SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૭] મૃષાવાદ-વિરમણ વ્રતના બે અતિચાર આ પ્રમાણે પ્રમાદ વડે પરને પીડાકારી વચન બોલવું તે પહેલો અતિચાર છે અથવા યુદ્ધને માટે અનેક પ્રકારના પ્રપંચ શીખડાવવા તે પણ પ્રથમ અતિચાર કહેવાય છે. અતિ પ્રથમ અતિચાર. હવે બીજો અતિચાર કહે છે. વિચાર્યા વગર જૂઠું આળ ચડાવવું અથવા અછતા દોષનું આરોપવું. જેમ કોઈને કહેવું કે, “તું ચોર છે, તું વ્યભિચારી છે તે બીજો અતિચાર છે. માટે આ પ્રમાણે કોઈને કહેવું નહીં. બીજા એમ પણ કહે છે કે, “તદ્દન ખોટું આળ ચડાવવું અથવા કોઈનું એકાંત રહસ્ય જનસમૂહમાં ઉઘાડું કરવું. જેમ કે, કોઈ વૃદ્ધ સ્ત્રીને કહેવું કે, “તારો પતિ અન્ય મુગ્ધ તરુણીમાં આસક્ત છે એવું શીખવી કલા ઉત્પન્ન કરવો, અથવા કોઈ સ્ત્રી પુરુષનું રહસ્ય (એકાંતે ગુસપણે થયેલ બીના) હાસ્ય રૂપે જ માત્ર પ્રગટ કરવું, તીવ્ર સંક્લેશપણે નહીં. તે વિષે સૂત્રમાં પણ કહ્યું છે કે, “સહસાત્કારે (વિના વિચાર્યું) અભિશાપ (આળ) આપવું તે બીજા વ્રતમાં નિષિદ્ધ છે.” આ પ્રમાણે જાણતાં છતાં આચરે તેને વ્રત ભંગ થાય અને જે અજાણ્યે આચરે તેને અતિચાર લાગે. આ પ્રમાણે બીજો અતિચાર છે. એ વિષે હવે વિશેષ વ્યાખ્યાન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈને આળ આપવાથી જીવ ગઘેડો થાય છે, નિંદા કરવાથી શ્વાન થાય છે, પરસ્ત્રી ભોગવવાથી કૃમિ થાય છે અને મત્સર (ષભાવ) રાખવાથી કીડો થાય છે.” વળી કહ્યું છે કે-“જે દૂષણ તરફ દ્રષ્ટિ જ કરે નહીં તે ઉત્તમ, જે સાંભળે જાણે પણ પ્રકાશ ન કરે તે મધ્યમ, જે દૂષણ જોઈને તેની જ પાસે કહે તે અઘમ અને જે સર્વે ઠેકાણે પ્રકાશ કર્યા કરે તે અઘમાઘમ.” હવે વિચાર્યા વગર કોઈને આળ ચઢાવવા ઉપર એક દ્રષ્ટાંત કહે છે– નિંદા કરનાર બ્રાહ્મણીની કથા કોઈ ગામમાં સુંદર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો દાતા હોવાથી લોકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે, “જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કાંઈ ઘનાઢ્ય પ્રિય થતો નથી. લોકો વરસાદને ચાહે છે, કાંઈ સમુદ્રને ચાહતા નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણી નિંદા કરતી હતી. તે કહેતી કે, “જે પરદેશીઓ આવે છે તે આ શેઠને ઘર્મી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે. તેની દોલત શેઠને રહે છે, તેથી શેઠ ઘણો હર્ષ પામે છે, માટે આ બધું એનું કપટ છે. એક વખતે કોઈ કાપડી (ફેરીઓ) તે શેઠને ઘેર આવ્યો. તે ક્ષુદા વડે બહુ પીડિત હતો તેથી તેણે ખાવાનું માગ્યું. તે સમયે શેઠનાં ઘરમાં કાંઈ ભોજન કે પેય પદાર્થ હતા નહીં, તેથી દયાને લીધે શેઠે કોઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાં જ તે કાપડી મરણ પામ્યો. કારણ કે તે છાશની દોણી માથા પર રાખી ઢાંક્યા વિના આહીરની સ્ત્રી ક્યાંક જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશમાં સમડી ઊડતી હતી. તે સર્પના મુખમાંથી ઝેર નીકળીને તે છાશમાં પડ્યું હતું. હવે પ્રભાતે એ કાપડીને મરેલો જાણી ખુશી થઈ સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કે, “જુઓ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લોભથી બિચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યો. એ સમયે તે કાપડીના મરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઈ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે, “હું કોને લાગુ પડું? આ દાતા તો અતિ શુદ્ધ મનવાળો છે, તેનો આમાં કાંઈ દોષ નથી. વળી સર્પ તો પરાધીન હતો અને તેને લઈ જનારી સમડી તો સર્પનો આહાર કરનારી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy