SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૮૩] ચોરીના નઠારાં ફળો જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તે માર્ગે નીકળ્યો. તેણે ચોરનું આક્રંદન સાંભળી ચોર પ્રત્યે કહ્યું કે, “અરે ચોર! પાપરૂપી વૃક્ષનું આ ભવમાં આ વઘ બંઘન વગેરે ફળ તને પ્રાપ્ત થયું છે અને પરલોકમાં નરકગતિની વેદનારૂપ ફળ પ્રાપ્ત થશે, કેમકે પ્રાણીએ ઉપાર્જન કરેલું કર્મ અન્યથા થતું નથી, પરંતુ હવે અંતકાળે પણ તું અદત્તાદાન (ચોરી)ના ત્યાગરૂપ વ્રત અંગીકાર કર.” તે સાંભળી ચોરે કહ્યું, “અરે શેઠ! મારા પગ શિયાળ ખાઈ ગયા છે, કાગડાઓએ મસ્તકને ઠોલી નાખ્યું છે. આ પ્રમાણે મને પૂર્વ કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે, હવે હું શું કરું? પરંતુ મને તૃષા ઘણી લાગી છે, તેથી કૃપા કરીને મને પાણી લાવી આપો.” શ્રેષ્ઠી તે વાત રાજવિરુદ્ધ જાણી મૌન રહ્યા. પુનઃ ચોરે દીન આલાપો વડે તેવી જ રીતે પાણીની માગણી કરી. જેથી શ્રેષ્ઠીએ હિંમત લાવીને કહ્યું કે, “હે ભદ્ર! તું તારા આખા ભવમાં કરેલા પાપની આલોચના કર.” શેઠના કહેવાથી ચોરે પોતાના આખા ભવમાં કરેલા પાપ જણાવ્યા, એટલે જિનદત્તે તેને ચોરી વગેરેના પચખાણ કરાવ્યા, અને કહ્યું કે, “હે ભદ્ર! એત્વ અને અન્યત્વ ભાવના ભાવવાથી પ્રાણીના સર્વ પાપ ક્ષણાર્ધમાં પણ લય પામી જાય છે; તેથી તું હવે તે ભાવના ભાવ, સર્વ જીવોને મૈત્રીભાવે જો અને સર્વ પ્રકારની આપત્તિમાંથી ઉદ્ધાર કરનાર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર. હું જળ લેવા જાઉં છું.” ચોરે પૂછ્યું કે, “કૃપાનિધિ! આ પચખાણથી અને નમસ્કાર મંત્રના જાપ થી મારાં મહાપાપ જશે?” શ્રેષ્ઠી બોલ્યા કે– कृत्वा पाप सहस्राणि, हत्वा जंतुशतानि च । __ अमुं मंत्रं जपित्वा च, तियंचोऽपि दिवं गताः॥१॥ ભાવાર્થ-“હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી, આ નવકાર મંત્રને જપનારા તિર્યંચો પણ સ્વર્ગે ગયા છે.” આ પ્રમાણે તેને ઉપદેશ કરી જિનદત્ત શ્રેષ્ઠી જળ લેવા ગયા. પછવાડે તે ચોર સમાઘિથી મૃત્યુ પામી અંત સમયે જ આયુષ્ય બાંઘી સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. “અહો, સત્સંગતિનું ફળ કેવું છે!” કહ્યું છે કે – महानुभावसंसर्गः, कस्य नोत्रतिकारकः । ગંગણવિરાં , ત્રિદીપ વંધને શા ભાવાર્થ-“મહાનુભાવ પુરુષનો સંસર્ગ કોની ઉન્નતિ કરતો નથી? ગંગામાં મળેલું શેરીઓનું જળ દેવતાઓથી પણ વંદાય છે.” - જિનદત્ત શ્રેષ્ઠી જળ લઈને આવ્યા, ત્યાં તો તેને મૃત્યુ પામેલો જોયો. પરંતુ પોતે રાજવિરુદ્ધ કાર્ય કર્યું છે એવું જાણી તે શક્રાવતાર ચૈત્યમાં જઈને કાયોત્સર્ગ રહ્યા. સુભટોએ સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું, એટલે રાજાએ આજ્ઞા કરી કે, “હે સુભટો! એ મૂર્ખ ગાય જેવા પણ કૃત્યે વાઘ જેવા શ્રેષ્ઠીને ચોરની જેમ વિડંબના કરીને મારી નાખો.” સુભટોએ તત્કાળ શ્રેષ્ઠીને રાજાની આજ્ઞા જણાવી, તથાપિ તે ધ્યાનથી ચલિત થયા નહીં. પછી તેઓ તેને અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. તે વખતે પેલો “લોહખુરદેવ' ભવપ્રત્યય અવધિજ્ઞાન વડે પોતાના ઘર્મગુરુની એવી અવસ્થા જોઈને વિચાર કરવા લાગ્યો કે – अक्षरस्यापि चैकस्य, पदार्धस्य पदस्य च । दातारं विस्मरन् पापी, किं पुनर्धर्मदेशिनं ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy