SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ છે. તેમજ આ આહી૨ની આ તો તદ્દન અજાણી છે. હવે હું કોને વળગું?’ આવું વિચારતી ફરતી તે પેલી નિંદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેઠને ખોટું આળ દેવાથી ખરી રીતે તે જ દોષવાન હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાળ શ્યામ, કૂબડી અને કુષ્ઠ રોગિણી થઈ ગઈ. સર્વ તેની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે, “માતા પોતાના વહાલા બાળકની વિષ્ટા ફૂટેલા ઘડાની ઠીબ વડે લે છે, પણ પોતાનો હાથ પણ નથી બગાડતી જ્યારે દુર્જન માણસ તો પોતાના કંઠ, તાળુ અને જિલ્લા વડે લોકોની નિંદા કરવાને મિષે તેની વિષ્ટા ગ્રહણ કરે છે, એથી દુર્જને તો માતાને પણ હરાવી દીધી.'' ઉપર કહેલા બ્રાહ્મણીના દૃષ્ટાંતથી એટલું સમજવું કે, કોઈનો પણ અવર્ણવાદ લોકસમક્ષ બોલવો નહીં, તો પછી રાજા, અમાત્ય, દેવ અને ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું? તેમાં પણ સાધુ મુનિરાજના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં નીચ ગોત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે, ‘‘પૂર્વ ભવમાં મુનિને આળ આપવાથી પ્રાણીને સીતા સતીની જેમ કલંક પ્રાપ્ત થાય છે અને અનંત દુઃખ પામે છે.’’ તેની કથા આ પ્રમાણે છે– વેગવતીની કથા આ ભરતક્ષેત્રને વિષે મિણાલકુંડ નામના નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત રહેતો હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેઓને વેગવતી નામે એક પુત્રી થઈ હતી. એક વખતે તે ગામમાં કોઈ મુનિ આવ્યા. તે ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. લોકો તેમને વાંદવા અને પૂજવા જવા લાગ્યા. તે જોઈ ખોટી ઈર્ષ્યા કરનારી પુરોહિતની પુત્રી વેગવતી લોકોને કહેવા લાગી કે, ‘અરે! આ મુંડો તો પાખંડી છે, બ્રાહ્મણોને છોડીને તેને શા માટે પૂજો છો? આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો.’ આ પ્રમાણે તેણે સાધુને ખોટું આળ દીધું. તે સાંભળી કેટલાક લોકો તે મુનિ પાસે જતાં અટકી ગયા. આ ખબર મુનિને થયા, એટલે તેમના મનમાં ઘણું ખોટું લાગ્યું. તેમણે ચિંતવ્યું કે, ‘મારા નિમિત્તે જિનશાસનની હીલણા થવી ન જોઈએ.' આવું ઘારી તેમણે અભિગ્રહ કર્યો કે, ‘જ્યાં સુધી મારા ઉપરથી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી મારે આહાર પાણી લેવાં નહીં.' આવી પ્રતિજ્ઞા કરીને તેઓ કાયોત્સર્ગમાં રહ્યા. આવી દૃઢ પ્રતિજ્ઞાથી શાસનની અધિષ્ઠાયિકા દેવી તેમને સાન્નિધ્ય થઈ. તત્કાળ તેણે પુરોહિતની પુત્રી વેગવતીને શરીરે તીવ્ર વેદના ઉત્પન્ન કરી. આથી વેગવતીને ઘણો પશ્ચાત્તાપ થયો; તેથી તેણે તે મુનિની પાસે જઈ સર્વ લોકોની સમક્ષ ક્ષમા માગી અને કહ્યું કે, ‘હે ભગવન્! મેં માત્સર્યથી આપની ઉપર ખોટું આળ ચડાવ્યું છે, તે ક્ષમા કરો.’ એમ કહીને તે ચરણમાં પડી. તેનો અંતરંગ પશ્ચાત્તાપ જોઈ શાસનદેવીએ તેને સાજી કરી. પછી તે ધર્મદેશના સાંભળી દીક્ષા લઈને સૌથર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ. સીતાના ભવમાં પૂર્વે મુનિને મૃષા આળ ચડાવવાના પાપથી તેને કલંક પ્રાપ્ત થયું. પેલા મુનિ તો કલંકમુક્ત થઈ લોકોમાં અતિશય પૂજ્ય થયા. આ પ્રમાણે વેગવતીની કથા સાંભળી સર્વ ભવ્ય પ્રાણીઓએ સર્વદા અવર્ણવાદનો ત્યાગ ક૨વો, અને બીજાનો અવર્ણવાદ કોઈ કરે તો તે સાંભળવો પણ નહીં. એ પ્રમાણે કરવાથી પ્રાણી સર્વ જનની પ્રશંસાનું પાત્ર થઈ સમ્યક્ પ્રકારે સદ્ધર્મને યોગ્ય થાય છે. ઇતિ દ્વિતીય અતિચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy