SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૬] ભાવશીલની મહત્તા સેનાપતિની પાસે ગયા, પણ તેઓ તો તેમને સ્થાને મળ્યા નહીં, એટલે તેઓએ રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, “હે કુમાર! સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મૃત્યુ પામ્યા છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો.” કુમાર તેને ઘેર ગયો, તો ઘરમાં બીજું તો કાંઈ જોયું નહીં, માત્ર એક મોટી પેટી તેના જોવામાં આવી. એટલે તે રાજભવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર વગેરે ચારે જણા લજ્જા પામતા સતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીનો સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રશંસા કરી.” આ પ્રમાણે ગુરુ પાસે ઘર્મ સાંભળીને કુમારચંદ્ર સ્વદારસંતોષ વ્રત ગ્રહણ કર્યું. દેવચંદ્ર દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધ આહારને ગ્રહણ કરતા સતા તે મહા તપસ્વી થયા. એક વખતે દેવચંદ્ર મુનિ વિહાર કરતાં કરતાં શ્રીપુરની નજીકના એક દેવાલયમાં આવીને રહ્યા. તે સાંભળી કુમારચંદ્ર રાજા તેમને વાંદવા ગયો અને વાંદીને પાછો આવ્યો. તે ખબર જાણી રાણીએ એવો અભિગ્રહ કર્યો કે, “કાલે સવારે દેવચંદ્ર યતિને વાંદ્યા પછી ભોજન કરીશ.” પ્રભાતે તે મુનિને વંદન કરવા નીકળી ત્યાં વચમાં નદીમાં પૂર આવેલું હતું અને ઉપર જળવૃષ્ટિ પણ થતી હતી. તેથી રાણી અલિત થઈને નદીને કાંઠે જ ઊભી રહી. એટલે રાજાએ તેને બોલાવીને કહ્યું કે, “હે પ્રિયા!તમે નદીને એમ કહો કે, “હે નદી દેવી! જે દિવસે મારા દિયરે વ્રત લીધું છે તે દિવસથી માંડીને જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્યવ્રતને ઘારણ કરી રહ્યા હો તો મને માર્ગ આપો.” તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, “મારા પતિ આમ કહે છે, પણ તેના બ્રહ્મચર્યની વાત હું શું નથી જાણતી! તો પણ ઠીક છે, જે હશે તે ત્યાં જણાશે, માટે હમણાં તો પતિનું વાક્ય સ્વીકારું; કેમ કે જો પતિના વાક્યમાં શંકા લાવું તો મારું પતિવ્રત ખંડિત થાય.” તે વિષે કહ્યું છે કે સતી પામો પત્તી, ગુલશઃ પિતુઃ સુતઃ | आदेशे संशयं कुर्वन्, खंड्यति आत्मनो व्रतं ॥१॥ ભાવાર્થ-“જો સતી સ્ત્રી પતિના વાક્યમાં, સેવક રાજાના વાક્યમાં, શિષ્ય ગુરુના વાક્યમાં અને પુત્ર પિતાના વાક્યમાં શંકા લાવે તો તેઓ પોતાના વ્રતને ખંડિત કરે છે.” આવું ચિંતવીને તે નદીની પાસે ગઈ અને વિનયથી પોતાના પતિનું વાક્ય કહ્યું, એટલે તત્કાળ નદીએ માર્ગ આપ્યો. તે માર્ગે નદી ઊતરી સામે કાંઠે દેવાલયમાં જઈ પોતાના દિયર મુનિ પાસેથી ઘર્મ સાંભળ્યો. મુનિએ પૂછ્યું, ‘તમને નદીએ શી રીતે માર્ગ આપ્યો?” દેવીએ જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું, એટલે મુનિ બોલ્યા કે, “ભદ્ર! સાંભળો, મારા સહોદર બંધુ પણ મારી સાથે જ વ્રત લેવાને ઇચ્છતા હતા, પણ લોકોના અનુગ્રહને માટે તેમણે રાજ્યનો સ્વીકાર કર્યો છે. તેઓ વ્યવહારથી જો કે રાજ્યનો અને ઇંદ્રિયોના ભોગનો અનુભવ કરે છે, તથાપિ તે નિશ્ચયથી બ્રહ્મચારી જ છે. કાદવમાં કમળની જેમ ગૃહવાસમાં રહેતા એવા તે રાજાનું મન નિર્લેપ હોવાથી તેને વિષે બ્રહ્મચારીપણું જ ઘટે છે પછી તે રાણીએ અભિગ્રહ પૂરો થવાથી વનના એક ભાગમાં જઈ સાથે લાવેલા શુદ્ધ આહારવડે પોતાના દિયરને પ્રતિલાભિત કર્યા અને પોતે પણ ભોજન કર્યું. પછી જ્યારે તેની જવાની ઇચ્છા થઈ, ત્યારે રાણીએ મુનિને પૂછ્યું કે, “મારે નદી શી રીતે ઊતરવી?” મુનિએ કહ્યું કે, “તમે નદીને આ પ્રમાણે પ્રાર્થના કરો કે, “હે નદીદેવી!જો આ મુનિ વ્રત ગ્રહણ કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy