SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ,ભાષાંતર-ભાગ ૨ [સ્તંભ ૬ વ્યાખ્યાન ૭૭ મૃષાવાદ-વિરમણ વ્રતના બે અતિચાર एतद् व्रतप्रपन्नस्य, त्याज्यं मिथ्योपदेशनम् । अभ्याख्यानमनालोच्य, व्याचख्यं नैव कस्यचित् ॥१॥ ભાવાર્થ-એ બીજું વ્રત જે અસત્ય ન બોલવું તે જેણે અંગીકાર કર્યું હોય તેવા પુરુષે મિથ્યા ઉપદેશનો ત્યાગ કરવો, એટલે અસત્ ઉપદેશને છોડી દેવો, અર્થાત્ કોઈને પીડા થાય તેવું વચન ન કહેવું. એવાં વચનને અસત્ય જ સમજવું. જેમકે, “આ ગઘેડા અને ઊંટ ઉપર વધારે ભાર નાખો” “આ ચોરને મારી નાખો' એવાં વચનો ન કહેવાં. “સત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી એવો થાય છે કે “સમ્યો હિત સત્ય એટલે જે ઉત્તમ પુરુષને હિતકારી તે સત્ય. તેથી બીજાની હિંસા કરવારૂપ વાક્ય સત્ય હોય તો પણ તે અહિતકારી હોવાથી અસત્ય સમજવું. તેને માટે કહ્યું છે કે, ___ न सत्यमपि भाषेत, परपीडाकरं वचः॥ लोकेऽपि श्रुयते यस्मात्, कौशिको नरकं गतः॥ ભાવાર્થ-બીજાને પીડા થાય તેવું વચન સત્ય હોય તો પણ બોલવું નહીં. તે વિષે લોકમાં એમ સંભળાય છે કે, કૌશિક નામનો તાપસ તેવું વચન બોલવાથી નરકે ગયો હતો” તેની કથા નીચે પ્રમાણે : કૌશિક તાપસની કથા કૌશિક નામનો એક તાપસ લોકમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થઈ ફરતો હતો. એક વખતે એવું બન્યું કે કેટલાક ચોર કોઈ ગામને લૂંટી તે તાપસની પાસે થઈને વનમાં નાસી ગયા. તે ચોરોની પછવાડે રક્ષકો પગેરું શોઘતા ત્યાં આવ્યા. તેમણે કૌશિક મુનિને જોઈને પૂછ્યું કે, મુનિરાજ!તમે સત્યવાદી છો, માટે સત્ય કહો, ચોર કયે માર્ગે ગયા?” તાપસે વિચાર્યું કે, “જે સાચું પૂછે, તેને અસત્ય કહેવાથી મોટું પાપ લાગે છે અને તેવું પાપ એક હરણીએ પણ માથે લીધું ન હતું.” આવું વિચારી તે તાપસે ચોર લોકોનું સ્થાન બતાવ્યું. એટલે તેઓએ ત્યાં જઈ ચોરોને મારી નાખ્યા. તે પાપથી કૌશિક મુનિ નરકે ગયો. : વળી એક એવી વાર્તા પણ છે કે એક જ્ઞાની મુનિ વનમાં તપસ્યા કરતા હતા. ત્યાં એક વખતે પારઘીના ત્રાસથી મૃગલા નાસી તેની પાસે થઈને વનમાં ચાલ્યા ગયા. પારઘીએ આવી તેમને પૂછ્યું કે “અહીંથી મૃગ ક્યાં ગયા?” દયાળ મુનિએ વિચારીને કહ્યું કે, “જે જુએ તે બોલે નહીં, અને જે બોલે તે જુએ નહીં.” આ પ્રમાણે વારંવાર બોલતાં સાંભળી તે પારથી વિચારવા લાગ્યો કે, “આ તાપસ તો લોકબહિર્મુખ જણાય છે, માટે તેને પૂછવાથી શું વળવાનું છે?” આમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો અને મૃગલા બચી ગયા, તેથી મુનિ સ્વર્ગે ગયા. ૧ આ હરણીની કથા લૌકિક પુરાણમાં છે. ૨. લોકની રીત ભાતને નહીં જાણનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy