SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [સ્તંભ ૬ વ્યાખ્યાન ૮૪ ભાવશીલની મહત્તા પુનઃ એ વ્રતની પ્રશંસા કરે છે– યઃ સ્વાપુ સંતુષ્ટ, પરફારપરાફમુરઃ | સ ગૃહો વારિત્યાતિવ૫ પ્રશ્નપતે શા ભાવાર્થ-જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીથી વિમુખ રહે છે, તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે.” આ વિષે નીચે પ્રમાણે પ્રબંઘ છે. કુમારચંદ્ર અને દેવચંદ્રની કથા શ્રીપુર નગરમાં કુમારચંદ્ર અને દેવચંદ્ર નામે બે રાજકુમાર બંધુ હતા. એક વખતે તેઓ ઘર્મગુરુની વાણી સાંભળવા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુએ દેશનામાં કહ્યું કે, “કોઈ મનુષ્ય કોટી સોનૈયાનું દાન દે અથવા શ્રી વીતરાગનો કંચનમય પ્રાસાદ રચાવે તેને તેટલું પુણ્ય ન થાય કે જેટલું બ્રહ્મચર્યધારી પુરુષને થાય છે. કેટલાક પ્રાણી શીલવતીની જેમ દુઃખમાં પણ પોતાનું શીલવત છોડતા નથી. તે કથા આ પ્રમાણે છે– શીલવતીની કથા–લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણની સાથે પરદેશમાં ગયો. વિપ્ર તો કેટલાક દિવસ રહી શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાને ઘેર પાછો આવ્યો. આ ખબર થતાં શીલવતી પોતાના પતિએ મોકલેલ સંદેશપત્ર લેવા સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈને કામાતુર થયો, તેથી બોલ્યો કે, “હે કૃશોદરી! પ્રથમ મારી સાથે ક્રીડા કર, તો પછી તારા પતિનો સંદેશપત્ર આપું.” તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, “હે ભદ્ર! રાત્રિના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું.” આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે આવી અને કહ્યું કે, “હે દેવ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી.' તે સાંભળી અને તેનું સ્વરૂપ જોતાં મોહ પામી તે સેનાપતિ બોલ્યો કે, “હે સુંદરી! પ્રથમ હું કહું તે કબૂલ કર તો પછી તને તે પત્ર અપાવું.' વ્રતભંગના ભયથી તેને બીજે પહોરે પોતાને ઘેર આવવાનું કહી તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી ઉપર પ્રમાણે માગણી કરી, એટલે તેને ત્રીજે પહોરે ઘેર આવવાનું કહી રાજા પાસે ગઈ. રાજાએ પણ તેવી જ પ્રાર્થના કરી, એટલે તેને ચોથા પહોરે આવવાનું કહ્યું. પછી ઘેર આવી પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, “તમારે મને ચોથે પહોરે બોલાવવી.” આ પ્રમાણે સંકેત કરી તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેની સાથે સ્નાનપાન વગેરેમાં જ પહેલો પ્રહર નિર્ગમન કર્યો, તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિ આવ્યો. તેનો શબ્દ સાંભળતાં જ બ્રાહ્મણ ભયથી કંપવા લાગ્યો. એટલે તેને એક મોટી પેટીના એક ખાનામાં નાખ્યો. એવી રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ તે પેટીના જુદા જુદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરી પ્રાતઃકાળે રુદન કરવા લાગી. એટલે તેના કુટુંબીઓએ આવીને પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુદન કરે છે?” તે બોલી કે, “મારા સ્વામીની દુઃખવાર્તા સાંભળીને રુદન કરું છું.” તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy