SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૮] મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર વ્યાખ્યાન ૭૮ મૃષાવાદ વ્રતના છેલ્લા ત્રણ અતિચાર હવે મૃષાવાદના બાકીના અતિચાર કહે છે. विश्वासेन स्थिता ये च, तेषां मंत्रप्रकाशनम् । अन्यस्मै भाषणं गुह्यं, कूटलेखश्च पंचमः॥१॥ ભાવાર્થ-જે મિત્ર સ્ત્રી વગેરે પોતાના વિશ્વાસ ઉપર રહેલા હોય તેમના ગુપ્ત વિચારને બીજાની પાસે પ્રગટ કરવા, જો કે તે સત્ય કહ્યા હોય છે તેથી અતિચાર લાગવો જોઈએ નહીં, તથાપિ તેમના ગુપ્ત વિચાર જાહેર કરવાથી લજાને લીધે તેઓનું મૃત્યુ વગેરે થવા સંભવ છે, તેથી તે પરમાર્થરૂપે અસત્ય (મૃષા) કહેવાય છે, માટે એ મૃષાવાદનો ત્રીજો અતિચાર છે. - હવે ચોથા અતિચારમાં આકૃતિ તથા ચેષ્ટાથી કોઈનું ગુહ્ય જાણી. બીજાને કહી દેવું તે સત્ય છતાં અસત્ય છે એમ જાણવું. જેમ કે, “અમુક માણસ ભેગા થઈને રાજાની વિરુદ્ધ વિચાર કરે છે.” આવું કહેવાથી તેમને મોટી હાનિ થવાનો સંભવ છે. અહીં કોઈ શંકા કરે કે, “ત્રીજા અને ચોથા અતિચારમાં શો ભેદ છે?” તેના ઉત્તરમાં કહેવાનું કે, ત્રીજામાં કોઈનો ગુણ વિચાર કે જે વિશ્વાસથી પોતાને કહેવામાં આવ્યો હોય તેને જનસમૂહ આગળ ખુલ્લો કરવો તે અને ચોથામાં આકૃતિ તથા ચેષ્ટા વગેરેથી કોઈનું ગુહ્ય જાણી લઈને તેને ખુલ્લું કરવું તે. આ પ્રમાણે ત્રીજા અને ચોથા અતિચારમાં ભેદ રહેલો છે. હવે કોઈનો ગુણ વિચાર ખુલ્લો કરવાથી જે દોષ થાય છે તે કહે છે. બુદ્ધિમાન પુરુષે કોઈનું ગુહ્ય વાક્ય પ્રગટ કરવું નહીં.” જેમ મર્મ કહેવાથી એક વણિકને સ્ત્રીમરણ સંબંધી દુઃખ થયું હતું. તે કથા નીચે પ્રમાણે છે પુણ્યસારની કથા વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તે પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તે સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે રાગી થયેલી હતી, તેથી જવા આનાકાની કરતી હતી. તથાપિ પુણ્યસાર શેઠે તેને હઠ કરીને લીઘી. માર્ગમાં તે વણિક તૃષાર્ત થવાથી કોઈ કૂવા ઉપર પાણી ભરવા ગયો. તે કૂવામાંથી જળ ખેંચતો હતો એવામાં પછવાડે રહેલી સ્ત્રીએ તેને કૂવામાં નાખી દીધો, અને પોતે પાછી પિતાને ઘેર આવી. પિતાએ તરત જ પાછી આવવાનું કારણ પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “માર્ગમાં મારા પતિને ચોરોએ લૂંટી લીઘા અને તેને માર્યા હશે કે શું થયું હશે તેની મને ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.” પછી તે સ્ત્રી પિતૃગૃહમાં રહી સતી સ્વેચ્છાએ વર્તવા લાગી. અહીં પુણ્યસાર કૂવામાં થોડું જળ હોવાથી ઉપર જ રહ્યો. તેને કોઈ મુસાફરોએ ખેંચીને બહાર કાઢ્યો. તે ફરી વાર પાછો શ્વસુરગૃહે ગયો. સર્વ લોકોએ માર્ગની વાર્તા પૂછી; ત્યારે તેણે કહ્યું કે, મને ચોરોએ લૂંટી લીઘો પણ જીવતો મૂક્યો અને મારી સ્ત્રી નાસીને અહીં આવતી રહી તે સારું થયું.' આ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું ગુહ્ય (મમ) ઢાંકીને વાર્તા કહી, તેથી તે સ્ત્રી તેના પર વિશેષ રાગવાળી થઈ. પછી તેને લઈને તે વણિક ઘેર આવ્યો. ગાઢ પ્રેમી થયેલા તે દંપતીને એક પુત્ર થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy