SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ શ્રેષ્ઠી રાજાને અને માતાને નમીને ઊભો રહ્યો. રાજાએ પૂછ્યું, “અહો સાહસિક શિરોમણિ! જ્યાં તમે ગયા હતા, તે શુન્ય નગરમાં શું થયું?” શ્રેષ્ઠી બોલ્યો-“હે સ્વામિનુ! તે નગરમાં એક મહેલમાં કોઈ કન્યા મારા જોવામાં આવી. તેણે મને કહ્યું કે, “હું પાતાળકેતુ વિદ્યાઘરની પુત્રી છું, હજુ કુમારી છું. મારા પિતાએ માંસની લોલુપતાથી એકદા એક માર્જરીનું ભક્ષણ કર્યું, તેથી માંસભક્ષણનું વ્યસન થતાં તે રાક્ષસ થયો. તેણે ઘણા લોકોને ભક્ષણ કર્યા, તેથી આ નગર ઉડ થઈ ગયું છે. હાલ તે આહારને માટે બહાર ગયેલ છે.” કન્યા આ પ્રમાણે વાત કરે છે તેવામાં તેનો પિતા અને માતા બન્ને ત્યાં આવ્યા. તેઓએ મને તે કન્યા આપી. પાણિગ્રહણ સમયે મેં એવું માગ્યું કે, “તમે માંસ ન ખાવાનો નિયમ લો. પછી તેને પ્રતિબોઘ પમાડ્યો, એટલે તેણે તે નિયમનો સ્વીકાર કર્યો. તે વિદ્યાધર મને સ્ત્રી સહિત વિમાનમાં બેસાડી અહીં મૂકીને હમણા જ પાછો પોતાને સ્થાનકે ગયો છે.” આ પ્રમાણે તેની હકીકત સાંભળી કુમારપાળ રાજા વિસ્મય પામીને બોલ્યા કે, “ધન્ય છે તમને! કે એવા સંકટમાં પણ તમે પોતાના નિયમને છોડી દીધો નહીં.” આ પ્રમાણે તેની પ્રશંસા કરતા ગુર્જરપતિ ત્યાંથી ગુરુને વંદન કરવા ગયા. ગુરુએ કહ્યું કે, “હે રાજ! જે અપુત્રિયાનું ઘન ગ્રહણ કરે છે તે તેમનો બઘાનો પુત્ર થાય છે અને તમે તે દ્રવ્ય સંતોષથી છોડી દીધું, તેથી તમે ખરેખર સર્વ રાજાઓના પણ પિતામહ થયા છો. આ પ્રમાણે રાજર્ષિ, પરમાર્વત, નીતિરાઘવ અને ચૌલુક્યસિંહ ઇત્યાદિ બિરુદોને ઘારણ કરનાર અને જૈન આગમના અર્થને જાણનાર શ્રીકુમારપાળ રાજા પરદ્રવ્યને ગ્રહણ કરવામાં વિમુખ થઈ વિજયવંત થયા. વ્યાખ્યાન ૮૨ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર હવે તે ત્રીજા વ્રતના પાંચ અતિચાર કહે છે– स्तेनानुज्ञा तदानीता-दानं वैरुद्धगामुकम् । प्रतिरूपक्रियामाना-न्यत्वं वा स्तेयसंश्रिता ॥१॥ ભાવાર્થ-“ચોરને આજ્ઞા કરવી, ચોરીનું દ્રવ્ય લેવું, રાજાએ નિષેઘ કરેલ વ્યાપારાદિ આચરવું, વસ્તુમાં તદ્રુપ હલકી ચીજની સેળભેળ કરવી અને કૂડા તોલ માપ રાખવા. એ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચાર છે.” (૧) ચોરને આજ્ઞા કરવી એટલે ચોરીના કામમાં તેમને પ્રેરણા કરવી. જેમ કે, “કેમ હમણા વ્યાપાર રહિત બેસી રહ્યા છો? જો તમારી પાસે ભાતું વગેરે કાંઈ ન હોય તો હું આપીશ, અથવા તમારી લાવેલી વસ્તુઓને જો કોઈ ખરીદ કરનાર નહીં મળે તો હું ખરીદ કરીશ.” એવાં વચનથી તેમને ઉત્સાહિત કરવા અથવા ચોરીના સાઘન જેવા કે કોશ, ગણેશીઓ વગેરે આપવા. ઇત્યાદિ પ્રકારે તેને ચોરીમાં સહાય કરવી તે સેનાનુજ્ઞા નામનો પ્રથમ અતિચાર છે. આવી રીતે વર્તનાર માણસને પણ નીતિમાં ચોર ગણ્યો છે. કહ્યું છે કે – चौरश्चौरार्पको मंत्री, भेदज्ञो क्वाणकक्रयी। अन्नदस्थानदश्चेति, चौरः सप्तविधः स्मृतः॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy