SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ ભાવાર્થ—એક અક્ષર, અર્ધ પદ કે પદ માત્રને ભણાવનારા ગુરુને જે ભૂલી જાય તે પાપી કહેવાય છે, તો ધર્મને બતાવનારા ગુરુને ભૂલી જનાર પાપી કહેવાય તેમાં તો શી નવાઈ?’’ ૭૨ આવું વિચારી પ્રતિહારનો વેષ લઈ તરત તે ત્યાં આવ્યો અને દંડાઘાત વડે સુભટોને મૂર્છિત કરી નાખ્યા. તે હકીકત સાંભળી રાજા ચતુરંગ સેના લઈને ત્યાં આવ્યો. દેવે તેને કહ્યું કે, ‘તમે ઘણા છો તેથી શું થઈ ગયું? કહ્યું છે કે, ઘણા ગજેન્દ્રો હોય પણ તે દુબળા સિંહની બરાબર પણ થઈ શકતા નથી. કારણ કે સત્ત્વ પ્રધાન છે, કાંઈ માંસનો રાશિ પ્રધાન નથી. વનમાં રહેલા અનેક ગજેન્દ્રો પણ શું એક સિંહના નાદ વડે મદને તજી દેતા નથી? તજી દે છે.’’ આમ કહીને એક રાજા સિવાય બીજા બધાને તેણે પૃથ્વી ઉપર પાડી નાખ્યા. પછી આખા નગર ઉપર આકાશમાં શિલા વિકુર્તીને તે ઉપદ્રવ કરવા લાગ્યો. એટલે રાજા અને મંત્રીઓ અંજલિ જોડીને બોલ્યા કે, હે દેવ! અમારો અપરાધ ક્ષમા કરો.’ દેવ બોલ્યો–‘મારા ધર્મગુરુ શ્રી જિનદત્ત શ્રેષ્ઠીને તેના અપરાધ વિના તમે શા માટે પીડા કરો છો? તે મહાશયના મહિમાથી મને આ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.’ એમ કહીને તેણે બધો પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજાએ કહ્યું કે ‘સાહિત્યશાસ્ત્રમાં નારિયેળના વૃક્ષો માટે કહ્યું છે કે, તે પોતાને પ્રથમ પાયેલા થોડા જળને યાદ કરીને પોતાના મસ્તક ઉપર ભાર વહન કરતા સતા પોતાના જીવિત પર્યંત માણસને અમૃત જેવું જળ આપે છે; તે જ પ્રમાણે સાધુ પુરુષો કરેલા ઉપકારને જીવિત સુધી ભૂલી જતા નથી.’ પછી પ્રસન્ન થયેલા દેવે કહ્યું કે, ‘તમે સર્વે મારા ગુરુના ચરણમાં પ્રણામ કરો, અને તેમના મુખથી નવકાર મંત્ર સાંભળી ચોરી વગેરેના ત્યાગરૂપ વ્રતને ગ્રહણ કરો.’ સર્વેએ તેમ કર્યું, અને જિનદત્ત શ્રેષ્ઠી મોટા ઉત્સવ વડે પોતાને ઘેર આવ્યા. લોકો પણ પ્રત્યક્ષ જૈનધર્મની પ્રશંસા કરવા લાગ્યા. ઉપર પ્રમાણે લોહખુર ચોર લોઢાની શૂળીએ પરોવાયો હતો, છતાં અલ્પ કાળના પણ નિયમને ધારણ કરી જિનદત્ત શ્રાવકની સહાયથી આદ્ય વિમાનને વિષે દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો. --- વ્યાખ્યાન ૮૪ અસ્તેયવ્રતનું ફળ જીવને સંસારી પદાર્થો ઉપર મમતા અનાદિકાળથી છે અને જ્યારે સીધી રીતે વસ્તુ નથી મળતી ત્યારે અજ્ઞાનને લીઘે ઘણીવાર પારકો માલ ઉઠાવવાની વૃત્તિ થઈ આવે છે. એવી રીતે મેળવેલા પદાર્થોથી અશાંતિ ને ભય વધી જાય છે. એ અદત્તાદાન અથવા ચોરીનો ત્યાગ જીવનમાં આવી જાય તો દેવો પણ તેના ગુણ ગાય છે. અદત્તાદાનનો ત્યાગ કરનાર ભાગ્યવાન આ લોક અને પર લોક બન્નેમાં મહત્તા અને વૈશિષ્ટ્ય પામે છે. તે વિષે કહ્યું છે अदत्तादाननैयम्य-ग्रहणैकरतो નરઃ | लक्ष्मीपुंज इवाप्नोति भवद्वये महत्पदम् ॥१॥ ભાવાર્થ-અદત્તાદાનના નિયમને ગ્રહણ કરવામાં તત્પર એવો પુરુષ લક્ષ્મીપુંજની જેમ બન્ને ભવને વિષે મહત્પદને પામે છે.’’ અદત્તાદાન સામાન્યપણે બે પ્રકારનું છે—સચિત્ત અને અચિત્ત. સચિત્ત એટલે મનુષ્ય, પશુ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy