SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૫] ચોથું અણુવ્રત–૫૨દારાનો ત્યાગ ૭૭ શાસ્ત્રમાં કહેલ છે કે, જિનેશ્વરની પૂજા, મુનિને દાન, સાધર્મીવાત્સલ્ય, શીલપાલન અને પરોપકાર તે વિવેકરૂપી વૃક્ષના પલ્લવો છે.’' નાગિલ બોલ્યો—‘પ્રિયા! સહુએ આત્માના હિતને અર્થે વિવેક વડે ઘર્મ કરવાનો છે. વિવેકરૂપ અંકુશ વિનાનો મનુષ્ય સર્વદા દુ:ખી હોય છે. તેવો મૂર્ખ બકરાના યૂથના સ્વામી (ભરવાડ)ની જેમ હંમેશાં હસતો હોય તોપણ તેનું હસવાપણું કાંઈ કામનું નથી.’ આ પ્રમાણે સાંભળી નંદા ઘણો હર્ષ પામી અને ભાવથી તેની સેવા કરવા લાગી. અન્યદા તે પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રની જ્યોત્સ્યામાં સૂતો હતો. તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો. તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, “હે મહાપુરુષ! જો મને સ્ત્રીપણે સ્વીકારશો તો હું તમને બે અપૂર્વ વિદ્યા આપીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને અન્યથા કરશો નહીં.’’ આ પ્રમાણે કહી શરીરે ધ્રૂજતી તે બાળા નાગિલના ચરણમાં પડી. એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેમ પોતાના પગને સંકોચી લીધા. એટલે તે બાળા એક લોઢાનો અગ્નિમય રક્ત ગોળો વિકુર્તીને બોલી કે, ‘અરે અધમ! મને ભજ, નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ.' તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે “દશ અવસ્થારૂપ હોવાથી દશ મસ્તકવાળા રાવણની જેવો કામદેવરૂપ રાક્ષસ કે જે દેવદાનવોથી પણ દુર્જાય છે તે પણ શીલરૂપ અન્નથી સાઘ્ય થાય છે.’’ આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ જાજ્વલ્યમાન લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું, એટલે તે ગોળો ખંડ ખંડ સૂર્ણ થઈ ગયો. તે બાળા લજ્જાથી અદૃશ્ય થઈ ક્ષણવારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉઘાડેલા દ્વારમાંથી ત્યાં આવી અને મધુર વાણી વડે બોલી કે—‘હે સ્વામી! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં, તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.’ તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, ‘નંદા વિષયભોગ સંબંધી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા હોય નહીં. આનું રૂપ તો તેના જેવું છે પણ પરિણામ તેવા જણાતા નથી, તેથી એની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.’ આમ વિચા૨ી નાગિલે કહ્યું કે, ‘હે પ્રિયે! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અસ્ખલિતપણે ચાલી આવ.' તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં સ્ખલિત થઈ ગઈ. ઘર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, ‘કદી બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વવિરતિપણું અંગીકાર કરવું તે જ યોગ્ય છે.' આવું ધારી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો અને પેલા યક્ષદીપને કહ્યું કે, ‘તું હવે તારે સ્થાને જા.’ યક્ષે કહ્યું કે, ‘હું યાવજ્જીવિત તમારી સેવા કરીશ. મારા તેજથી તમને ઉજેહી નહીં પડે.’ પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું અને યક્ષદીપની સાથે આશ્ચર્ય સહિત પૃથ્વીપર વિહાર કરી, સંયમ પાળી તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિયા થયા. ત્યાંથી દેવતા થઈ પુનઃ નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા. ‘આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વદારસંતોષ વ્રતમાં દૃઢ પ્રતિજ્ઞા રાખી તો તે વિદ્યાધરીથી પણ કંપાયમાન થયો નહીં.’' માટે સર્વ પ્રાાણીઓએ સ્વદારસંતોષ વ્રત દૃઢપણે ધારણ કરવું. ૧ મુનિને દીપકની ઉજેહી પડે તે સ્થાન વર્જ્ય છે, તેથી યક્ષે આ પ્રમાણે કહ્યું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy