SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ નાગિલની કથા ભોજપુર નામના નગરમાં સર્વજ્ઞ ધર્મમાં તત્પર લક્ષણ નામે એક વણિક રહેતો હતો. તેને નવતત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. એક વખતે વરને માટે શોધ કરતાં પિતાને તેણે આ પ્રમાણે જણાવ્યું કે ‘‘હે પિતાજી! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત, તેલના વ્યય વિનાનો અને ચંચલપણા રહિત દીવાને ઘારણ કરે તે મારો પતિ થાઓ.'' પુત્રીનું આ વચન સાંભળી તેનો દુષ્કર અભિગ્રહ જાણીને ચિંતાતુર લક્ષણ શેઠે તે વાર્તા નગરમાં ઉદ્ઘોષણાથી જાહેર કરી. આ ખબર નાગિલ નામના એક દ્યુતકારે સાંભળી, એટલે કોઈ યક્ષની સહાયથી તેણે તેવો દીપક કરાવ્યો. તે નજરે જોઈ શ્રેષ્ઠી હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદા તે નાગિલને પરણાવી. નંદા પોતાના પતિને વ્યસનાસક્ત જાણી મનમાં ઘણી કચવાવા લાગી, તથાપિ નાગિલે તે વ્યસન છોડ્યું નહીં. તેથી હંમેશાં દ્રવ્યનો વ્યય થવા લાગ્યો. લક્ષણશેઠ પુત્રીના સ્નેહથી તેને દ્રવ્ય પૂરતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ નિરંતર પરિચય રાખતી હતી. એક વખતે નાગિલના મનમાં એવો વિચાર થયો કે, ‘અહો! આ સ્ત્રીનું કેવું ગાંભીર્ય છે કે હું મોટો અપરાધી છતાં તે મારી ઉપર કોપ કરતી નથી!' ૭૬ અન્યદા નાગિલે કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, ‘હે મહામુનિ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારા ઉપર મન ઘરતી નથી, તેનું શું કારણ?' મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું–‘તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે જે પુરુષના અંતઃકરણમાં માયારૂપ કાજલ ન હોય, જેમાં નવતત્ત્વ વિષે અસ્થિરતારૂપ વાટ ન હોય, જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમકિતના ખંડનરૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ઘારણ કરતો હોય તે મારો પતિ થાઓ. આ પ્રમાણે દીપના મિષથી તે સ્ત્રીએ જે અર્થ ધાર્યો હતો, તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂર્તપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બતાવ્યો, એટલે શ્રેષ્ઠીએ પોતાની પુત્રી તને આપી. હવે તું કે જે મહા વ્યસની છે તેનાઉપર શીલાદિગુણે યુક્ત એવી એ તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિત પૂર્ણ થશે.’ [સ્તંભ ૬ નાગિલે પૂછ્યું, ‘ભગવન્! સર્વ ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે?' મુનિ બોલ્યા—‘હે ભદ્ર! શ્રી જિનેન્દ્રપ્રભુએ પોતાની સુગંધ વડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલધર્મને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ કહેલો છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘જે પુરુષે પોતાના શીલરૂપ કપૂરની સુગંધ વડે સમસ્ત ભુવનને સુગંધિત કરેલું છે તેવા પુરુષને વારંવાર નમીએ છીએ.’ વળી કહ્યું છે કે, ‘ક્ષણવાર ક્ષણવાર ભાવના ભાવવી, અમુક વખત દાન દેવું અને અમુક તપસ્યા કરવી તે સ્વલ્પકાલીન હોવાથી સુકર છે, પણ યાવજ્જીવિત શીલ પાળવું તે દુષ્કર છે.’ નારદ સર્વ ઠેકાણે ક્લેશ કરાવનાર, સર્વ જનનો વિધ્વંસ કરનાર અને સાવદ્ય યોગમાં તત્પર છતાં સિદ્ધિને પામે છે તે નિશ્ચયે કરીને શીલનું જ માહાત્મ્ય છે” ઇત્યાદિ ગુરુવાક્ય સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો અને તત્કાલ સમકિત, શીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવક ધર્મને આચરવા લાગ્યો. એક વખતે નંદાએ કહ્યું કે, “હે સ્વામી! તમે બહુ સારું કર્યું કે આત્માને વિવેક પમાડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy