SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ક » – વ્યાખ્યાન ૮૧] અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન ભાવાર્થ-જે લોકો શ્રીજિનવચનરૂપ નેત્રથી રહિત છે, તેઓ દેવ કે કુદેવ, ગુરુ કે કુગુરુ, ઘર્મ કે અધર્મ, ગુણી કે અગુણી, કાર્ય કે અકાર્ય અને હિત કે અહિત નિપુણપણે જોઈ શકતા નથી.” આ પ્રમાણે ચિંતવી શ્રી વિરપ્રભુની પાસે જઈને તેણે આ પ્રમાણે દેશના સાંભળી કે–“જે પુરુષ ચોરી કરે તે આ લોકમાં વિવિઘ પ્રકારની યાતના (પીડા), પરલોકમાં નરકગતિ અને ત્યારપછી પણ દુર્ભાગ્ય અને દરિદ્રપણાને પામે છે.” આ પ્રમાણે જિનવાણી સાંભળી તે રોહિણેયે શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા. પછી શ્રેણિક રાજાની પાસે જઈ, પોતાની જાતિ, કુળ અને નામ તથા કર્મ જણાવી, પર્વતની ગુહામાં ચોરી વડે એકઠું કરેલું સર્વ ઘન નગરજનોને પાછું સોંપી દઈ, દીક્ષા લઈને સ્વર્ગે ગયો. આ પ્રમાણે રોહિણેય ચોર ખોટા દંભથી જોયેલી દેવતાની સમૃદ્ધિ ઉપરથી તેવી સત્ય સમૃદ્ધિ મેળવવા માટે શ્રીવીરવચને ચોરી ન કરવાનો નિયમ ઘારણ કરી દંભ રહિત (સાચી) એવી દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો. વ્યાખ્યાન ૮૧ અદત્તાદાન વિરમણનું વિશેષ વર્ણન પુનઃ તે ત્રીજા વ્રત સંબંધી જ કહે છે. आहृतं स्थापितं नष्टं, विस्मृतं पतितं स्थितम् । नाददीता स्वकीयं स्व-मित्यस्तेयमणुव्रतम् ॥१॥ ભાવાર્થ-“કોઈનું હરણ કરી લાવેલું, મૂકેલું, ખોવાયેલું, વિસ્મૃત થયેલું, પડી ગયેલું કે રહેલું કોઈ બીજાનું ઘન ગ્રહણ કરવું નહીં, તે અદત્તાદાનત્યાગ નામે ત્રીજું અણુવ્રત છે.” તેનો એવો ભાવાર્થ છે કે, લાવેલું એટલે કોઈએ કોઈનું હરણ કરીને રાખવા આપેલું, મૂકેલું એટલે થાપણરૂપે પોતાની પાસે કે ભૂમિમાં મૂકેલું, નષ્ટ એટલે કોઈ ઠેકાણે ખોઈ નાખેલું કે જેની તેના ઘણીને પણ ખબર ન હોય, વિસ્મૃત થયેલું એટલે કોઈ ઠેકાણે એવી રીતે મુકાયું હોય કે જે તેના સ્વામીને પણ સ્મરણમાં ન આવે, પડી ગયેલું એટલે ચાલતા કે વાહન ઉપરથી પડી ગયેલું અને રહેલું એટલે તેના સ્વામીએ પોતાની પાસે રાખેલું–આવી જાતનું પારકું ઘન લેવું નહીં. કદી દ્રવ્ય ક્ષેત્રાદિ આપત્તિ આવે તો પણ પ્રાજ્ઞ પુરુષે તે ગ્રહણ કરવું નહીં. તે વિષે કહ્યું છે કે, “કુલીન પુરુષ પ્રાણાંત થાય તો પણ આ બે કામ કરે નહીં—એક પરદ્રવ્યનું હરણ અને બીજું પરસ્ત્રીનું આલિંગન.” તે વિષે નીતિમાં પણ લખે છે કે, “સુવર્ણ વગેરે બીજાનું દ્રવ્ય પોતાની આગળ પડેલું જુએ તો પણ જેઓની બુદ્ધિ તેમાં પાષાણની જેવી રહે છે, તેવા સંતોષામૃતના રસ વડે તૃત પુરુષો ગૃહસ્થપણામાં પણ સ્વર્ગના સુખને મેળવે છે.” આ પ્રમાણે ત્રીજું અદત્તાદાન વિરમણ અણુવ્રત જાણવું. તે ઉપર પરમાર્હત કુમારપાળ રાજાનો પ્રબંધ કહેવાય છે. તે આ પ્રમાણે– પરમહંત રાજા કુમારપાળની કથા એક વખતે અણહિલ્લપુર પાટણમાં કુમારપાળની આગળ શ્રી હેમચંદ્રસૂરિ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા વ્રતનું વ્યાખ્યાન કરતા હતા કે, “હે રાજનું! જેણે પારકું દ્રવ્ય ચોર્યું, તેના આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy