SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૯૦] સ્ત્રીઓના દોષ ૯૧ અને અમોને કૃપા કરીને જીવિતદાન આપો.' એટલે રાજાએ દયાથી તે રાજ્ય સ્વીકાર્યું અને ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. પછી સર્વજનોએ બળાત્કારે પ્રથમના રાજાની એક પુત્રી હતી તે તેને પરણાવી. તે નવયૌવના રાણી એક વખતે રાજમહેલના ગોખમાં બેઠી હતી, ત્યાં કોઈ શ્રેષ્ઠીનો સુંદર પુત્ર તેના જોવામાં આવ્યો. તેને જોઈ તે બાળાએ કટાક્ષ વડે તેનું હૃદય ઘાયલ કર્યું. શ્રેષ્ઠીકુમાર પણ તે રાણીને મળવા ઉત્સુક થયો; તેથી તે ઇચ્છા પૂર્ણ કરવાને માટે એક પુરુષના પ્રમાણની અને સહસ્ર દીવાઓની શ્રેણીવાળી પોલી દીવી તેણે કરાવી, તેમાં પોતે પેઠો અને સંકેત કરી રાખેલા પુરુષોએ તે દીવી રાજાને ભેટ કરી. રાજાએ તે અંતઃપુરમાં મુકાવી. પછી જ્યારે સમય આવ્યો ત્યારે તે તેમાંથી નીકળ્યો અને રાણીની સાથે વિષયભોગ ભોગવી પાછો તેમાં પેસી ગયો. એવી રીતે તે હંમેશાં ક૨વા લાગ્યો. એક વાર તેના વસ્ત્રનો દોરો દીવીના કાષ્ઠના સાંધાની બહાર રહી ગયેલો તે રાજાના જોવામાં આવ્યો. તેને ખેંચતાં તે લાંબો લાગ્યો, એથી તેને તેમાં કોઈ જારપુરુષ છે એવો નિશ્ચય થયો. પણ તે વખતે તે કાંઈ બોલ્યો નહીં. પછી એક દિવસે પોતાની પટ્ટરાણીને હાથે રસવતી કરાવી પેલા યોગીને ભોજન માટે નિયંત્રણ કર્યું. તે ભોજન કરવા આવ્યો એટલે તેની આગળ છ પત્રાવળી માંડી. તાપસ ભોજન કરવા બેઠો, એટલે રાજાએ કહ્યું કે, ‘મહારાજ! તમારી જટામાં રહેલી સ્ત્રીને બહાર કાઢો.' તાપસે ભયથી તેમ કર્યું. પછી તે સ્ત્રીને રાજાએ કહ્યું કે, ‘તું પણ તારી ડાબલીમાંથી પુરુષને કાઢ.'' સ્ત્રીએ પણ તેમ કર્યું. પછી પોતાની રાણીને કહ્યું, ‘તું પણ આ દીવીમાંથી તારા પતિને બહાર લાવ, શા માટે તેને કારાગૃહમાં રાખ્યો છે? તેની સાથે ભોજન કર.' રાણીએ પણ ભયથી તેમ કર્યું. પછી તે સર્વને ભોજનાદિ વડે સંતુષ્ટ કરી અંતરમાં ઉગ્ર વૈરાગ્યને ઘારણ કરતા રાજા ભર્તૃહરિએ સર્વ મંત્રી અને નગરજનોને બોલાવીને જણાવ્યું કે, ‘આવા વિષયને ધિક્કાર છે.' પછી તેવી આધોષણા આખા નગરમાં કરાવી. ભર્તૃહરિરાજાએ બીજી વાર રાજ્ય છોડી દઈ નિશ્ચલ શીલ વ્રત ગ્રહણ કર્યું અને તે એક જ વ્રતના આરાઘનથી દેવપણાને પ્રાપ્ત થયા. એ મહારાજા ભર્તૃહરિનો રચેલો વૈરાગ્યશતક ગ્રંથ અદ્યાપિ લોકમાં વિખ્યાત છે. “મૃગના જેવા લોચનવાળી સ્ત્રીઓના ચરિત્ર જોઈને કયો પુરુષ તેનાથી વિરક્ત ન થાય? જુઓ! રાજા ભર્તૃહરિએ પણ પોતાના અમરફળને જોઈને યોગ ધારણ કર્યો હતો.’’ ‘‘શ્રી ચિંતામણી પાર્શ્વનાથના મહિમા વડે અને શ્રી વિજયસૌભાગ્યસૂરિના પ્રસાદ વડે પોતાના ગુરુભાઈ પ્રેમવિજયને અર્થે શ્રી વિજયલક્ષ્મીસૂરિએ આ ઉદ્યમ કર્યો છે. તેનો છઠ્ઠો સ્તંભ સોળ અધિકાર વડે પૂર્ણ થયો.’’ “વર્ષના દિવસ જેટલા અધિકારવાળા આ ગ્રંથને રચતાં જે પુણ્યની પ્રાપ્તિ થઈ હોય તે પુણ્ય—કર્તા કહે છે કે—મારા કર્મના ક્ષય માટે અને મહોદયની પ્રાપ્તિ માટે થાઓ.” II પણ સ્તંભ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy