ વિચારી તેણે વેશ્યાને આપ્યું. વેશ્યાએ ચિંતવ્યું કે, ‘મારે આ ફળ ખાઈને શું કરવું છે? માટે આ ફળ સર્વ પ્રજાના નાથ એવા ભર્તૃહરિને આપું.’ આમ વિચારી તેણે તે ફળ રાજાને આપ્યું. રાજા ભર્તૃહરિએ તે ફળ ઓળખી વેશ્યાને પૂછ્યું કે, ‘આ ફળ તને ક્યાંથી મળ્યું?’ રાજદંડના ભયથી વેશ્યાએ યથાર્થ હકીકત જણાવી; એટલે રાજાએ હાથીના મહાવતને બોલાવીને પૂછ્યું. તાડનાદિકના ભયથી તેણે રાણીનું નામ આપ્યું, એટલે રાણીને પૂછ્યું, પરંતુ તત્કાળ ભયથી વિહ્વળ બનેલી રાણી કાંઈ પણ ઉત્તર આપી શકી નહીં. રાજા સ્ત્રીને અવધ્ય જાણી સંસારની અસારતા વિષે વિચાર કરી આ પ્રમાણે બોલ્યો કે— यां चिंतयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं स जनोन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक् तां च तं च मदनं च इमां च मां च ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy