SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૭૬] અસત્યના ભેદ આમ્રના રસવડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું. આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો.” આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્યવ્રત સ્વીકાર્યું. ત્યારે જિનદાસે કહ્યું “હે શ્રેષ્ઠી! જીવિતની જેમ આ વ્રત યાવજીવિત પાળજો.” શ્રીકાંતે કહ્યું કે, “રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પરંતુ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં.” હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્યા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું પોતે છું.” ફરી પૂછ્યું કે, “તું ક્યાં જાય છે?” શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી ચોરી કરવા જાઉં છું.” પુનઃ પૂછ્યું કે, તું ક્યાં વસે છે?” શ્રીકાંતે કહ્યું કે, “અમુક પાડામાં.' વળી પૂછ્યું કે, “તારું નામ શું?' શ્રીકાંતે કહ્યું કે, “મારું નામ શ્રીકાંત છે. તે સાંભળી બન્ને આશ્ચર્ય પામ્યા કે, “ચોર આવી રીતે સાચું કહે નહીં, માટે આ ચોર જણાતો નથી” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતા પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો તેને પાછા શ્રેણિક અને અભયકુમાર મળ્યા. તેમણે પૂછ્યું કે, “આ શું લીધું છે?” શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું.” આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાતઃકાળે ભંડારીએ ભંડારમાંથી ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાળને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, “કોશમાંથી શું શું ગયું છે?” ભંડારીએ કહ્યું કે, “રત્નની દશ પેટીઓ ગઈ છે.' પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, “રાત્રે તે શું ચોર્યું છે?” તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે, “રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે.” તેથી તેણે કહ્યું કે, “સ્વામિન્! તમે શું ભૂલી ગયા? તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.” શ્રેણિક રાજાએ પૂછ્યું કે, “અરે ચોર! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી?” શ્રીકાંત બોલ્યો કે-“મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમકે અસત્ય બોલવાથી પ્રચંડ પવનવડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકૃત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ક્રોઘ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી શ્રેણિક રાજાએ તેને શિક્ષા દીધી કે, “જેવું આ બીજું વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.” શ્રીકાંતે તે સ્વીકાર્યું, એટલે રાજાએ તે જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે ત્રિશલાનંદન (મહાવીર સ્વામી)ના શાસનનો શ્રાવક થયો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી દ્રઢતા વડે સત્યવચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઇષ્ટ ફળ પ્રાપ્ત કર્યું, તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy