SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ-ચોથા વ્રતનો ભંગ થવાથી બાકીના બધા વ્રતનો સહેજે ભંગ થઈ જાય છે તેથી હે જીવ! તું દુઃશીલપણાનો ત્યાગ કર.’' ચોથા વ્રતનો ભંગ થતાં બાકીના પ્રાણાતિપાત વિરમણ વગેરે ચાર વ્રતોનો પણ અવશ્ય ભંગ થાય છે તે વિષે શ્રી જિનેશ્વર ભગવંત કહે છે કે– ૮૬ સ્ત્રીની યોનિમાં એક બે ત્રણ લાખથી માંડી ઉત્કૃષ્ટા નવ લક્ષ પૃથક્ બેઇંદ્રિય (ત્રસ) જીવ ઉત્પન્ન થાય છે. પુરુષની સાથે સંયોગ થતાં જેમ વાંસની ભૂંગળી રૂથી ભરી હોય તેમાં લોઢાની તપાવેલી સળી નાખતાં રૂ બળી જાય, તેમ તે જીવોની હિંસા થાય છે. વળી પંચેંદ્રિય મનુષ્ય એવા એક પુરુષે ભોગવેલી સ્ત્રીના ગર્ભમાં એક સાથે ઉત્કૃષ્ટા નવ લાખ ગર્ભજ જીવો ઉત્પન્ન થાય છે. તે નવ લાખ જીવોમાં જે વિશેષ આયુવાળા હોય છે તે જીવે છે, બાકીના ત્યાં જ વિલય પામે છે. આવાં જ્ઞાનીનાં વચન ઉપરથી શીલવ્રતનો ભંગ થતાં પ્રાણાતિપાત વિરમણ નામે પહેલું વ્રત ભંગ થાય છે. તેમ બીજું મૃષાવાદના ત્યાગરૂપ વ્રત પણ નાશ પામે છે, કારણ કે કામીજન સત્યવાદી હોતા નથી. તે વિષે નીતિમાં લખે છે કે, વણિક, વેશ્યા, ચોર, દ્યુતકાર, વ્યભિચારી, દ્વારપાળ અને કૌલ (નાસ્તિક) એ સાત મૃષાવાદના મંદિરરૂપ છે.’ તેમ ત્રીજા વ્રતનો ભંગ પણ થાય છે. અહીં કોઈ શંકા કરે કે, ‘પિતા વગેરેની આજ્ઞાથી પરણેલી સ્ત્રીનું સેવન કરતાં ત્રીજું વ્રત જે અદત્તાદાનના ત્યાગરૂપ છે, તેનો ભંગ કેમ કહેવાય?’ તેના ઉત્તરમાં કહે છે કે, ‘અબ્રહ્મ (દુઃશીલ) સેવન કરવાથી તીર્થંકર અદત્ત લાગે છે, કારણ કે તીર્થંકરોએ મુમુક્ષુ પુરુષોને સર્વથા અબ્રહ્મ સેવવાનો નિષેધ કર્યો છે. વળી સ્વામી જે મંડલાધિપતિ તેનું પણ અદત્ત લાગે છે. બાકીના બે પ્રકારના અદત્ત પોતાની મેળે તર્કથી જાણી લેવા.' એ પ્રકારે ત્રીજા વ્રતનો પણ ભંગ થાય છે. ચોથા વ્રતનો ભંગ તો ખુલ્લો જ છે. પાંચમું જે પરિગ્રહના ત્યાગરૂપ વ્રત તેનો ભંગ કર્યા સિવાય સ્ત્રીનો સંબંધ થવો જ સંભવતો નથી. દંડકાચાર ગ્રંથમાં લખે છે કે, જે પોતાના આત્માને સ્રીના સંગમાં સ્થાપે છે, તેણે નવ વાડને ભાંગી નાખી અને દર્શન ગુણનો ઘાત કર્યો સમજવો. વળી તેનાથી બીજા સર્વ વ્રતોનો પણ ભંગ થાય છે.’ આ પ્રમાણે ઘણાં દોષથી દૂષિત એવું અબ્રહ્મ (દુઃશીલ) છે, એમ જાણીને હે જીવ! તું દુઃશીલતાને છોડી દે. હવે કોઈ ગૃહસ્થ છતાં પણ પ્રથમ વયથી તે યાવજ્જીવિત બ્રહ્મવ્રતને પાળે છે તે વિષે કહે છે કે, ‘‘કોઈ ઉત્તમ પુરુષ બાળવયથી માંડીને તે વ્રતને આદરે છે, જેમ એક દંપતીએ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષના નિયમથી બ્રહ્મચર્ય પાળ્યું હતું.’’ તેની કથા નીચે પ્રમાણે છે– વિજયશેઠ ને વિજયાશેઠાણીની કથા કચ્છદેશમાં એક નગરને વિષે અર્હદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને અર્હદ્દાસી નામે પત્ની હતી. તેમને વિજય નામે એક પુત્ર હતો. તે ગુરુની પાસે ભણતો હતો. એક વખતે તે વિજયે કોઈ મુનિના મુખથી આ પ્રમાણે શીલનું માહાત્મ્ય સાંભળ્યું કે अमराः किंकरायंते, सिद्धयः सहसंगताः । समिपस्थायिनी संपत्, शीलालंकारशालिनां ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy