SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૪] અસ્તેયવ્રતનું ફળ વગેરે અને અચિત્ત એટલે આભૂષણાદિ. તે બન્નેના ગ્રહણનો નિયમ એટલે વિરતિ–વિરામ પામવું તે અદત્તાદાન વિરમણવ્રત કહેવાય છે. આ વિષે લક્ષ્મીપુંજનો પ્રબંધ છે, તે આ પ્રમાણે– લક્ષ્મીપુંજની કથા હસ્તિનાપુરને વિષે સુધર્મા નામે વણિક અને ઘન્યા નામે તેની સ્ત્રી, બન્ને દારિદ્રયપણાના દુઃખમાં કાળ નિર્ગમન કરતા હતા. એકદા રાત્રિએ સ્વપ્નમાં ધન્યાએ પદ્મહૃદમાં કમળને વિષે રહેલા લક્ષ્મીદેવીને જોયા. પ્રાતઃકાલે તે હકીકત તેણે પોતાના પતિને નિવેદન કરી. તે ઘણો ખુશી થયો. તેણે કહ્યું કે, ‘હવે આપણું દારિદ્રય દૂર થશે.' તે સમયે કોઈ દેવ સ્વર્ગમાંથી ચ્યવી ધન્યાની કુક્ષિમાં અવતર્યો. તે વખતે તેના પૂર્વભવના મિત્રદેવોએ તેના ઘરમાં સુવર્ણ વગેરેની વૃદ્ધિ કરી. પૂર્ણ માસે પુત્રનો પ્રસવ થયો. સ્વજનોએ મળી તેનું લક્ષ્મીપુંજ એવું યથાર્થ નામ પાડ્યું. તે બાળક શુક્લપક્ષના ચંદ્રની જ્યોત્સ્નાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. અનુક્રમે તે સ્વયંવરમાં મોટા ઘનાઢ્યની આઠ કન્યાઓ પરણ્યો. તે રમણીઓની સાથે સ્વગૃહમાં સુખાનુભવ કરતાં એક દિવસ ત્યાં કોઈ દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે, ‘‘હે મિત્ર! તારા પૂર્વભવનો વૃત્તાંત સાંભળ– પૂર્વે મણિપુરમાં ગુણઘર નામે તું સાર્થવાહ હતો. એક વખતે ગુણઘરે આ પ્રમાણે એક મુનિની વાણી સાંભળી કે, ‘પ્રાણીઓને દ્રવ્યનું હરણ મરણથી પણ વિશેષ દુઃખદાયક થાય છે, તેથી સુકૃતિ પુરુષોએ ચૌર્યત્યાગનું વ્રત અવશ્ય અંગીકાર કરવું.' વળી લૌકિક શાસ્ત્રમાં પણ કહેલ છે કે ‘કૂંડી સાક્ષી પૂરનાર, મિત્રનો દ્રોહ કરનાર, કૃતઘ્ની અને ચોરી કરનાર, એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચમો જાતિચાંડાળ છે.' ભાનુએ કોઈ ચંડાળણીને જમીન પ૨ જળ છાંટતી જોઈને પૂછ્યું કે, ‘મદિરા અને માંસને ભક્ષણ કરનારી હે ચંડાળણી! તારા એક હાથમાં તો મનુષ્યની ખોપરી છે, તે છતાં જમણા હાથ વડે જમીન પર જળ કેમ છાંટે છે?’ ચંડાળણીએ ઉત્તર આપ્યો કે ૭૩ मित्रद्रोही कृतघ्नी च, स्तेयी विश्वासघातकी । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥१॥ ભાવાર્થ—‘મિત્રનો દ્રોહ કરનાર, કૃતઘ્રી, ચોરી કરનાર અને વિશ્વાસઘાતી કદી આ માર્ગે ચાલ્યો હોય તેવું ધારીને (તેથી અપવિત્ર થયેલી જમીનને પવિત્ર કરવા માટે) હું આ જળનો છંટકાવ કરું છું. વળી– कूटसाक्षी मृषावादी, पक्षपाती झगट्टके । कदाचिच्चलितो मार्गे, तेनेयं क्षिप्यते छटा ॥२॥ ભાવાર્થ-ખોટી સાક્ષી પૂરનાર, અસત્ય બોલનાર અને ઝઘડામાં પક્ષપાત કરનાર આ માર્ગે ચાલ્યો હોય તેવું ધારી જળનો છંટકાવ કરું છું.' ‘અગ્નિની શિખાનો સ્પર્શ કરવો સારો, સર્પના મુખનું ચુંબન કરવું સારું અને હળાહળ ઝેરને ચાટવું સારું, પણ પરદ્રવ્યને હરણ કરવું તે સારું નહીં.’’ આ પ્રમાણેની દેશના સાંભળી ગુણઘર અદત્તાદાનથી વિરામ પામ્યો. Jain Education International એકદા વિશેષ ઘનના લાભને અર્થે તે ગુણઘર સાર્થવાહ ઘણો સાર્થ લઈ દેશાંતરે ચાલ્યો. માર્ગમાં વેગવાળા ઘોડાને લીધે તે સાર્થભ્રષ્ટ થઈ મહા અરણ્યમાં નીકળી ગયો. એકાકી અશ્વ પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy