SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ ખાસ કામ હોય તો તેમાં ચિત્તની એકાગ્રતા ન કરવી. જો કદી સ્વપ્નમાં સ્ત્રીનો ભોગ થાય તો તત્કાળ ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. વળી સ્ત્રીઓની ઇંદ્રિયો જોવામાં અને તેમની સાથે ભાષણ કરવા વગેરેમાં સર્વત્ર યતનાપૂર્વક નિવૃત્તિ કરવી. આ પ્રમાણે જે પ્રાણીઓ બ્રહ્મવ્રતને પાળે છે તેઓની કીર્તિ આ વિશ્વમાં માતી નથી.” આ વિષયમાં જિનપાલનો પ્રબંઘ છે તે આ પ્રમાણે જિનપાળની કથા ચંપાનગરીમાં માકંદ નામે એક વણિક રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી, અને જિનપાલ અને જિનરક્ષક નામે બે પુત્ર હતા. તેમણે અગિયાર વખત સમુદ્રમાં સફર કરીને નિર્વિબે પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કર્યું હતું. અન્યદા આગ્રહ કરીને બારમી વખત મુસાફરીએ જવા તેઓ તૈયાર થયા. માતાપિતાની આજ્ઞા લઈ વહાણ ભરીને ચાલ્યા. માર્ગમાં પ્રતિકૂળ પવન વડે વહાણ શિલા સાથે અથડાઈ ભાંગી ગયું. બન્ને એક પાટિયું મળવાથી તરીને રત્નદ્વીપે પહોંચ્યા. ત્યાં એક વનમાં ક્રિીડાવાપીની અંદર તેઓ જળક્રીડા કરવા લાગ્યા. તેવામાં તે રત્નદ્વીપવાસી દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તમે બન્ને મારી સાથે ભોગ ભોગવો, નહીંતર આ ખગથી તમારો શિરચ્છેદ કરીશ.” બન્નેએ ભયથી તે સ્વીકાર્યું. પછી તેમના શરીરમાં શુભ પુદ્ગલો સંક્રમાવી અશુભ પુદ્ગલોને દૂર કરીને તે તેમની સાથે ભોગ ભોગવવા લાગી. એક વખતે તે રત્નદ્વીપની દેવીને સૌઘર્મઇંદ્ર આદેશ કર્યો કે, “એકવીશ વાર કાષ્ઠ વગેરે કાઢીને લવણસમુદ્રને નિર્મળ કરો.” આવો આદેશ આવતાં તે દેવીએ બન્નેને શિખામણ આપી કે, “તમારે બન્નેએ દક્ષિણ બાજુના વનમાં જવું નહીં, કારણ કે ત્યાં દ્રષ્ટિવિષ સર્પ છે, તેથી અહીં જ રહેવું. કદી જવું હોય તો બીજી ત્રણ બાજુના વનમાં જવું.” આ પ્રમાણે કહીને દેવી પોતાના કામે ગઈ. દેવીના ગયા પછી પછવાડે બન્ને જણાએ વિચાર્યું કે, આપણને દેવીએ દક્ષિણ બાજુના વનમાં જવાને શા માટે અટકાવ્યા હશે? માટે તે બાજુ જવું તો ખરું. આમ વિચારી તત્કાળ તેઓ કૌતુકથી તે જ વનમાં ગયા. તો ત્યાં અસ્થિનો મોટો સમૂહ જોવામાં આવ્યો. આગળ જતાં એક પુરુષને શૂળીએ ચઢાવેલો જોયો. બન્નેએ તેને પૂછ્યું કે, “તું કોણ છે?” તે બોલ્યો કે, “હું વણિક છું, વહાણ ભાંગવાથી અહીં આવી ચડ્યો હતો. આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવીની સાથે મેં ભોગ ભોગવ્યા હતા, પણ જ્યારે તમે આવ્યા ત્યારે તે દેવીએ મને થોડા અપરાશમાં આવી દશાએ પહોંચાડ્યો છે.” આ પ્રમાણે સાંભળી તેઓ ભય પામીને વિચારવા લાગ્યા કે, “જેવી આની ગતિ થઈ તેવી ગતિ આપણી પણ થવાની.” પછી પુનઃ પૂછ્યું કે “અમારો છૂટકો અહીંથી શી રીતે થાય?” તે બોલ્યો કે, “અહીંથી પશ્ચિમ દિશામાં એક શૈલક યક્ષ છે, તે પર્વતિથિએ મોટા શબ્દથી બોલે છે કે, “હું કોને તારું અને કોને પાર ઉતારું?” તમારે તેની પાસે જઈ તેની પૂજા કરવી અને જે સમયે તે બોલે તે વખતે કહેવું કે, “હે યક્ષરાજ! અમને તારો ને અમને પાર ઉતારો.” આ પ્રમાણે સાંભળી તેઓએ તે યક્ષ પાસે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષ બોલ્યો કે, “હે ભદ્રો! તે વ્યંતરી મહા દુખા છે, પરંતુ તમારે તેનાથી ભય પામવો નહીં. મેં વિફર્વેલા આ અશ્વની પૃષ્ઠ ઉપર તમે બેસો. તે દેવી તમારી ૧ ચાર લોગસ્સનો કાયોત્સર્ગ, સાગરવરગંભીરા સુધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy