SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૨ [તંભ ૬ બેસીને ચાલ્યા જતાં લક્ષ મૂલ્યવાળી એક સુવર્ણમાળા પૃથ્વી પર પડેલી તેના જોવામાં આવી; પરંતુ તે લેવાથી અંગીકાર કરેલા ત્રીજા વ્રતનો ભંગ થશે એવા ભયથી તેણે તે લીધી નહીં. ત્યાંથી આગળ ચાલતાં અશ્વની ખરીઓથી ઊખડી ગયેલી ભૂમિમાં દ્રવ્યથી પૂર્ણ એવો એક તામ્રકુંભ જોવામાં આવ્યો. તેને પણ કાંકરા તુલ્ય માની તે આગળ ચાલ્યો. ત્યાં અકસ્માતુ અશ્વ મૂછ ખાઈને ભૂમિ પર પડ્યો. તે જોઈને તેણે મનમાં વિચાર્યું કે, “જો કોઈ આ અશ્વને સ૩૪ કરે તો હું તેને મારું સર્વદ્રવ્ય આપું.' આવું ચિંતવી પોતે તૃષાતુર થવાથી જળ શોઘવા આગળ ચાલ્યો. તેવામાં એક વૃક્ષ સાથે બાંઘેલો પાણીનો પોટલિયો (ચામડાની મશક) અને પાસે પાંજરામાં રહેલો પોપટ તેના જોવામાં આવ્યા. પાંજરામાં રહેલા શુકપક્ષીએ તેને કહ્યું કે, “હે સુભગ! તું આ પોટલિયામાંથી જળ પી, હું તેના સ્વામીને કહીશ નહીં.” સાર્થપતિ બોલ્યો કે, “કદી તૃષાને લીધે પ્રાણ ચાલ્યા જશે તો તે અનેક ભવને વિષે પાછા પ્રાપ્ત થશે, પણ હું પરનું અદત્ત તો ગ્રહણ કરીશ નહીં. કહ્યું છે કે, “હાસ્યથી, રોષથી કે છળથી પણ જે પ્રાણી અદત્ત ગ્રહણ કરે છે તેનું અનિષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. જેમ કૃષ્ણ વાસુદેવની સ્ત્રી રુકિમણીએ પૂર્વભવમાં કૌતુકથી વનમાં મોરના ઈંડાને લઈને હાથમાં ગોપવી રાખ્યું હતું, તેને શોધવા મયૂરી (મોરલી) સર્વત્ર ભમવા લાગી. થોડી વાર પછી તેણે ઈડું પાછું મૂકી દીધું, પણ તેના હાથે લાગેલા અલતાના રંગથી ઈડું રાતું થયેલું જોઈ મયૂરીએ તેને ઓળખું નહીં અને સોળ ઘડી સુધી તેને સેવ્યું નહીં. તેવામાં વરસાદ આવ્યો અને તેના જળથી જ્યારે તે ઘોવાઈ ગયું ત્યારે તેને સેવ્યું. આ કર્મથી રુકિમણીને આ ભવમાં સોળ વર્ષ સુઘી પુત્રનો વિયોગ થયો. આ પ્રમાણે હાસ્યથી પણ અદત્તાદાન લેવા વડે તેનું કષ્ટકારી ફળ પ્રાપ્ત થયું. આ દ્રષ્ટાંત હાસ્ય ઉપર છે અને રોષથી અદત્તાદાન લેવાના સંબંધમાં દેવાનંદા અને ત્રિશલાનું દૃષ્ટાંત છે, તેથી હે શુક! હું સ્વામ્યદત્તને (સ્વામી-અદત્તને) ગ્રહણ કરતો નથી.” આવી વ્રત પાળવાને વિષે તેની દૃઢતા જોઈને શુકપક્ષી તુષ્ટમાન થયો, અને તત્કાળ પોતાનું સ્વરૂપ ફેરવી દિવ્ય રૂપ કરીને બોલ્યો કે-હું સૂર્ય નામે વિદ્યાઘર છું. તમે ગુરુ પાસે ત્રીજું વ્રત લીધું તેથી વિસ્મય પામી દ્રવ્યનિધિ દેખાડવા વગેરેથી મેં તમારી પરીક્ષા કરી, પણ તમે તમારા લીધેલા વ્રતમાં દ્રઢ રહ્યા છો.” આ પ્રમાણે કહી તેણે તેની પાસે ઘણું ઘન મૂક્યું. સાર્થપતિ બોલ્યો કે-“જે દ્રવ્ય મેં શુદ્ધ વ્યવહાર વડે ઉપાર્જન કર્યું હોય તે જ મારા સુખને અર્થે થાય, આ તમારું ઘન મારે શા કામનું? તે હું લેવાનો નથી. પરંતુ મારું સર્વ ઘન તમે ગ્રહણ કરો, કારણ કે પ્રથમ મેં ઘારણા કરી હતી કે જે મારા અશ્વને જિવાડશે તેને હું મારું ઘન આપીશ. તેથી આ મારું ઘન તે તમારું જ છે.” વિદ્યાધર બોલ્યો કે, “મેં આ બધું માયાથી બતાવ્યું હતું, તો તમે જે દેવાને માટે ઘાર્યું તે ઘન મારાથી કેમ લેવાય? માટે હે સાર્થવાહ! આપણે આ બધું દ્રવ્ય કોઈ શુભ સ્થાને વાપરી નાખીએ.” સાર્થેશે કહ્યું કે, “તેવું સ્થાન તો ઘર્મ જ છે, તેથી આપણે જીર્ણોદ્ધારાદિ કાર્યમાં વાપરીને આ દ્રવ્યને કૃતાર્થ કિરીએ.” પછી તે બન્ને જણાએ તેમ કર્યું. સાર્થવાહ સાર્થની સાથે પોતાને ઘેર આવ્યો. અનુક્રમે મુનિઘર્મને સ્વીકારી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને તું લક્ષ્મીપુંજ થયો છે, અને સૂર્ય વિદ્યાઘર તે હું વ્યંતર દેવ થયો છું. તારા મહિમાથી અને ભાગ્યથી પ્રેરાયેલો હું તારા ગર્ભ દિવસથી માંડીને આજ દિન સુધી રત્નાદિકની વૃદ્ધિ કરું છું.” આ પ્રમાણેની હકીકત સાંભળતાં જ લક્ષ્મીપુંજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અનુક્રમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy