SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્યરક્ષાથી લાભ संति विश्वे दुराचारो - पदेष्टारः पदे पदे । હિતાર્થમુપીનું, વિરતા વ પન નાશા ભાવાર્થ-‘આ વિશ્વમાં દુરાચારનો ઉપદેશ કરનારા તો સ્થાને સ્થાને છે, પણ હિતાર્થનો ઉપદેશ કરનારા કોઈ વિરલા જ હોય છે.’’ એમ કહી સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કરી નંદરાજા પોતાને ઘેર આવ્યો. વ્યાખ્યાન ૮૮] ૮૩ હવે ધનાવહ શેઠ પરદેશથી ઘણું ઘન કમાઈ ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી એક વખતે દાસી પાસેથી રાજાના આવવાના ખબર સાંભળી તેણે ચિંતવ્યું કે, “જરૂર મારી સ્ત્રીએ પોતાના શીલને ખંડિત કર્યું હશે. અહીં બીજા મનુષ્ય વિનાના સ્થાનમાં આવેલો રાજા આવી સુંદર સ્ત્રીને કેમ છોડી દે?' આખી રાત આવા સંકલ્પ વિકલ્પ કરતો રાજા રોહિણીની ઉપર નિઃસ્નેહ થયો. તે અરસામાં પુણ્યોદયથી એવું બન્યું કે, વર્ષાદને લીધે નદીમાં મોટું પૂર આવ્યું અને તેથી સર્વ નગર રૂંધાઈ ગયું. તે વખતે રોહિણી સર્વ લોકોની સમક્ષ ગોપુર (દરવાજા) ઉપર ચડી હાથમાં જળ લઈને બોલી કે, ‘હે સરિતા! ગંગાના જળની જેમ જો મારું શીલ નિર્મળ હોય તો તું આ નગર પાસેથી પાછી ઓસર.' તત્કાળ નદીનું પૂર ઊતરી ગયું અને સર્વ જનોએ તેના શીલની મોટી પ્રશંસા કરી. ધનાવહ શ્રેષ્ઠીએ સ્નેહ સહિત થઈ તેના શીલધર્મને પ્રણામ કર્યા. ઉપર પ્રમાણે મહાસતી રોહિણીએ શીલવ્રતની દૃઢતાવડે જૈનધર્મની પ્રભાવના કરીને અને પોતાના મનુષ્યજન્મને કૃતાર્થ કરીને સુકૃતની મોટી પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરી. વ્યાખ્યાન ૦૮ બ્રહ્મચર્યરક્ષાથી લાભ હવે બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરવાથી શો ગુણ થાય તે કહે છે– ज्ञानादिसर्वधर्माणां जीवितं शीलमेव ये । रक्षन्ति प्राणिनस्तेषां, कीर्त्तिर्माति न विष्टपे ॥१॥ ભાવાર્થ-‘જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત (પ્રાણ) શીલ છે. જે પ્રાણીઓ તે શીલની રક્ષા કરે છે તેઓની કીર્તિ આ જગતને વિષે માતી નથી.’’ ‘જ્ઞાનાદિ’ એ વાક્યમાં ‘આદિ’ શબ્દ વડે દર્શન, ચારિત્ર વગેરે ગ્રહણ કરવા. તેના પ્રાણરૂપ બ્રહ્મચર્ય (શીલ) છે, અર્થાત્ તે વિના સર્વ ધર્મ વ્યર્થ છે. તે વિષે અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠિર! જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય, તેને જે ગતિ મળે, તે ગતિ હજારો યજ્ઞોથી પણ મેળવી શકાતી નથી.’’ જિનાગમમાં તો બ્રહ્મચારીને સ્ત્રીના વિકારી અંગ સામું જોવા વગેરેનો પણ નિષેધ કરેલો છે. કહ્યું છે કે, ‘‘સ્ત્રીના ગુપ્ત અંગ રાગોત્પાદક હોવાથી બ્રહ્મચારીએ જોવા નહીં, તેમ સ્પર્શવા નહીં. કદી તે જોવાઈ જાય કે સ્પર્શાઈ જાય તો તેમાં રાગબુદ્ધિ ન કરવી. કહ્યું છે કે, ‘સ્ત્રીનું રૂપ નજરે પડી જાય તો જોયા વગર રહેવાય નહીં, પણ ડાહ્યા માણસે તેમાં રાગ કે દ્વેષ કરવાનું છોડી દેવું.' વળી ગાયની યોનિનું મર્દન કરીને ગોમૂત્ર લેવું નહીં, પણ જ્યારે તે-સ્વેચ્છાએ મૂત્રોત્સર્ગ કરે ત્યારે લેવું. કદી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy