SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૨ [તંભ ૬ ભોજનને માટે તેને આમંત્રણ કર્યું. જિનદાસે કહ્યું કે, “જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.' શ્રીકાંતે કહ્યું, “હું શુદ્ધ વ્યાપાર કરું છું.’ જિનદાસે કહ્યું, “તમારા ઘરખર્ચ પ્રમાણે તમારો વ્યાપાર જોવામાં આવતો નથી, માટે સત્ય હોય તે કહો.” પછી શ્રીકાંતે “જિનદાસ પારકું ગુહ્ય પ્રગટ કરે તેમ નથી' એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન લઈશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય.” શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે ઘર્મ હું કરું.’ જિનદાસે કહ્યું કે, “ત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહી, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, “ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજા બધા પાપો રાખ્યા, તો પણ અસત્યનું પાપ અથિક થયું.” જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલઘારી થઈ લાંબો વખત તપસ્યા કરે તે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય અપ્રતીતિનું મૂળ કારણ છે, અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય માહાભ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે છે : દ્રૌપદીના સત્યનું દ્રષ્ટાંત-હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસને વિષે એકદા અઠ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે, “હે રાજન્ જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ.' એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમ્રની ઋતુ નથી, તો અકાળે આમ્રરસ શી રીતે મળી શકે? તેવામાં અકસ્માતું નારદમુનિ આવી ચડ્યા. તેમણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, જો તમારી પટરાણી દ્રૌપદી સભામાં આવી પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે.' રાજાએ તે વાત અંગીકાર કરી દ્રૌપદીને સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, “હે સતી! પાંચ પતિથી સંતોષ ઘરાવનારાં એવા તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિમાં પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય રીતે કહેવા લાગ્યાં-“હે મુનિ! રૂપવાન, શૂરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ! જ્યાં સુધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો પણ તેને જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓની યોનિ ભીંજાયા કરે છે. તે નારદ! જેમ વર્ષાઋતુનો સમય કષ્ટદાયક છે તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો છે તેમ ભર્તાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. કાષ્ઠ વડે અગ્નિ તૃપ્ત થતો નથી, સરિતાઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી, તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. હે નારદ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમજનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો.” આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા, બીજે સત્યે પલ્લવ થયા, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્યે મંજરી થઈ અને પાંચમા સત્યે પાકાં મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા. પછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy