SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ * ૯ - વ્યાખ્યાન ૭૬] અસત્યના ભેદ શાંતિ કરે અને પશુ વગેરેને સાક્ષાત્ વિમાનમાં રહેલા બતાવે. આ પ્રમાણે નજરે જોવાથી ઘણા રાજાઓ વગેરે યજ્ઞ કરવામાં આદરવાળા થયા. છેવટે તેઓએ નિઃશંક થઈ મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી. એક વખતે મહાકાલે માયાથી મોહ પમાડી સગરરાજાને સ્ત્રી સહિત યજ્ઞમાં હોમી દીઘો. પિપ્પલાદે પિતૃમેઘ કરી પોતાના માતાપિતાને યજ્ઞમાં હોમી દીધા. એવી રીતે લોકોમાં અનાર્ય વેદ પ્રવર્યા અને આર્યવેદ કે જે માણવક નામના નિદાનમાંથી ઉરીને પ્રતિદિન જમાડાતા શ્રાવકોને ભણવા માટે ભરત ચક્રીએ પૂર્વે બનાવ્યા હતા, જેમાં બાર વ્રતનાં અંગીકારરૂપ બાર અંગ ઉપર બાર તિલક અને ત્રણ રત્નને સૂચવનાર યજ્ઞોપવીત (જનોઈ)ના ત્રણ સૂત્ર અને તીર્થકરની સ્તુતિ વગેરે પ્રતિપાદન કરેલ છે તે વેદની પ્રવૃત્તિ બંઘ પડી. ઉપર કહ્યા પ્રમાણે વસુરાજા, પર્વત અને પિપ્પલાદ વગેરે અસત્યવાદથી અઘમ ગતિને પામ્યા, તેનો દાખલો હૃદયમાં ઘારણ કરીને આત્મહિતેચ્છુ પ્રાણીઓએ અસત્યવાદનો ત્યાગ કરવો. વ્યાખ્યાન ૭૬ અસત્યના ભેદ अभूतोद्भावनं चाद्यं, द्वितीयं भूतनिह्नवम् । अर्थांतरं तृतीयं च, गर्हानाम चतुर्थकम् ॥१॥ एतच्चतुर्विधाऽसत्यं, श्वभ्रादिदुःखहेतुकं । જ્ઞાત્વાકૃત વ્રત ગ્રાહ્ય, ચેનાતિસરથમવમ્ ારા ભાવાર્થ-અસત્ય ચાર પ્રકારનું છે, તેમાં પહેલું અસત્ય અભૂતોભાવન નામે છે, એટલે આત્મા સર્વગત છે અથવા શ્યામક નામનું ખડઘાન ચોખા જેવું જ છે. આમ જે કહેવું તે અભૂતોભાવન નામનું અસત્ય. બીજું ભૂતનિલવ અસત્ય એટલે છતી વસ્તુને નિષેઘવી, જેમકે આત્મા નથી, પુણ્ય પાપ નથી, એમ કહેવું ઇત્યાદિ. ત્રીજું અર્થાતર અસત્ય એટલે જે પદાર્થ જેવો હોય તેને તેવો ન કહેતાં બીજો કહેવો. જેમ ગાયને અશ્વ કહેવો. ચોથું ગર્તા અસત્ય એટલે નિંદાથી અસત્ય કહેવું. એ ગર્તા અસત્ય ત્રણ પ્રકારનું છે. પહેલું સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તાવવું, જેમકે ક્ષેત્ર ખેડ, ક્ષેત્રની જમીનને બાળી દે વગેરે કહેવું. બીજું અપ્રિય કારણ, એટલે કાણાને કાણો કહેવો તે. ત્રીજું આક્રોશરૂપ એટલે કોઈને તિરસ્કારથી કહેવું કે, “અરે નિર્મુખ! અરે ભાન વગરના” ઇત્યાદિ. આ પ્રમાણેના અસત્ય બોલવાથી પ્રાણીને નારકી વગેરેનાં દુઃખો પ્રાપ્ત થાય છે. તે વિષે યોગશાસ્ત્રમાં લખે છે કે, “જે પ્રાણી મૃષાવાદ બોલે છે, તે નિગોદમાં, તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થાય છે. પરસ્ત્રી ભોગવનાર અને ચોરી કરનારને પાપમુક્ત થવાનો ઉપાય છે, પણ જે અસત્યવાદી છે તેને કોઈ પણ ઉપાય નથી.” એથી તેના ત્યાગરૂપ બીજું અણુવ્રત ગ્રહણ કરવું કે જેથી સુખસંપત્તિની પ્રાપ્તિ થાય. એ વિષે શ્રીકાંત શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – શ્રીકાંત શ્રેષ્ઠીની કથા રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે દ્વાદશવ્રતને ઘારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક ત્યાં આવ્યો. શ્રીકાંત શેઠ - ભાગ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy