SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ CO શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ : ત્યારથી સદા ઉપવાસી રહીને વિચારતા હોય તો મને માર્ગ આપો.” આથી વિસ્મય પામી રાણી નદીને તીરે ગઈ, અને મુનિનું વાક્ય સંભળાવતાં જ નદીએ માર્ગ દીઘો. તે માર્ગે નદી ઊતરીને તે પોતાને ઘેર આવી. વિસ્મય પામેલી રાણીએ રાજાને એ વૃત્તાંત જણાવી પૂછ્યું કે, “હે સ્વામિન્! આજે જ મેં તમારા બંધુ મુનિને પારણું કરાવ્યું હતું, તે છતાં તેઓ ઉપવાસી કેમ કહેવાય?” રાજા બોલ્યા- “દેવી! સાંભળો, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, “સાધુ નિરવદ્ય આહાર કરતા હોવાથી નિત્ય ઉપવાસી છે, માત્ર ઉત્તરગુણની વૃદ્ધિ કરવાને માટે તેઓ શુદ્ધ આહાર લે છે. તેથી આહાર લેતા છતાં તે ઉપવાસી જ છે.' વળી બીજે પણ કહ્યું છે કે अकृताकारितं शुद्ध-माहारं धर्महेतवे । अश्रतोपि मुनर्नित्यो-पवासफलमुच्यते ॥४॥ ભાવાર્થ-નહીં કરેલો અને નહીં કરાવેલો એવો શુદ્ધ આહાર મુનિ ચારિત્ર ઘર્મના પ્રતિપાલનને માટે વાપરે છે, તેથી તેને નિત્ય ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ વચનોથી પોતાના ભર્તા અને દિયરનું માહાસ્ય જાણી રાણીએ મન વચન કાયા વડે શીલાદિ ઘર્મ સ્વીકાર્યો. ઉપર પ્રમાણે શીલવ્રતના માહાસ્યથી જેમ નદીએ રાજાની પ્રિયાને માર્ગ આપ્યો, તેમ જે પ્રાણી તે વ્રતને મનમાં ઘારણ કરે છે તેને કર્મરૂપ સમુદ્ર અક્ષર એવા શિવમાર્ગને આપે છે. G — વ્યાખ્યાન ૮૭ ચોથા અણઘતના પાંચ અતિચારો આ ચોથા વ્રતમાં પણ જે વર્જવા યોગ્ય પાંચ અતિચાર છે તે કહે છે इत्वरात्तागमोऽनात्तागतिः परविवाहनम् । मदनात्याग्रहोऽनंगक्रीडा च ब्रह्मणि स्मृता ॥१॥ ભાવાર્થ-થોડા કાળ માટે કોઈએ રાખેલી વેશ્યાનો સંગમ, કોઈએ નહીં ગ્રહણ કરેલી એવી વેશ્યા સ્ત્રીનો સંગમ, પારકા વિવાહનું કરાવવું, કામભોગમાં તીવ્ર અનુરાગ અને અનંગક્રીડા–એ પાંચ બ્રહ્મચર્યવ્રતમાં અતિચાર છે તેને ત્યજી દેવા.” (૧) ઇત્રપરિગ્રહિતાગમન-ઇત્વરા એટલે પ્રત્યેક પુરુષ પાસે જનારી વેશ્યાને કોઈએ અમુક કાળ માટે પોતાની કરી રાખી હોય તેનું ગ્રહણ અથવા કાંઈ મૂલ્ય ઠરાવી અમુક કાળ સુધી પોતે સ્ત્રી તરીકે સ્વીકારવી તે. એ પ્રમાણે કોઈએ પોતાની કરી રાખેલી વેશ્યાનું સેવન કરનાર પુરુષ પોતાની બુદ્ધિકલ્પનાથી તેને પોતાની સ્ત્રી સમાન ગણી મનમાં વ્રતની સાપેક્ષ વૃત્તિ ઘરાવે કે મારે તો માત્ર પરસ્ત્રીનો ત્યાગ છે અને આ તો આટલો કાળ મારી સ્ત્રી થયેલી છે, તેથી મારા વ્રતનો ભંગ થતો નથી.” પણ તે થોડા કાળ સુધી બીજાની પરિગ્રહભૂત થયેલી હોવાથી વસ્તુતાએ તેને બીજાની સ્ત્રી જ જાણવી જોઈએ. તેથી એ અતિચાર છે. (૨) અપરિગ્રહિતાગમન–બીજા અતિચારમાં અનાજ્ઞા એટલે કોઈએ નહીં ગ્રહણ કરેલી વેશ્યા અથવા વ્યભિચારિણી સ્ત્રી કે જેનો પતિ વિદેશ ગયેલો હોય, તેવી સ્ત્રીનું આસેવન કરવું, અને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy